આ મશીન ભારતમાં બનાવી દો, આનંદ મહિન્દ્રા કરશે રોકાણ

મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વાયરલ વીડિયો મૂકતા રહે છે અને ઘણીવાર તેઓ મદદ પણ કરે છે. ખાસ કરીને તેમને કોઈ નવીન આવિષ્કાર દેખાઈ જાય તો તેઓ સોશિયલ મીડિયા પર જ પોસ્ટ મૂકીને તે વ્યક્તિની મદદ કરવાની જાહેરાત કરી દે છે. હાલમાં જ તેમણે એક વીડિયો પોતાના ટ્વીટર પર શેર કર્યો છે અને તેમાં એક મશીનનો વીડિયો છે, આ મશીન બનાવનારની જિંદગી આનંદ મહિન્દ્રા બનાવી દેવાના છે.

તેમણે જે વીડિયો શેર કર્યો તેમાં એક મશીન જોવા મળી રહ્યું છે, જે નદીમાંથી કચરો કાઢીને નદીને સાફ કરી રહ્યું છે. કમાલની વાત એ છે કે આ મશીન એની જાતે જ નદીમાંથી કચરો કાઢી રહ્યું છે. આ મશીનને કોઈ ઓપરેટ નથી કરી રહ્યું અને ખૂબ સરસ રીતે આ મશીન નદીમાંથી કચરો કાઢી રહી છે, જે આનંદ મહિન્દ્રાને ખૂબ ગમ્યું છે. આ મશીનને જોઈને આનંદ મહિન્દ્રા ખુશ પણ છે અને દુખી પણ, કારણ કે આ મશીન ઈન્ડિયન નથી. મશીન પર જે શબ્દો લખ્યા છે, તેના પરથી આ મશીન ચાઈનીઝ હોય એવું લાગે છે.

તેમણે આ વીડિયો શેર કરી ને લખ્યું હતું કે, આપણે આને બનાવવાની જરૂર છે. અહિયા જ અને હમણા ને હમણા

કોઈ સ્ટાર્ટઅપ આવું કરે છે તો હું રોકાણ કરવા તૈયાર છું. એટલે આનંદ મહિન્દ્રાએ વીડિયોમાં આઇડિયા પણ આપી દીધો છે અને તેને બનાવશો તો પૈસા પણ આપશે તેવી જાહેરાત કરી દીધી છે તો એન્જિનિયરો કામે લાગી જાવ.

આ વીડિયોને હિસ્ટોરિક વીડ્સ નામના અકાઉન્ટથી 1 ફેબ્રુઆરીના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેને 4 કરોડ વાર જોવાઈ ગયો છે.

About The Author

Related Posts

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.