પ્રેમાનંદ મહારાજે જણાવ્યું- મહિલાઓએ કેમ સ્પર્શ ન કરવી જોઈએ હનુમાનજીની પ્રતિમા

આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે બજરંગબલીના ભક્તો વ્રત-ઉપવાસ રાખે છે. પૂરા વિધિ- વિધાન સાથે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે લોકો સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વિવિધ ઉપાયો પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે, હનુમાનનું નામ માત્ર લેવાથી દરેક પ્રકારનો ભય દૂર થઈ જાય છે. એટલે ભક્ત તેમને અલગ-અલગ નામોથી પણ બોલાવે છે. કોઇ તેમને બજરંગબલી, મારુતિ, અંજનીપુત્ર કહે છે, તો કોઇ પવનપુત્ર, સંકટમોચન, કેસરીનંદન, મહાવીર વગેરે નામોથી બોલાવે છે.

આમ તો હનુમાનજીની પૂજા કોઈ પણ કરી શકે છે, પરંતુ મહિલાઓ માટે બજરંગબલીની પૂજા કરવા માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમો હેઠળ જ, મહિલા દ્વારા મહાવીર બજરંગબલીની પ્રતિમાને સ્પર્શ કરવાનું વર્જિત છે. આખરે આવું કેમ? ચાલો જાણીએ. વૃંદાવનવાળા પ્રેમાનંદ મહારાજે તેને લઇને વિસ્તારથી જાણકારી આપી છે.

premanand-maharaj1
brajsansar.com

પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર, ભગવાન રામના પ્રિય ભક્ત હનુમાનજી બ્રહ્મચારી હતા અને તેમણે જીવનભર આ નિયમનું પાલન કર્યું હતું. તેમણે દરેક મહિલાને પોતાની માતા માની હતી. એટલે મહિલાઓ ન તો તેમની પ્રતિમાને સ્પર્શ કરે છે અને ન તો તેમના પગને સ્પર્શ કરે છે. હવે વાત માત્ર માન્યતાઓની હોય તો આપણે તેને માની લેવી જોઈએ. જોકે, મહિલાઓ ઈચ્છે તો તેઓ હનુમાનજીની પૂજા કરી શકે છે.

premanand-maharaj
vrindavantoursandpackages.com

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, મહિલાઓ હનુમાનજીને પ્રસાદ ચઢાવી શકે છે. તેમની આરતી અને મંત્રોનો જાપ પણ કરી શકે છે. તેમનું મનમાં ને મનમાં સ્મરણ કરી શકે છે, પરંતુ પ્રતિમાને સ્પર્શ કરતા બચવું જોઈએ. આવા જ કેટલાક નિયમોને ધ્યાનમાં રાખતા, કોઈપણ મહિલા આ હનુમાન જયંતિ પર પૂરી વિધિ-વિધાન સાથે બજરંગબલીની પૂજા કરી શકે છે.

Related Posts

Top News

રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

રાજકોટ શહેર પોલીસ દ્વારા માર્ગ અકસ્માતો ખાસ કરીને ઘાતક અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઓવરસ્પીડ...
Gujarat 
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ

આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો....
National 
આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
Offbeat 
રૂ. 38345માં મળી રહ્યું છે એક પગવાળું જીન્સ, કિંમત જોઈ લોકો ચોંકી ગયા, જુઓ આ વીડિયો

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી
Copyright (c) Khabarchhe All Rights Reserved.