શેરબજારમાં આવ્યો મોટો બદલાવ, SEBIએ લીધો આ નિર્ણય

28 માર્ચથી શેરબજારમાં મોટો બદલાવ આવી રહ્યો છે. સેબીએ હવે એક જ દિવસે પૈસા જમા થાય તેવો નિયમ લાગૂ કર્યો છે. જો કે શરૂઆતમાં 25 કંપનીના શેરો પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

આવતીકાલથી એટલે કે ગુરુવારથી શેરબજારમાં T+0 સેટલમેન્ટનો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. ભારતીય બજાર નિયામક સેબી દ્વારા રજૂ કરવામાં આવેલ આ નિયમ પ્રથમ 25 શેર પર લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે આ 25 શેરની ખરીદી અથવા વેચાણ પર તે જ દિવસે સેટલમેન્ટ કરવામાં આવશે. બાકીના શેર પર T+1 નિયમ લાગુ કરવામાં આવશે.

એક્સચેન્જ પર જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, T+0 સેટલમેન્ટનો સમય માત્ર સવારે 9:15 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સોદા T+0 માં સેટલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે T+0 સેટલમેન્ટ હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ નિયમ અમુક કલાકો માટે જ પસંદગીના શેર માટે લાગુ થશે. એક્સ્ચેન્જની ભાષામાં તેને બીટા વર્ઝન કહી શકાય છે.

 

BSEએ T+0 સેટલમેન્ટ બીટા વર્ઝન માટે 25 શેરની યાદી પણ બહાર પાડી છે. તેમાં અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેન્ક ઓફ બરોડા, BPCL, બિરલા સોફ્ટ, સિપ્લા, કોફાર્જ, ડિવીઝ લેબ્સ, હિન્દાલ્કો, ઈન્ડિયન હોટેલ્સ, JSW સ્ટીલ, LIC હાઉસિંગ, LTI માઇન્ડટ્રી, MRF, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી, ઓએનજીસી,પેટ્રો નેટ એલએનજી, સંવર્ધન મધરસન, SBI , ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાંતાનો સમાવેશ થાય છે.

T+1 સેટલમેન્ટ સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે નહીં. જે નિયમો અત્યારે લાગુ છે તે ભવિષ્યમાં પણ લાગુ રહેશે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ પહેલાની જેમ ચાલુ રહેશે. આના પર લાગુ થતા ચાર્જ T+0 માં પણ લાગુ રહેશે. તેમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે. સેબીએ કહ્યું છે કે જો T+0 સેટલમેન્ટનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેનો સંપૂર્ણ લાગૂ કરવામાં આવશે.

15 માર્ચે, સેબીએ T+0 સેટલમેન્ટના બીટા વર્ઝનને મંજૂરી આપી હતી, જે 28 માર્ચ એટલે કે આવતીકાલથી લાગુ કરવામાં આવશે. આ નવા નિયમ મુજબ, જો તમે કોઈપણ શેર ખરીદો છો અથવા વેચો છો, તો તે જ દિવસે પૈસા તમારા ડીમેટ ખાતામાં આવી જશે. આ માટે તમારે બીજા દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.