વારંવાર ટેક્સ ઘટાડાની માંગ ન કરો, સરકારને પણ ભંડોળની જરૂર છેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વિનંતી કરીને વારંવાર કર ઘટાડાની માંગ ન કરવા જણાવ્યું છે. બુધવારે એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે સરકારને પણ ભંડોળની જરૂર હોય છે અને આ માટે કરવેરા લેવા જરૂરી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ વધુમાં કહ્યું, 'GST અને અન્ય કરમાં વારંવાર ઘટાડો કરવાની માંગ ન કરો, તે એક સતત ચાલી આવતી પ્રક્રિયા છે. જો અમે કર ઘટાડીશું, તો તમે તેનાથી વધુ કર ઘટાડાની માંગ કરશો, કારણ કે આ એક માનવ સ્વભાવ છે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે, કર લીધા વિના કેન્દ્ર સરકાર ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ કેવી રીતે ચલાવશે?'

Nitin Gadkari
moneycontrol.com

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, સરકાર દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને 9 ટકા કરવા માટે કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું, 'હાલમાં ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ 14 ટકાથી 16 ટકા જેટલો છે, પરંતુ આગામી બે વર્ષમાં તે ઘટીને 9 ટકા જેટલો થઈ જવાની શક્યતા છે. આનાથી ભારતીય ઉદ્યોગો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.'

ચીન અને અમેરિકાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, ચીનમાં લોજિસ્ટિક્સ ખર્ચ હાલમાં 8 ટકા છે, જ્યારે અમેરિકા અને યુરોપમાં તે 12 ટકાની નજીક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કેભારત પણ ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરશે.

Nitin Gadkari
businesstoday.in

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે, પરંતુ ગુણવત્તા સાથે સમાધાન ન કરશો. તેમણે વધુમાં કહ્યું, 'તમે માત્ર સંપત્તિ સર્જક જ નથી પણ નોકરી આપનાર પણ છો. આપણે આ સુવર્ણ કાળનો લાભ ઉઠાવવો જોઈએ અને દેશને વિકાસની દિશામાં આગળ વધારવા માટે તેની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી જોઈએ.'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આયાત ઘટાડવી પડશે અને નિકાસ વધારવી પડશે. તેમણે કહ્યું કે, દેશને વિકસિત બનાવવા માટે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું ખુબ જ જરૂરી છે.

Related Posts

Top News

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

સરકારી કર્મચારીના નિધન બાદ સામે આવી 2 પત્નીઓ, બંનેના નામ શીલા દેવી; માગી રહી છે LICના પૈસા

ઝારખંડના બોકારોમાં એક CCL કર્મચારીના મોત બાદ વીમાના પૈસા લેવા 2 મહિલાઓએ દાવો કર્યો છે. ખાસ વાત એ છે કે...
National 
સરકારી કર્મચારીના નિધન બાદ સામે આવી 2 પત્નીઓ, બંનેના નામ શીલા દેવી; માગી રહી છે LICના પૈસા

સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રાહક કમિશનના પ્રમુખો અને સભ્યોની નિમણૂક માટેના નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી 

સુપ્રીમ કોર્ટે દેશભરના રાજ્ય ગ્રાહક કમિશનોના અને જીલ્લા ગ્રાહક કમિશનોના પ્રમુખો તેમજ સભ્યોની નિમણૂક માટેના નિયમો અને કાર્યવાહીઓ અંગે માર્ગદર્શક...
Gujarat 
સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રાહક કમિશનના પ્રમુખો અને સભ્યોની નિમણૂક માટેના નવા નિયમો અંગે માર્ગદર્શિકા જારી 

ટ્રેનમાં ખોવાયેલું પર્સ ગુજરાતીએ 4 દિવસ બાદ પાછું આપતા વિદેશી મહિલા રડી પડી, તેણે કહ્યું, 'ભારતના લોકો, ખરેખર...'

ગુજરાતના ભુજ જિલ્લામાં એક અમેરિકન પ્રવાસી સ્ટેફ સાથે એક હૃદયસ્પર્શી ઘટના બની. સ્ટેફનું પાકીટ ટ્રેનમાં ખોવાઈ ગયું પણ એક સ્થાનિક...
Offbeat 
ટ્રેનમાં ખોવાયેલું પર્સ ગુજરાતીએ 4 દિવસ બાદ પાછું આપતા વિદેશી મહિલા રડી પડી, તેણે કહ્યું, 'ભારતના લોકો, ખરેખર...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.