નર્મદા પરિક્રમા બંધ કેમ કરી દેવામાં આવી છે, ક્યારે શરૂ થશે?

નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે આ પરિક્રમાને સ્થગિત કરી દેવાની જાહેરાતથી આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે નર્મદા પરિક્રમાને ઝડપથી ચાલુ કરવાની માંગ કરી છે. જો પરિક્રમા ચાલું નહીં થાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ હિંદુ સંસ્થાએ આપી છે.

નર્મદા પરિક્રમાને સ્થગિત કરી દેવા પાછળનું કારણ એવું છે કે, નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઇસના 3 ટર્બાઇન ચાલું થવાને કારણે ઉત્તરવાહિની નર્મદા પરિક્ર્માને 10 દિવસ માટે સ્થગિત કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. 29 એપ્રિલે રાત્રે નર્મદા ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું એટલે પરિક્રમા કરનારાઓને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તિલકવાડા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવવામાં આવ્યો છે. જો કે પુલ પરથી પાણી જતું હોય તો પુલનો ઉપયોગ નહીં કરવાની પણ સુચના આપવામાં આવી છે.

નર્મદા પરિક્રમાનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે અને હજારોની સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે આવે છે.મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાંથી લોકો નર્મદા પરિક્રમા માટે આવેલા છે.

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે કલેક્ટરને આવેદન પત્ર આપીને પરિક્રમાને જલ્દી ચાલુ કરવાની માંગ કરી છે. પરિષદે ચીમકી આપી છે કે જો પરિક્રમા ચાલું નહીં થાય તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે.

હિંદુ સંસ્થાએ કહ્યું હતું કે, ગયા વર્ષે પણ તંત્ર દ્રારા પરિક્રમા રોકી દેવામાં આવી હતી. સાધુ-સંતો અને હિંદુઓના વિરોધ પછી પરિક્રમા ફરી શરૂ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.