જન્માષ્ટમી પર કઈ રીતે કરશો ભગવાન કૃષ્ણની આરાધના?

જ્યારે-જ્યારે અસુરોનો અત્યાચાર વધ્યો છે અને ધર્મનું પતન થયું છે, ત્યારે-ત્યારે ભગવાને પૃથ્વી પર અવતાર લઈને સત્ય અને ધર્મની સ્થાપના કરી છે. હાલ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં ભગવાન કૃષ્ણએ અવતાર લીધો હતો.

ભગવાન સ્વયં આ દિવસે પૃથ્વી પર અવતર્યા હતા, આથી આ દિવસને કૃષ્ણ જન્માષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો રાત્રે 12 વાગ્યા સુધી વ્રત કરે છે. મંદિરોમાં હિંડોળા સજાવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણને પારણું ઝુલાવવામાં આવે છે. જન્માષ્ટમીનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા-આરાધના કરવામાં આવે છે.

કેવી રીતે કરશો વ્રત અને પૂજા

  • ઉપવાસની આગલી રાતે હળવું ભોજન કરીને બ્રહ્રચર્યનું પાલન કરવું.
  • ઉપવાસનાં દિવસે વહેલી સવારે સ્નાનાદિ વિધી પતાવવી.
  • ત્યારબાદ સૂર્ય, સોમ, યમ, કાલ, સંધિ, ભૂત, પવન, દીપક, ભૂમિ, આકાશ, ખેચર, અમર અને બ્રહ્માદીને નમસ્કાર કરી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખીને બેસવું,
  • ત્યારબાદ જળ, ફૂલ, દરોઈ અને ચોખા લઈ સંકલ્પ કરવો-

મમખિલપાપપ્રશમનપૂર્વક સર્વાભીષ્ટ સિદ્ધયે

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતમહં કરિષ્યે।।

  • હવે મધ્યાહ્નનાં સમયે કાળા તલનાં જળથી સ્નાન કરી દેવકીજી માટે સૂતિકાગૃહ નિયત કરો.
  • પછી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
  • ત્યારબાદ વિધી-વિધાનથી પૂજા કરવી.
  • પૂજામાં દેવકી, વાસુદેવ, બલદેવ, નંદ, યશોદા અને લક્ષ્મી આ તમામનાં નામ ક્રમશઃ લઈ નીચે લખેલા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરો-

પ્રણમે દેવ જનની ત્વયા જાતસ્તુ વામનઃ।

વસુદેવાત તથા કૃષ્ણો નમસ્તુભ્યં નમો નમઃ।

સુપુત્રાર્ધ્યં પ્રદત્તં મેં ગૃહાણેમં નમોસ્તુતે।।

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Gujarat 
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-05-2025 દિવસ: રવિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.