નાદાર થઈ ચૂકેલી અનિલ અંબાણીની આ કંપનીના શેરમાં આવી જબરદસ્ત તેજી, જાણો કારણ

અનિલ અંબાણીની નાદાર થઈ ચુકેલી એક કંપનીના શેરમાં છેલ્લાં પાંચ કારોબારી સેશનથી અપર સર્કિટ લાગી રહી છે. અનિલ અંબાણીની આ કંપની ભારતીય બજારોમાં લિસ્ટેડ રિલાયન્સ એડીએજીની કંપનીઓમાંથી એક છે. રિલાયન્સ કેપિટલ હાલ ટોરેન્ટ ગ્રુપ અને હિંદુજા ગ્લોબલ દ્વારા અધિગ્રહણના કારણે સમાચારમાં છે. રિલાયન્સ કેપિટલના શેર આજે NSE પર 10.65ના ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યા. આજે અપર સર્કિટ લાગ્યા બાદ આ સ્ટોક નવા વર્ષ 2023માં તમામ 5 સેશનમાં અપર સર્કિટ લગાવવામાં સફળ રહ્યા. છેલ્લાં ત્રણ દિવસોમાં આ સ્ટોક 15 ટકા સુધી વધી ચુક્યો છે. રિલાયન્સ કેપિટલ હાલ નાદારીની પ્રોસેસરમાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન દેવાના બોજા તળે દબાયેલી રિલાયન્સ કેપિટલના વેચાણની પ્રક્રિયા કાયદાકીય વિવાદોમાં છે. છેલ્લાં પાંચ વર્ષોમાં રિલાયન્સ કેપિટલના શેર 98 ટકા કરતા વધુ તૂટ્યા છે.

આ દરમિયાન શેરોની કિંમત 600 રૂપિયાથી લઈને 10.10 રૂપિયા પર આવી ગઈ. આ સ્ટોકનો 52 વીકનો હાઈ 23.30 રૂપિયા અને લો 8.70 રૂપિયા રહ્યો છે.

રિલાયન્સ કેપિટલના વેચાણનો મામલો NCLT કોર્ટમાં છે કારણ કે, ટોરેન્ટ ગ્રુપ અને હિંદુજા ગ્લોબલે તેના અધિગ્રહણ માટે 21 ડિસેમ્બેરે ઈ-નીલામીમાં ભાગ લીધો હતો. ઓક્શનમાં ટોરેન્ટ ગ્રુપ પ્રસ્તાવિત અધિગ્રહણ માટે 8640 કરોડ રૂપિયાની ઓફર સાથે બોલીમાં સૌથી ઉપર હતું. પરંતુ, બે દિવસ બાદ હિંદુજા ગ્લોબલે 9000 કરોડ રૂપિયાની સંશોધિત બોલીની રજૂઆત કરી દીધી. મામલાની સુનાવણી કરતા NCLTએ ટોરેન્ટ ગ્રુપને રાહત આપી અને રિલાયન્સ કેપિટલને હિંદુજા ગ્લોબલના નવા પ્રસ્તાવને સ્વીકાર કરવાથી અટકાવવાનો નિર્દેશ આપ્યો. આશા છે કે, NCLT આવતા અઠવાડિયે આ મામલાની સુનાવણી કરશે. રિલાયન્સ કેપિટલે કોની બોલીનો સ્વીકાર કરવો જોઈએ તે સંબંધમાં અંતિમ નિર્ણય NCLT લેશે.

કંપનીના સ્ટોકમાં આવી રહેલી સતત તેજી પર એક્સપર્ટ્સનું કહેવુ છે કે, બજાર નવા નાણાકીય વર્ષમાં કંપનીના નવા પ્રબંધન પર રિલાયન્સ કેપિટલ સ્ટોક વિશે ચર્ચા કરી રહ્યા છે. NCLT તરફથી જે પણ નિર્ણય આવે છે, બજાર આશા રાખી રહ્યું છે કે પરિણામ રિલાયન્સ કેપિટલના નાણાકીય અને કોર્પોરેટ મેનેજમેન્ટ માટે ફાયદાકારક હશે. BSE પર છેલ્લાં છ મહિનામાં આ સ્ટોક 12 ટકા કરતા વધુ નીચે ગયો છે. છેલ્લાં પાંચ વર્ષમાં આ સ્ટોકમાં ભારે ઘટાડો નોંધવામાં આવ્યો છે. 12 જાન્યુઆરી, 2018ના રોજ આ સ્ટોક 585.25 રૂપિયા પર હતો. ત્યારબાદથી અત્યારસુધી આ શેરોમાં 98 ટકા કરતા વધુનો ઘટાડો આવ્યો છે. YTD ના આધાર પર રિલાયન્સ કેપિટલના શેરોમાં 20.34 ટકાની તેજી આવી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.