અંબાણી લાવી રહ્યા છે જીવન માટે જરૂરી ડિવાઈસ, કરશે આ મહત્ત્વનું કામ, કિંમત 12000

પેટ્રોલિયમ, ટેક્સટાઇલ, કેમિકલ અને સર્વિસીસ. આ સેક્ટરમાં બિઝનેસ બાદ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે હેલ્થકેર સેક્ટરમાં કંઈક નવુ કરવા જઈ રહ્યા છે. આ નવુ છે જીનોમ ટેસ્ટિંગ સાથે જોડાયેલું. રિલાયન્સ ગ્રુપ જીનોમ ટેસ્ટિંગ માટે એક કિટ લાવવાનો પ્લાન બનાવી રહ્યું છે. એવુ કહેવામાં આવી રહ્યું છે કે, આ કિટ બજારમાં હાલ ઉપલબ્ધ ટેસ્ટિંગ કિટ કરતા આશરે 86 ટકા સુધી સસ્તી હશે. એટલે કે રિલાયન્સ ગ્રુપ જિનેટિક મેપિંગ બિઝનેસમાં પોતાનો પગ જમાવવા જઈ રહ્યું છે. શું હોય છે જિનેટિક મેપિંગ તે જાણી લો.

બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર, અમેરિકી સ્ટાર્ટઅપ ‘23andMe’ દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્થ કેર ટ્રેન્ડને અંબાણી ભારતમાં લાવવાનો પ્લાન બનાવી રહ્યા છે. તે સાથે જ રિલાયન્સ ગ્રુપ ભારતમાં હેલ્થકેરની સુવિધાઓને સસ્તી બનાવવાનું કામ પણ કરશે. ગ્રુપ આવનારા અઠવાડિયાઓમાં 12 હજાર રૂપિયાની કિંમતવાળી જીનોમ ટેસ્ટિંગ કિટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. મીડિયાને આ જાણકારી સ્ટ્રેંડ લાઇફ સાયન્સીસ પ્રાઈવેટના CEO રમેશ હરિહરને આપી છે. આ પ્રોડક્ટ આ જ કંપનીએ બનાવી છે.

જાણકારી અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે બેંગલુરુની આ કંપનીને વર્ષ 2021માં ખરીદી હતી. વર્તમાનમાં રિલાયન્સ ગ્રુપની પાસે આ કંપનીની 80 ટકા હિસ્સેદારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિટની જાણકારી આપતા રમેશ હરિહરને કહ્યું, આ કિટ કેન્સર, હાર્ટ એટેક, ન્યૂરો સાથે સંકળાયેલી બીમારીઓ અને જીનેટિક ડિસઓર્ડર વિશે કોઈ વ્યક્તિની પ્રવૃત્તિનું આંકલન કરવામાં મદદ કરશે. આ કિટ દ્વારા પહેલાથી જ એ જાણકારી મેળવવામાં મદદ મળશે કે કોઈ વ્યક્તિને કોઈ બીમારી થવાની કેટલી સંભાવના છે.

હરિહરને આગળ કહ્યું કે, આ દુનિયામાં આ પ્રકારનું સૌથી સસ્તું જીનોમિક પ્રોફાઈલ હશે. એટલું જ નહીં તેનાથી બાયોલોજિકલ ડેટાનો એક ખજાનો તૈયાર કરવામાં પણ મદદ મળશે. આ ક્ષેત્રમાં દવાઓના વિકાસ અને બીમારીઓથી બચવામાં મદદનો રસ્તો ખુલશે.

ભારતમાં જીનોમ મેપિંગ માટે જે કિટ ઉપલબ્ધ છે, તેના ભાવ સામાન્ય માણસ માટે ખૂબ જ વધુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માર્કેટમાં કોમ્પિટિશન વધારીને રિલાયન્સ ગ્રુપ આ સેક્ટરમાં પોતાનો પગ જમાવવા માંગે છે. આ ઉપરાંત, આવનારા સમયમાં જીનેટિક ટેસ્ટિંગ માર્કેટની વેલ્યૂએશન વધવાનું અનુમાન પણ છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, અંબાણી ગ્રુપ જીનેટિક ટેસ્ટિંગના માર્કેટ પર કબ્જો કરવા માટે રિલાયન્સ ગ્રુપ જીનોમ ટેસ્ટિંગ બિઝનેસ તરફ જોઈ રહ્યું છે. આ બધા ઉપરાંત, ડેટાની વાત તો છે જ. જીનોમ ટેસ્ટિંગ સર્વિસથી મોટા સ્તર પર બાયોલોજિકલ ડેટા તૈયાર કરવામાં મદદ મળશે. જેના કારણે બીમારી અને સારવાર અંગે જાણકારી મેળવવામાં પણ મદદ મળશે.

શું હોય છે જીનોમ?

તેને સમજતા પહેલા યાદ કરીએ આપણું બ્રહ્માંડ. જે લાખો-કરોડો ગ્રહો અને તારાઓના સમૂહથી બનેલું હોય છે. આ રીતે બ્રહ્માંડ રૂપી આપણું શરીર પણ નાના-નાના સેલ/કોશિકાઓ માંથી બનેલું છે લાખો-કરોડો કોશિકાઓનું. આ કોશિકાઓની અંદર જીનેટિક મટિરિયલ હોય છે. જેને DNA, RNA ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ તમામ જીનેટિક મટિરિયલને સામુહિકરીતે જીનોમ કહેવામાં આવે છે.

જે રીતે પૃથ્વી અને સૂર્ય અથવા ચંદ્રમાનું અંતર માપવામાં આવે છે, એ જ રીતે એક જીનના સ્થાન અને જીનની વચ્ચેના અંતરની ઓળખ કરવા માટે એક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટેકનિકને જીનોમ મેપિંગ કહેવામાં આવે છે. આ જ ટેસ્ટ માટે રિલાયન્સ ગ્રુપ એક કિટ લોન્ચ કરવાનું છે.

હવે વાત કરીએ જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટની. જીનોમ સિક્વન્સિંગ કોઈ વાયરસનો બાયોડેટા હોય છે. એટલે કે જો આપણી કોશિકાઓમાં કોઈ વાયરસનું આક્રમણ થયુ, તો વાયરસની જાણકારી જીનોમ સિક્વન્સિંગ દ્વારા મળે છે.

જીનોમ મેપિંગનો શું છે ફાયદો?

જીનોમ મેપિંગની મદદથી કોઈ માણસની બીમારી અંગે જાણકારી મેળવી શકાય છે. તેને કઈ બીમારી થઈ શકે છે, તેના કયા લક્ષણ હોઈ શકે છે, આ બધુ જ જીનોમ મેપિંગ તમને જણાવે છે.

એટલું જ નહીં, જીનોમ મેપિંગ દ્વારા એ પણ જાણકારી મેળવી શકાય છે કે આપણા દેશના લોકો બાકી દેશોના લોકો કરતા કઈ રીતે અલગ છે અને જો તેમા કોઈ સમાનતા છે તો તે કઈ છે? તેની આગળ એ પણ જાણકારી મેળવી શકાય છે કે, ગુણ કઈ રીતે ડિસાઈડ થાય છે તથા બીમારીઓથી કઈ રીતે બચી શકાય છે. સમય રહેતા બીમારી અંગે જાણકારી મળવાથી તેની સચોટ સારવાર પણ શોધી શકાય છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.