ચૂંટણી રિઝલ્ટના કારણે 3 દિવસમાં આ શહેરમાં જમીનના દરો બમણા, વિદેશથી ડિમાન્ડ

On

દેશમાં ત્રીજી વખત મોદી સરકાર આવ્યા પછી જાણે આંધ્રપ્રદેશ, અમરાવતી અને રાજ્યના ભાવિ CM ચંદ્રબાબુ નાયડુ માટે સારા દિવસો આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ચંદ્રબાબુ નાયડુ 12 જૂને અમરાવતીમાં આંધ્રપ્રદેશના CM તરીકે શપથ લેશે. પરંતુ, આ પહેલા આ શહેરમાં જમીનની કિંમત 3 દિવસમાં બમણી થઈ ગઈ છે. હકીકતમાં ચંદ્ર બાબુ નાયડુએ અમરાવતીને આંધ્ર પ્રદેશની ગ્રીન કેપિટલ તરીકે વિકસાવવાની વાત કરી છે. આવી સ્થિતિમાં અહીં પ્રોપર્ટીની કિંમતો ઝડપથી વધી છે. ચંદ્રબાબુ નાયડુ 2014 થી 2019 સુધી રાજ્યના CM હતા. તે સમયે ચંદ્રબાબુ નાયડુએ અમરાવતીને રાજધાની બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગ્રીનફિલ્ડ રાજધાની અમરાવતીને પર્યાવરણની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ બનાવવાનું સપનું જોયું હતું. આ શહેર વિજયવાડા અને ગુંટુર શહેરોની વચ્ચે આવેલું છે અને તેમાં 29 ગામો છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, લોકસભા ચૂંટણીના પરિણામો પછી આંધ્રપ્રદેશના અમરાવતી શહેરમાં રિયલ એસ્ટેટના ભાવમાં 50 થી 100 ટકાનો વધારો થયો છે. ચંદ્રાબાબુ નાયડુ શરૂઆતથી જ અમરાવતી શહેરને રાજધાની તરીકે વિકસાવવામાં રસ ધરાવતા હોવાથી આગામી દિવસોમાં આ જાહેરાત કરવામાં આવે તો અમરાવતીને ઘણો ફાયદો થશે. આ સંભાવનાને કારણે અમરાવતીમાં જમીન અને મિલકતની કિંમતો ઝડપથી વધી છે.

2019માં, અમરાવતીમાં જમીનના ભાવ 25,000 થી 60,000 ચોરસ યાર્ડ હતા. જગન મોહન રેડ્ડીની સરકાર બન્યા પછી, ભાવ 9000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા પ્રતિ ચોરસ યાર્ડ થઈ ગયા. હવે, ચંદ્રબાબુ નાયડુના સત્તામાં પાછા ફર્યા પછી, અહીં જમીનના ભાવ પ્રતિ ચોરસ યાર્ડ રૂ. 30,000 થી રૂ. 60,000 સુધી પહોંચી ગયા છે.

અમરાવતીમાં શૈક્ષણિક સંસ્થા, હાઈકોર્ટ, વિધાનસભા, સચિવાલય અને કેન્દ્ર સરકારની સંસ્થાઓ પાસે જમીનની સૌથી વધુ માંગ છે. રિટેલર્સ, દલાલો અને ખેડૂતોને અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી જમીન ખરીદવાની ઓફર મળી રહી છે.

શહેરના ખેડૂતોને આશા છે કે, ચંદ્રબાબુ નાયડુ 12 જૂને CM તરીકે શપથ લેશે અને PM મોદી શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. જો આ અવસર પર અમરાવતીને લઈને કોઈ મોટી જાહેરાત કરવામાં આવશે તો અહીંની જમીનના ભાવમાં વધુ વધારો થશે. અગાઉ 2019માં, ભૂતપૂર્વ CM YS જગન મોહન રેડ્ડીએ 2019 માં 3 રાજધાનીઓની યોજનાની જાહેરાત કર્યા પછી અમરાવતીમાં જમીનના ભાવમાં ઘટાડો થયો હતો. પરંતુ, હવે સરકારની સાથે સાથે પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ છે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.