વારંવાર ટેક્સ ઘટાડાની માંગ ન કરો, સરકારને પણ ભંડોળની જરૂર છેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વિનંતી કરીને વારંવાર કર ઘટાડાની માંગ ન કરવા જણાવ્યું છે. બુધવારે એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે સરકારને પણ ભંડોળની જરૂર હોય છે અને આ માટે કરવેરા લેવા જરૂરી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ વધુમાં કહ્યું, 'GST અને અન્ય કરમાં વારંવાર ઘટાડો કરવાની માંગ ન કરો, તે એક સતત ચાલી આવતી પ્રક્રિયા છે. જો અમે કર ઘટાડીશું, તો તમે તેનાથી વધુ કર ઘટાડાની માંગ કરશો, કારણ કે આ એક માનવ સ્વભાવ છે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે, કર લીધા વિના કેન્દ્ર સરકાર ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ કેવી રીતે ચલાવશે?'

Nitin Gadkari
moneycontrol.com

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, સરકાર દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને 9 ટકા કરવા માટે કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું, 'હાલમાં ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ 14 ટકાથી 16 ટકા જેટલો છે, પરંતુ આગામી બે વર્ષમાં તે ઘટીને 9 ટકા જેટલો થઈ જવાની શક્યતા છે. આનાથી ભારતીય ઉદ્યોગો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.'

ચીન અને અમેરિકાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, ચીનમાં લોજિસ્ટિક્સ ખર્ચ હાલમાં 8 ટકા છે, જ્યારે અમેરિકા અને યુરોપમાં તે 12 ટકાની નજીક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કેભારત પણ ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરશે.

Nitin Gadkari
businesstoday.in

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે, પરંતુ ગુણવત્તા સાથે સમાધાન ન કરશો. તેમણે વધુમાં કહ્યું, 'તમે માત્ર સંપત્તિ સર્જક જ નથી પણ નોકરી આપનાર પણ છો. આપણે આ સુવર્ણ કાળનો લાભ ઉઠાવવો જોઈએ અને દેશને વિકાસની દિશામાં આગળ વધારવા માટે તેની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી જોઈએ.'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આયાત ઘટાડવી પડશે અને નિકાસ વધારવી પડશે. તેમણે કહ્યું કે, દેશને વિકસિત બનાવવા માટે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું ખુબ જ જરૂરી છે.

Related Posts

Top News

કુમાર મંગલમ બિરલાને USISPF ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત: ભારત માટે ગૌરવની ક્ષણ

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ અને આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાને યુનાઇટેડ સ્ટેટ્સ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ (USISPF) દ્વારા...
Business 
કુમાર મંગલમ બિરલાને USISPF ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત: ભારત માટે ગૌરવની ક્ષણ

દીકરાને અચાનક મળ્યો એક કાગળ, પિતાએ 1995માં 1 લાખના શેર ખરીદેલા, હવે આટલા કરોડનો માલિક થઈ ગયો

એવું કહેવાય છે કે નસીબ ક્યારે કોના દરવાજા ખટખટાવશે તે કહી શકાતું નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી હોઈ શકે છે...
Business 
દીકરાને અચાનક મળ્યો એક કાગળ, પિતાએ 1995માં 1 લાખના શેર ખરીદેલા, હવે આટલા કરોડનો માલિક થઈ ગયો

સ્ટેનલી લાઇફસ્ટાઇલ અને શિવાલિક ગ્રુપે સુરતમાં હાઇબ્રિડ સ્ટોર સ્ટેનલી બુટિક એન્ડ સોફાસ & મોર લોન્ચ કર્યો

સુરત: ભારતના અગ્રણી લક્ઝરી ફર્નિચર અને હોમ ડેકોર બ્રાન્ડ સ્ટેનલી લાઇફસ્ટાઇલ, શિવાલિક ગ્રુપ સાથે મળીને સુરતમાં એક નવો હાઇબ્રિડ સ્ટોર...
Gujarat 
સ્ટેનલી લાઇફસ્ટાઇલ અને શિવાલિક ગ્રુપે સુરતમાં હાઇબ્રિડ સ્ટોર સ્ટેનલી બુટિક એન્ડ સોફાસ & મોર લોન્ચ કર્યો

10 લાખની લાંચ લેતા IAS અધિકારીની ધરપકડ, ઘરમાં તેનાથી પણ મોટી રકમ મળી આવી!

ઓડિશામાં એક IAS અધિકારી 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે. એટલું જ નહીં, જ્યારે અધિકારીઓએ તેમના સરકારી નિવાસસ્થાનની...
National 
10 લાખની લાંચ લેતા IAS અધિકારીની ધરપકડ, ઘરમાં તેનાથી પણ મોટી રકમ મળી આવી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.