શું પાડોશી નાદાર થાય તો તમને લોન નહીં મળે! આ વિશે સંસદમાં નાણામંત્રીએ આપ્યો જવાબ

સોમવારે સંસદમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેણે નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ આશ્ચર્યચકિત કરી દીધા. એક વિપક્ષી સાંસદે સંસદમાં કહ્યું કે, એક ગામમાં 2-3 લોકો ડિફોલ્ટ થયા પછી, સરકારી બેંકો આખા ગામને લોન આપવાનો ઇનકાર કરે છે.

શું તમે જાણો છો કે જો તમારો પાડોશી લોન લીધા પછી બેંકોને પૈસા પરત ન કર્યા, અને નાદાર થઇ ગયો તો બેંકો તમને લોન આપવાનો પણ ઇનકાર કરી શકે છે. ઓછામાં ઓછું સંસદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા પરથી તો એવું લાગે છે. જ્યારે વિપક્ષે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આનો જવાબ આપવો પડ્યો. જો તમારી સાથે આવો કિસ્સો બને તો તમે તેની ફરિયાદ કોને અને ક્યાં કરી શકો.

હકીકતમાં, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સોલાપુર (મહારાષ્ટ્ર)ના સાંસદ પ્રણિતી સુશીલકુમાર શિંદેએ સંસદમાં એક મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, 'રાષ્ટ્રીય બેંકોએ ઘણા ગામોને દત્તક લીધા હોય છે. પરંતુ એક જ ગામમાં 2-3 ડિફોલ્ટર થાય તો આખા ગામને તેની કિંમત ચૂકવવી પડે છે. બેંકો ગામના બાકીના લોકોને લોન આપવાનો ઇનકાર કરે છે, જેમાં ખેડૂતો અને યુવાનો પણ સામેલ છે. જો હું DMને ફરિયાદ કરું તો તે કહે છે કે તે મારા નિયંત્રણમાં નથી. તે RBIના નિયંત્રણ હેઠળ છે. આવી સ્થિતિમાં ઘણા ગામોના લોકો મુદ્રા લોન મેળવી શકતા નથી. તો શું આ અંગે કંઈ કરવામાં આવશે?

વિપક્ષના સવાલ પર નાણામંત્રીએ બેંકોનો પક્ષ રજૂ કર્યો. તેમણે કહ્યું કે, આ બાબત બેંકોના કામ કરવાની રીતમાં બંધબેસતી નથી. પરંતુ, જો કોઈ વિસ્તારમાં આવું થતું હશે તો હું તેને ખૂબ જ ગંભીરતાથી લઈશ. મુદ્રા લોનનું વિતરણ આ રીતે થતું નથી. બેંકો આ કરી શકતી નથી. હું નિશ્ચિતપણે કહી શકતી નથી કે, આવું થશે. જો આમ થતું જ હશે તો પણ આ અંગે સંપૂર્ણ માહિતી લેવામાં આવશે અને સમસ્યાનો ઉકેલ જોવામાં આવશે.

બેંકિંગ મામલાના નિષ્ણાતોએ પણ આવા કેસને નકારી કાઢ્યા છે. વોઈસ ઓફ બેંકિંગના જનરલ સેક્રેટરી અશ્વિની રાણા કહે છે કે, બેંકો આવી પ્રેક્ટિસ કરતી નથી. જો આવો કિસ્સો સામે આવ્યો હોય તો તે વ્યક્તિગત ધોરણે થયો હશે. સામાન્ય રીતે બેંકો આવું કરતી નથી. SBIના મેરઠ બ્રાન્ચ મેનેજર વિકાસ પણ આવું જ કહે છે. તેમણે કહ્યું કે હાલમાં આવો કોઈ મામલો મારા ધ્યાન પર આવ્યો નથી અને દરેક વ્યક્તિની વ્યક્તિગત સ્થિતિ અનુસાર લોનનું વિતરણ નક્કી કરવામાં આવે છે. એક વ્યક્તિની ભૂલની સજા દરેકને ન આપી શકાય.

જો બેંક તમને કોઈપણ માન્ય કારણ વગર લોન આપવાનો ઇનકાર કરે અને એક મહિનામાં ફરિયાદોનું નિરાકરણ ન લાવે, તો RBI લોકપાલને ફરિયાદ કરી શકાય છે. રિઝર્વ બેંકે સામાન્ય માણસને ઓનલાઈન ફરિયાદ કરવાની સુવિધા પૂરી પાડી છે. તમારે https://rbi.org.in/Scripts/Complaints.aspx પોર્ટલ પર જવું પડશે. અહીં જરૂરી માહિતી આપ્યા પછી, તમે તમારી ફરિયાદની વિગતો દાખલ કરી શકો છો. RBI આના પર તુરંત મફત અને કડક પગલાં લે છે અને તમારી ફરિયાદનું ટૂંક સમયમાં નિરાકરણ પણ કરવામાં આવશે.

Related Posts

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.