અદાણીના NDTVને મોટો ઝટકો, નફો 50 ટકા ઘટ્યો, શેરના ભાવમાં ઉપલી સર્કીટ લાગી

અદાણી ગ્રુપની માલિકી વાળી કંપની નવી દિલ્હી ટેલીવિઝન લિમિટેડ (NDTV)ના કોન્સોલિડેટેડ પ્રોફિટમાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો થયો છે. ઓકટોબરથી ડિસેમ્બર મહિનાના પુરા થતા ત્રિમાસિક ગાળામાં NDTVનો નફો 15.05 કરોડ રહ્યો છે. જો કે પ્રોફિટમાં 50 ટકાનો ઘટાડો થવા છતા શેરના ભાવમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

NDTVએ શેરબજારોને મોકલેલી માહિતીમાં કહ્યું છે કે ડિસેમ્બર 2022ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીના કોન્સોલિટેડ પ્રોફીટમાં 49.76 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે આ સમાન ગાળામાં કંપનીનો નફો 29.96 કરોડ રૂપિયા હતો.નફામાં ઘટાડો થવાની જાહેરાત છતા બુધવારે NDTVના શેરનો ભાવ 217 રૂપિયાથી વધીને 227 રૂપિયા પર પહોંચી ગયો હતો.

મીડિયા કંપનીની ઓપરેટીગં આવકમાં ડિસેમ્બર 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં 9.44 ટકા ઘટીને 105.37 કરોડ રૂપિયા થઇ છે. ગયા વર્ષે આ જ સમાન ગાળામાં ઓપરેટીંગ આવક 116.36 કરોડ રૂપિયા હતી. જો કે 2022ના ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં NDTVનો ખર્ચ 4.93 ટકા વધીને 88.27 કરોડ થયો છે. જે ગયા વર્ષે આ ત્રિમાસિક ગાળામાં 84.12 કરોડ રૂપિયા હતો.

NDTVના શેરની 52 સપ્તાહની વધઘટ પર એક નજર નાંખીએ તો શરેનો ભાવ 573 રૂપિયાની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો છે જ્યારે સૌથી નીચો ભાવ 112 રૂપિયા હતો.

જો કે NDTV પ્રણવ રોય અને તેમના પત્ની રાધિકા રોયની માલિતીનું હતું જેને ગૌતમ અદાણીએ હજુ નવેમ્બર 2022માં જ હસ્તગત કર્યું છે. ગૌતમ અદાણીએ  NDTVનો એક શેર 342.65ના ભાવે ખરીદ્યો હતો કુલ  602.30 કરોડ રૂપિયાની ડીલ થઇ હતી.

એટલે આમ જોવા જઇએ તો  NDTVના જે પરિણામો જાહેર થયા છે તે ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ 3 મહિનાના સમયગાળાના છે. એટલે અદાણી ગ્રુપનું આ સમયગાળામાં યોગદાન ખાસ હતું નહીં.

હિંડનબર્ગના 24 જાન્યુઆરી 2022ના રિપોર્ટ પછી ગૌતમ અદાણીની બધી લિસ્ટેડ કંપનીઓના શેરોના ભાવ તુટ્યા હતા તેમાં NDTVના ભાવો પણ તુટ્યા હતા. પરંતુ હવે ધીમે ધીમે અદાણી ગ્રુપની કંપનીઓના શેરો ફરી રિકવર થઇ રહ્યા છે અને ફરી ઉંચાઇએ પહોંચી રહ્યા છે. NDTVના પરિણામમાં નફો ઘટવા છતા શેરનો ભાવ 5 ટકા જેટલો વધી શક્યો હતો અને ઉપલી સર્કીટ લાગી હતી

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.