ભારતમાં કોણે મહિનામાં 200 Kg સોનું ખરીદ્યું, તિજોરી સોનાથી ભરેલી છે

એક બાજુ ભલે સોનાના ભાવ ઘટી રહ્યા હોય, પરંતુ તે મધ્યમ વર્ગની પહોંચની બહાર જ રહેલું છે. દિવાળી પછી ભાવમાં થઇ રહેલા ઘટાડો પછી પણ, 10 ગ્રામ સોનાની કિંમત હજુ પણ 10 ગ્રામ દીઠ 1.20 લાખ રૂપિયાથી વધુ છે. આનો અર્થ એ થયો કે 10 ગ્રામ સોનાની બુટ્ટી બનાવવા માટે તમારે 1.25 લાખ રૂપિયા (GST અને મેકિંગ ચાર્જ સહિત) ખર્ચ કરવો પડશે. સોનાની ઊંચી કિંમતને કારણે તેની માંગ પણ ઘટી ગઈ છે, પરંતુ ભારત એવું કોઈક છે જે આટલા ઊંચા ભાવ હોવા છતાં પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહ્યું છે.

Gold-Increased.jpg-3

ભલે સોનું તમારી પહોંચની બહાર હોય, પણ ભારતમાં એવું કોઈક તો છે જે આટલા ઊંચા ભાવ હોવા છતાં પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહ્યું છે. તેણે ફક્ત સપ્ટેમ્બરમાં જ 0.2 મેટ્રિક ટન અથવા લગભગ 200 કિલો સોનું ખરીદી લીધું છે. નાણાકીય વર્ષ 2025-26ના પહેલા છ મહિનામાં તેની પાસે 880 મેટ્રિક ટન સોનાનો ખજાનો ભરેલો છે. આપણે વાત કરી રહ્યા છીએ ભારતની કેન્દ્રીય બેંક, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) વિશે. સપ્ટેમ્બરમાં RBI0.2 ટન એટલે કે આશરે 200 કિલો સોનું ખરીદ્યું. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ મહિનામાં, રિઝર્વ બેંકે 0.6 ટન એટલે કે 600 કિલો સોનું ખરીદ્યું. સપ્ટેમ્બર અને જૂનમાં, તેણે અનુક્રમે કુલ 0.2 ટન અને 0.4 ટન સોનું ખરીદ્યું. રિઝર્વ બેંકનો સોનાનો ભંડાર 880.18 ટનથી વધુ થઈ ગયો છે.

Gold-Increased.jpg-2

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના સોનાના ભંડાર પહેલી વાર 102.36 બિલિયન ડૉલરને વટાવી ગયા છે. હવે, પ્રશ્ન એ ઊભો થયો છે કે, રિઝર્વ બેંક આટલું બધું સોનું કેમ ખરીદી રહી છે? હકીકતમાં, વધતી જતી વૈશ્વિક આર્થિક અને ભૂ-રાજકીય અનિશ્ચિતતાને કારણે કેન્દ્રીય બેંક સોનું ખરીદી રહી છે. સોનાની ખરીદીને સલામત રોકાણ તરીકે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેથી જ RBI પણ સોનું ખરીદી રહી છે. એવું માનવામાં આવે છે કે, જે દેશ પાસે જેટલું વધુ સોનું હશે, તેટલો જ તે વધુ શક્તિશાળી હશે. ટેરિફ વિવાદ અને વેપાર સોદામાં વિલંબને કારણે, રિઝર્વ બેંક તેના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.