અદાણીના NDTVને મોટો ઝટકો, નફો 50 ટકા ઘટ્યો, શેરના ભાવમાં ઉપલી સર્કીટ લાગી

અદાણી ગ્રુપની માલિકી વાળી કંપની નવી દિલ્હી ટેલીવિઝન લિમિટેડ (NDTV)ના કોન્સોલિડેટેડ પ્રોફિટમાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો થયો છે. ઓકટોબરથી ડિસેમ્બર મહિનાના પુરા થતા ત્રિમાસિક ગાળામાં NDTVનો નફો 15.05 કરોડ રહ્યો છે. જો કે પ્રોફિટમાં 50 ટકાનો ઘટાડો થવા છતા શેરના ભાવમાં 5 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

NDTVએ શેરબજારોને મોકલેલી માહિતીમાં કહ્યું છે કે ડિસેમ્બર 2022ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીના કોન્સોલિટેડ પ્રોફીટમાં 49.76 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે આ સમાન ગાળામાં કંપનીનો નફો 29.96 કરોડ રૂપિયા હતો.નફામાં ઘટાડો થવાની જાહેરાત છતા બુધવારે NDTVના શેરનો ભાવ 217 રૂપિયાથી વધીને 227 રૂપિયા પર પહોંચી ગયો હતો.

મીડિયા કંપનીની ઓપરેટીગં આવકમાં ડિસેમ્બર 2022ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં 9.44 ટકા ઘટીને 105.37 કરોડ રૂપિયા થઇ છે. ગયા વર્ષે આ જ સમાન ગાળામાં ઓપરેટીંગ આવક 116.36 કરોડ રૂપિયા હતી. જો કે 2022ના ડિસેમ્બર મહિનામાં પુરા થતા ત્રિમાસિક ગાળામાં NDTVનો ખર્ચ 4.93 ટકા વધીને 88.27 કરોડ થયો છે. જે ગયા વર્ષે આ ત્રિમાસિક ગાળામાં 84.12 કરોડ રૂપિયા હતો.

NDTVના શેરની 52 સપ્તાહની વધઘટ પર એક નજર નાંખીએ તો શરેનો ભાવ 573 રૂપિયાની સૌથી ઉંચી સપાટીએ પહોંચ્યો છે જ્યારે સૌથી નીચો ભાવ 112 રૂપિયા હતો.

જો કે NDTV પ્રણવ રોય અને તેમના પત્ની રાધિકા રોયની માલિતીનું હતું જેને ગૌતમ અદાણીએ હજુ નવેમ્બર 2022માં જ હસ્તગત કર્યું છે. ગૌતમ અદાણીએ  NDTVનો એક શેર 342.65ના ભાવે ખરીદ્યો હતો કુલ  602.30 કરોડ રૂપિયાની ડીલ થઇ હતી.

એટલે આમ જોવા જઇએ તો  NDTVના જે પરિણામો જાહેર થયા છે તે ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ 3 મહિનાના સમયગાળાના છે. એટલે અદાણી ગ્રુપનું આ સમયગાળામાં યોગદાન ખાસ હતું નહીં.

હિંડનબર્ગના 24 જાન્યુઆરી 2022ના રિપોર્ટ પછી ગૌતમ અદાણીની બધી લિસ્ટેડ કંપનીઓના શેરોના ભાવ તુટ્યા હતા તેમાં NDTVના ભાવો પણ તુટ્યા હતા. પરંતુ હવે ધીમે ધીમે અદાણી ગ્રુપની કંપનીઓના શેરો ફરી રિકવર થઇ રહ્યા છે અને ફરી ઉંચાઇએ પહોંચી રહ્યા છે. NDTVના પરિણામમાં નફો ઘટવા છતા શેરનો ભાવ 5 ટકા જેટલો વધી શક્યો હતો અને ઉપલી સર્કીટ લાગી હતી

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.