નર્મદા પરિક્રમા બંધ કેમ કરી દેવામાં આવી છે, ક્યારે શરૂ થશે?

On

નર્મદા જિલ્લામાં ચૈત્ર મહિના દરમિયાન યોજાતી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે ત્યારે આ પરિક્રમાને સ્થગિત કરી દેવાની જાહેરાતથી આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે નર્મદા પરિક્રમાને ઝડપથી ચાલુ કરવાની માંગ કરી છે. જો પરિક્રમા ચાલું નહીં થાય તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ હિંદુ સંસ્થાએ આપી છે.

નર્મદા પરિક્રમાને સ્થગિત કરી દેવા પાછળનું કારણ એવું છે કે, નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઇસના 3 ટર્બાઇન ચાલું થવાને કારણે ઉત્તરવાહિની નર્મદા પરિક્ર્માને 10 દિવસ માટે સ્થગિત કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. 29 એપ્રિલે રાત્રે નર્મદા ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું એટલે પરિક્રમા કરનારાઓને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. અત્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તિલકવાડા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓ માટે હંગામી પુલ બનાવવામાં આવ્યો છે. જો કે પુલ પરથી પાણી જતું હોય તો પુલનો ઉપયોગ નહીં કરવાની પણ સુચના આપવામાં આવી છે.

નર્મદા પરિક્રમાનું ઘણું ધાર્મિક મહત્ત્વ છે અને હજારોની સંખ્યામાં લોકો પરિક્રમા કરવા માટે આવે છે.મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાંથી લોકો નર્મદા પરિક્રમા માટે આવેલા છે.

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે કલેક્ટરને આવેદન પત્ર આપીને પરિક્રમાને જલ્દી ચાલુ કરવાની માંગ કરી છે. પરિષદે ચીમકી આપી છે કે જો પરિક્રમા ચાલું નહીં થાય તો રાજ્યભરમાં આંદોલન કરવામાં આવશે.

હિંદુ સંસ્થાએ કહ્યું હતું કે, ગયા વર્ષે પણ તંત્ર દ્રારા પરિક્રમા રોકી દેવામાં આવી હતી. સાધુ-સંતો અને હિંદુઓના વિરોધ પછી પરિક્રમા ફરી શરૂ કરવામાં આવી હતી.

Top News

ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

છેવટે, કોણ ધનવાન બનવા નથી માંગતું? પણ એ જરૂરી નથી કે દરેક વ્યક્તિ તે સ્તર સુધી પહોંચે. બચત...
Business 
ગરીબ વ્યક્તિના હંમેશા 'ગરીબ' જ રહેવા પર રોબર્ટ કિયોસાકીએ FOMMને જવાબદાર બતાવ્યું

દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હરિયાણાના હિસારની રહેવાસી ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન બોક્સર સ્વીટી બોરા અને તેના પતિ દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. પોલીસમાં...
National 
દીપક હુડ્ડાને છોકરાઓમાં રસ છે, પત્ની સ્વીટી બોરાના આરોપો; વાયરલ વીડિયો પર આપી સ્પષ્ટતા

હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના અંગત વકીલ એલિના હુબ્બાને ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની તરીકે નિયુક્ત કર્યા છે. આ અંગે...
World 
હિરોઈન જેવી સુંદર, તેજ દિમાગ-અંગત વકીલ, એલિના ન્યૂ જર્સીના વચગાળાના US એટર્ની નિયુક્ત

આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

કોમેડિયન કુણાલ કામરાનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. ગયા વર્ષે ઑક્ટોબરમાં, તે ઘણા દિવસ સુધી ચર્ચામાં રહ્યો હતો, સોશિયલ મીડિયા...
Entertainment 
આ 2 કામોથી કુણાલ કામરાની થાય છે જોરદાર કમાણી, હવે વિવાદોમાં ફસાયો, જાણો કેટલી છે તેની નેટવર્થ

Opinion

કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
(ઉત્કર્ષ પટેલ) કિશોરભાઈ વાંકાવાલા એ ગુજરાતના રાજકારણ અને સમાજસેવાના ક્ષેત્રમાં એક એવું નામ છે જે સુરત શહેરના નાગરિકોના હૃદયમાં આજે...
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
સુરતના રક્ષક: અનુપમસિંહ ગેહલોત-પરિવારના સદસ્યની જેમ સુરતીઓની કાળજી લેતા સાચા સંરક્ષક
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.