શેરબજારમાં આવ્યો મોટો બદલાવ, SEBIએ લીધો આ નિર્ણય

28 માર્ચથી શેરબજારમાં મોટો બદલાવ આવી રહ્યો છે. સેબીએ હવે એક જ દિવસે પૈસા જમા થાય તેવો નિયમ લાગૂ કર્યો છે. જો કે શરૂઆતમાં 25 કંપનીના શેરો પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

આવતીકાલથી એટલે કે ગુરુવારથી શેરબજારમાં T+0 સેટલમેન્ટનો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. ભારતીય બજાર નિયામક સેબી દ્વારા રજૂ કરવામાં આવેલ આ નિયમ પ્રથમ 25 શેર પર લાગુ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે આ 25 શેરની ખરીદી અથવા વેચાણ પર તે જ દિવસે સેટલમેન્ટ કરવામાં આવશે. બાકીના શેર પર T+1 નિયમ લાગુ કરવામાં આવશે.

એક્સચેન્જ પર જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, T+0 સેટલમેન્ટનો સમય માત્ર સવારે 9:15 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા સોદા T+0 માં સેટલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે T+0 સેટલમેન્ટ હાલમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી રહ્યો છે. એટલે કે આ નિયમ અમુક કલાકો માટે જ પસંદગીના શેર માટે લાગુ થશે. એક્સ્ચેન્જની ભાષામાં તેને બીટા વર્ઝન કહી શકાય છે.

 

BSEએ T+0 સેટલમેન્ટ બીટા વર્ઝન માટે 25 શેરની યાદી પણ બહાર પાડી છે. તેમાં અંબુજા સિમેન્ટ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બેન્ક ઓફ બરોડા, BPCL, બિરલા સોફ્ટ, સિપ્લા, કોફાર્જ, ડિવીઝ લેબ્સ, હિન્દાલ્કો, ઈન્ડિયન હોટેલ્સ, JSW સ્ટીલ, LIC હાઉસિંગ, LTI માઇન્ડટ્રી, MRF, નેસ્લે ઈન્ડિયા, એનએમડીસી, ઓએનજીસી,પેટ્રો નેટ એલએનજી, સંવર્ધન મધરસન, SBI , ટાટા કોમ્યુનિકેશન્સ, ટ્રેન્ટ, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા અને વેદાંતાનો સમાવેશ થાય છે.

T+1 સેટલમેન્ટ સિસ્ટમમાં કોઈ ફેરફાર થશે નહીં. જે નિયમો અત્યારે લાગુ છે તે ભવિષ્યમાં પણ લાગુ રહેશે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ પહેલાની જેમ ચાલુ રહેશે. આના પર લાગુ થતા ચાર્જ T+0 માં પણ લાગુ રહેશે. તેમાં ટ્રાન્ઝેક્શન ચાર્જિસ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વગેરેનો સમાવેશ થાય છે. સેબીએ કહ્યું છે કે જો T+0 સેટલમેન્ટનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો તેનો સંપૂર્ણ લાગૂ કરવામાં આવશે.

15 માર્ચે, સેબીએ T+0 સેટલમેન્ટના બીટા વર્ઝનને મંજૂરી આપી હતી, જે 28 માર્ચ એટલે કે આવતીકાલથી લાગુ કરવામાં આવશે. આ નવા નિયમ મુજબ, જો તમે કોઈપણ શેર ખરીદો છો અથવા વેચો છો, તો તે જ દિવસે પૈસા તમારા ડીમેટ ખાતામાં આવી જશે. આ માટે તમારે બીજા દિવસની રાહ જોવાની જરૂર નહીં પડે

Top News

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ

92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
Business 
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે;  26,560 કરોડની છે સંપત્તિ

ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
National  Politics 
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ

બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું

રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
Sports 
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.