10000 કરોડની કંપની, CIBIL સ્કોર 800થી વધુ, છતા બેંકે હોમ લોન નકારી કાઢી; જાણો શા માટે

1.2 અરબ ડૉલર (આશરે 10,000 કરોડ રૂપિયા)ની વેલ્યુવાળી ફિનટેક કંપનીના સ્થાપક દ્વારા કરવામાં આવેલી હોમ લોન અરજીને બેંક દ્વારા નકારી કાઢવામાં આવી હતી. ભારતીય સ્થાપકે જણાવ્યું હતું કે, તેમની હોમ લોન એટલા માટે નકારી કાઢવામાં આવી હતી કે, બેંક કંપનીના સ્થાપકોને 'હાઈ રિસ્ક'ની શ્રેણીમાં મૂકે છે.

રેઝ ફાઇનાન્શિયલ સર્વિસીસના સ્થાપક અને CEO પ્રવીણ જાધવે સોશિયલ મીડિયા પર પોતાની આ મુસીબત પર વ્યંગ કર્યો હતો. તેમણે લખ્યું કે, જે બેંકે તેમની લોન નકારી કાઢી હતી તેણે તાજેતરમાં જ તેમને ટોચના ફિનટેક ઇનોવેટર તરીકે સન્માનિત કર્યા હતા.

જાધવે તેમની X (અગાઉ ટ્વિટર) પોસ્ટમાં લખ્યું, 'એક કંપની સ્થાપકનું જીવન મુશ્કેલ છે! મારી હોમ લોન અરજી એક મોટી ખાનગી બેંક દ્વારા નકારી કાઢવામાં આવી હતી. કારણ એટલું જ હતું કે હું એક કંપનીનો સ્થાપક છું.'

Pravin Jadhav
bfsi.eletsonline.com

ઓક્ટોબર 2025માં, સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ વેલ્થની પેરેન્ટ કંપની રેઝે હોર્નબિલ કેપિટલની આગેવાની હેઠળ સિરીઝ B ફંડિંગ રાઉન્ડમાં 120 મિલિયન ડૉલર (આશરે 1000 કરોડ રૂપિયા) એકત્ર કર્યા. આ ભંડોળથી મુંબઈ સ્થિત ફિનટેક કંપનીનું મૂલ્યાંકન 1.2 અરબ ડૉલર થઇ ગયું, જેનાથી તે યુનિકોર્ન ક્લબમાં જોડાઈ ગઈ.

Rayzના 3 સહ-સ્થાપકોમાંના એક તરીકે, જાધવ પાસે અસંખ્ય ઉદ્યોગસાહસિક સિદ્ધિઓ છે, છતાં બેંક તેમને 'ઉચ્ચ જોખમ' લેનારા માને છે. તેમની વિશ્વસનીયતા સાબિત કરવા માટે, Rayz ફાઇનાન્શિયલ સર્વિસીસના સ્થાપકે X પર તેમની લાયકાતોની યાદી બતાવવાનું શરૂ કર્યું.

તેમણે જણાવ્યું હતું કે તેઓ 25 વર્ષથી વધુ લાંબા સમયથી બેંકના ગ્રાહક છે. સંપત્તિની દ્રષ્ટિએ, જાધવે કહ્યું કે તેઓ કદાચ બેંકના ટોચના 0.1 ટકા ગ્રાહકોમાં આવે છે. તેમણે ઉમેર્યું, 'આ બેંક સાથેનો સંબંધ (થાપણો/રોકાણ) લોનની રકમના 5-6 ગણો છે.' અને તેમનો CIBIL સ્કોર 800થી વધુ છે, જે ખૂબ સારો માનવામાં આવે છે. આ બધા છતાં, એક મોટી ખાનગી બેંકે તેમની હોમ લોન અરજી ફગાવી દીધી.

Pravin Jadhav
venkateshbuildcon.com

મુંબઈ સ્થિત સ્થાપકે મજાકથી લખ્યું, 'અને વિડંબના એ છે કે આ જ બેંકે મને ટોચના ફિનટેક ઇનોવેટર અથવા તેના જેવું કંઈક કહીને સન્માનિત કર્યો હતો...' તેમણે પોતાની પોસ્ટનો અંત એક દુઃખદ મજાક સાથે કર્યો, જેમાં તેમણે કહ્યું કે, તેમના કર્મચારીઓની હોમ લોન અરજીઓ મંજૂર થઈ શકે છે, પરંતુ તેમને આખી જિંદગી ઓફિસમાં જ રહેવું પડશે.

જાધવે કટાક્ષ કર્યો, 'તેઓ અમારી કંપનીના કર્મચારીઓને લોન આપી શકે છે, પરંતુ મને નહીં, કારણ કે એક સ્થાપક તરીકે, હું 'ઉચ્ચ જોખમ' શ્રેણીમાં છું. એવું લાગે છે કે મારે આખી જિંદગી ઓફિસમાં જ રહેવું પડશે...' જોકે, જાધવે પોતાની પોસ્ટમાં બેંકનું નામ જણાવ્યું ન હતું.

About The Author

Related Posts

Top News

10000 કરોડની કંપની, CIBIL સ્કોર 800થી વધુ, છતા બેંકે હોમ લોન નકારી કાઢી; જાણો શા માટે

1.2 અરબ ડૉલર (આશરે 10,000 કરોડ રૂપિયા)ની વેલ્યુવાળી ફિનટેક કંપનીના સ્થાપક દ્વારા કરવામાં આવેલી હોમ લોન અરજીને બેંક દ્વારા નકારી...
Business 
10000 કરોડની કંપની, CIBIL સ્કોર 800થી વધુ, છતા બેંકે હોમ લોન નકારી કાઢી; જાણો શા માટે

શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

દેશે 15 ઑગસ્ટે પોતાની સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠ ઉજવી. ‘વંદે માતરમ’માં છ અંતરા છે, પરંતુ ફક્ત...
Politics 
શું સોનિયા ગાંધીએ પાર્ટીના કાર્યકરોને વંદે માતરમ ગાતા અટકાવ્યા? કોંગ્રેસે ભાજપના આરોપનો આપ્યો જવાબ

જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

તેલંગાણાના એક નાના ગામમાં જન્મેલી જ્યોતિ રેડ્ડી 4 બહેનોમાં સૌથી નાની હતી. તેના પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી નબળી હતી કે...
Business 
જ્યોતિ રેડ્ડીઃ જેમણે અનાથાશ્રમમાં બાળપણ વિતાવ્યું, 5 રૂપિયામાં મજૂરી કરી, અત્યારે છે 1500 કરોડની કંપનીના માલિક

81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી... તમે કદાચ આ કહેવત સાંભળી હશે, પરંતુ જ્યારે તે સાચી સાબિત થાય છે ત્યારે...
World 
81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.