ચાર ધામ યાત્રામાં મહિલાઓના ટુંકા વસ્ત્રો પર આવી જશે પ્રતિબંધ, જાણો શું થયું છે

ચારધામની યાત્રા એ પિકનિક માટે નથી, પણ ધાર્મિક આસ્થા માટે છે. યુવતીઓ અને મહિલાઓ ટુંકા વસ્ત્રો પહેરીને તીર્થ યાત્રાએ ન આવે, તીર્થસ્થાનોની ગરિમાના ઉલ્લંઘનને કારણે કુદરતી આફતો આવે છે. આવી ચિંતા વ્યકત કરીને સાધુ સંતોએ ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામીને દરમિયાનગીરી કરવા અપીલ કરી છે.

દેવભૂમિ ઉત્તરાખંડમાં ચાર ધામ સહિત તમામ ધાર્મિક સ્થળોમાં ફેલાયેલી અશ્લીલતાથી સાધુ-સંતો ચિંતિત છે. તેમણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડની છબી ખરડાઈ રહી છે. આથી ચાર ધામ યાત્રામાં આવતા શ્રદ્ધાળુઓ પાસેથી રજીસ્ટ્રેશન સમયે સોગંદનામું ભરાવવામાં આવે.

સાધુ-સંતોએ યાત્રિકોને મર્યાદામાં વસ્ત્રો પહેરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ખાસ કરીને છોકરીઓ અને મહિલાઓએ મર્યાદાનું પાલન કરવું પડશે. સોગંદનામું ભરવા છતાં ટૂંકા કપડામાં ચાર ધામના દર્શન કરવા આવતા ભક્તો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમણે માંગણી કરી છે.

જૂના અખાડાના મહામંડલેશ્વર અને હિન્દુ રક્ષા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રબોધાનંદ ગિરીએ હરિદ્વારમાં પત્રકારોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે દેવભૂમિ ઉત્તરાખંડ ધર્મ અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. ચાર ધામ યાત્રા પર આવતા ભક્તોએ આખા ઉત્તરાખંડને પર્યટનના દૃષ્ટિકોણથી નહીં પણ તીર્થયાત્રાના દૃષ્ટિકોણથી જોવું જોઈએ. ભક્તોને અપીલ કરવામાં આવે છે કે તેઓ દેવભૂમિ પર આવતા સમયે તેમના કપડાની કાળજી રાખે અને તીર્થક્ષેત્રોની મર્યાદાનું પાલન કરે.

સંતોએ કહ્યું છે કે ચાર ધામમાં લોકો પિકનિક માટે આવવું એ ચિંતાનો વિષય છે. પિકનિક માટે આવવાના કારણે દેવભૂમિ ઉત્તરાખંડની છબી કલંકિત થઈ રહી છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં તીર્થસ્થાનોની ગરિમાના ઉલ્લંઘનને કારણે કુદરતી આફતો આવે છે. આવી સ્થિતિમાં આપત્તિઓથી બચવા માટે ઉત્તરાખંડ સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ તેવી માગણી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂન જિલ્લામાં મંદિરના પ્રશાસકોએ યોગ્ય વસ્ત્રો ન પહેરીને આવનારા ભક્તોને ભગવાનના દર્શનથી વંચિત રાખવાનો નિર્ણય લીધો છે.

ચારધામ યાત્રા એટલે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા છે. આ યાત્રા 22 એપ્રિલ 2023થી શરૂ થઈ છે. દર વર્ષે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી શિયાળાની ઋતુમાં 6 મહિના માટે બંધ રહે છે.ગંગોત્રી ધામના દરવાજા 22 એપ્રિલે બપોરે ખોલવામાં આવ્યા હતા. આ વખતે ચાર ધામમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.