વારંવાર ટેક્સ ઘટાડાની માંગ ન કરો, સરકારને પણ ભંડોળની જરૂર છેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને વિનંતી કરીને વારંવાર કર ઘટાડાની માંગ ન કરવા જણાવ્યું છે. બુધવારે એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ ચલાવવા માટે સરકારને પણ ભંડોળની જરૂર હોય છે અને આ માટે કરવેરા લેવા જરૂરી છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ વધુમાં કહ્યું, 'GST અને અન્ય કરમાં વારંવાર ઘટાડો કરવાની માંગ ન કરો, તે એક સતત ચાલી આવતી પ્રક્રિયા છે. જો અમે કર ઘટાડીશું, તો તમે તેનાથી વધુ કર ઘટાડાની માંગ કરશો, કારણ કે આ એક માનવ સ્વભાવ છે. પરંતુ આપણે એ પણ સમજવું જોઈએ કે, કર લીધા વિના કેન્દ્ર સરકાર ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓ કેવી રીતે ચલાવશે?'

Nitin Gadkari
moneycontrol.com

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એમ પણ કહ્યું કે, સરકાર દેશમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડીને 9 ટકા કરવા માટે કામ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું, 'હાલમાં ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ 14 ટકાથી 16 ટકા જેટલો છે, પરંતુ આગામી બે વર્ષમાં તે ઘટીને 9 ટકા જેટલો થઈ જવાની શક્યતા છે. આનાથી ભારતીય ઉદ્યોગો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.'

ચીન અને અમેરિકાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, ચીનમાં લોજિસ્ટિક્સ ખર્ચ હાલમાં 8 ટકા છે, જ્યારે અમેરિકા અને યુરોપમાં તે 12 ટકાની નજીક છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કેભારત પણ ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં વધુ સારું પ્રદર્શન કરશે.

Nitin Gadkari
businesstoday.in

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઉદ્યોગોને ઉત્પાદન ખર્ચ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે, પરંતુ ગુણવત્તા સાથે સમાધાન ન કરશો. તેમણે વધુમાં કહ્યું, 'તમે માત્ર સંપત્તિ સર્જક જ નથી પણ નોકરી આપનાર પણ છો. આપણે આ સુવર્ણ કાળનો લાભ ઉઠાવવો જોઈએ અને દેશને વિકાસની દિશામાં આગળ વધારવા માટે તેની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી જોઈએ.'

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું કે, ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આયાત ઘટાડવી પડશે અને નિકાસ વધારવી પડશે. તેમણે કહ્યું કે, દેશને વિકસિત બનાવવા માટે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું ખુબ જ જરૂરી છે.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.