પ્રેમાનંદ મહારાજે જણાવ્યું- મહિલાઓએ કેમ સ્પર્શ ન કરવી જોઈએ હનુમાનજીની પ્રતિમા

આજે દેશભરમાં હનુમાન જયંતિનો તહેવાર ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે બજરંગબલીના ભક્તો વ્રત-ઉપવાસ રાખે છે. પૂરા વિધિ- વિધાન સાથે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ લગાવે છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીની પૂજાનું ખૂબ મહત્ત્વ છે. આ દિવસે લોકો સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વિવિધ ઉપાયો પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે, હનુમાનનું નામ માત્ર લેવાથી દરેક પ્રકારનો ભય દૂર થઈ જાય છે. એટલે ભક્ત તેમને અલગ-અલગ નામોથી પણ બોલાવે છે. કોઇ તેમને બજરંગબલી, મારુતિ, અંજનીપુત્ર કહે છે, તો કોઇ પવનપુત્ર, સંકટમોચન, કેસરીનંદન, મહાવીર વગેરે નામોથી બોલાવે છે.

આમ તો હનુમાનજીની પૂજા કોઈ પણ કરી શકે છે, પરંતુ મહિલાઓ માટે બજરંગબલીની પૂજા કરવા માટે કેટલાક ખાસ નિયમો છે. આ નિયમો હેઠળ જ, મહિલા દ્વારા મહાવીર બજરંગબલીની પ્રતિમાને સ્પર્શ કરવાનું વર્જિત છે. આખરે આવું કેમ? ચાલો જાણીએ. વૃંદાવનવાળા પ્રેમાનંદ મહારાજે તેને લઇને વિસ્તારથી જાણકારી આપી છે.

premanand-maharaj1
brajsansar.com

પ્રેમાનંદ મહારાજના જણાવ્યા અનુસાર, ભગવાન રામના પ્રિય ભક્ત હનુમાનજી બ્રહ્મચારી હતા અને તેમણે જીવનભર આ નિયમનું પાલન કર્યું હતું. તેમણે દરેક મહિલાને પોતાની માતા માની હતી. એટલે મહિલાઓ ન તો તેમની પ્રતિમાને સ્પર્શ કરે છે અને ન તો તેમના પગને સ્પર્શ કરે છે. હવે વાત માત્ર માન્યતાઓની હોય તો આપણે તેને માની લેવી જોઈએ. જોકે, મહિલાઓ ઈચ્છે તો તેઓ હનુમાનજીની પૂજા કરી શકે છે.

premanand-maharaj
vrindavantoursandpackages.com

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે, મહિલાઓ હનુમાનજીને પ્રસાદ ચઢાવી શકે છે. તેમની આરતી અને મંત્રોનો જાપ પણ કરી શકે છે. તેમનું મનમાં ને મનમાં સ્મરણ કરી શકે છે, પરંતુ પ્રતિમાને સ્પર્શ કરતા બચવું જોઈએ. આવા જ કેટલાક નિયમોને ધ્યાનમાં રાખતા, કોઈપણ મહિલા આ હનુમાન જયંતિ પર પૂરી વિધિ-વિધાન સાથે બજરંગબલીની પૂજા કરી શકે છે.

Related Posts

Top News

સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ઓપરેશન સિંદુર વખતે આપણા દેશની વાસ્તવિક સરહદ પર તો પાકિસ્તાને હુમલા કર્યો, પરંતુ તેનાથી પણ વધારે પાકિસ્તાને સાયબર હુમલા કર્યા....
Gujarat 
સેમસંગનું મોટું પદ છોડીને પાલનપુરના ગુજરાતી યુવાને આ રીતે કરી દેશ સેવા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 06-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.