પ્રેમાનંદ મહારાજે જણાવ્યું- મહિલાઓએ કેમ સ્પર્શ ન કરવી જોઈએ હનુમાનજીની પ્રતિમા

આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે બજરંગબલીના ભક્તો વ્રત-ઉપવાસ રાખે છે. પૂરા વિધિ- વિધાન સાથે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે લોકો સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વિવિધ ઉપાયો પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે, હનુમાનનું નામ માત્ર લેવાથી દરેક પ્રકારનો ભય દૂર થઈ જાય છે. એટલે ભક્ત તેમને અલગ-અલગ નામોથી પણ બોલાવે છે. કોઇ તેમને બજરંગબલી, મારુતિ, અંજનીપુત્ર કહે છે, તો કોઇ પવનપુત્ર, સંકટમોચન, કેસરીનંદન, મહાવીર વગેરે નામોથી બોલાવે છે.

આમ તો હનુમાનજીની પૂજા કોઈ પણ કરી શકે છે, પરંતુ મહિલાઓ માટે બજરંગબલીની પૂજા કરવા માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમો હેઠળ જ, મહિલા દ્વારા મહાવીર બજરંગબલીની પ્રતિમાને સ્પર્શ કરવાનું વર્જિત છે. આખરે આવું કેમ? ચાલો જાણીએ. વૃંદાવનવાળા પ્રેમાનંદ મહારાજે તેને લઇને વિસ્તારથી જાણકારી આપી છે.

premanand-maharaj1
brajsansar.com

પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર, ભગવાન રામના પ્રિય ભક્ત હનુમાનજી બ્રહ્મચારી હતા અને તેમણે જીવનભર આ નિયમનું પાલન કર્યું હતું. તેમણે દરેક મહિલાને પોતાની માતા માની હતી. એટલે મહિલાઓ ન તો તેમની પ્રતિમાને સ્પર્શ કરે છે અને ન તો તેમના પગને સ્પર્શ કરે છે. હવે વાત માત્ર માન્યતાઓની હોય તો આપણે તેને માની લેવી જોઈએ. જોકે, મહિલાઓ ઈચ્છે તો તેઓ હનુમાનજીની પૂજા કરી શકે છે.

premanand-maharaj
vrindavantoursandpackages.com

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, મહિલાઓ હનુમાનજીને પ્રસાદ ચઢાવી શકે છે. તેમની આરતી અને મંત્રોનો જાપ પણ કરી શકે છે. તેમનું મનમાં ને મનમાં સ્મરણ કરી શકે છે, પરંતુ પ્રતિમાને સ્પર્શ કરતા બચવું જોઈએ. આવા જ કેટલાક નિયમોને ધ્યાનમાં રાખતા, કોઈપણ મહિલા આ હનુમાન જયંતિ પર પૂરી વિધિ-વિધાન સાથે બજરંગબલીની પૂજા કરી શકે છે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.