SBIએ ATMથી કમાઇ લીધા 2000 કરોડ, પરંતુ બાકી બેન્કોને થયું મોટું નુકસાન

સાર્વજનિક ક્ષેત્રની બેન્કોના ATMથી થનારી આવકને લઈને કેન્દ્ર સરકારે સંસદમાં મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે. લોકસભામાં સાંસદ માલા રૉયના સવાલ પર નાણાં મંત્રાલય તરફથી આ આંકડા શેર કરવામાં આવ્યા છે. સરકારે જણાવ્યું કે, છેલ્લા 5 નાણાકીય વર્ષમાં ATMએ કેટલી કમાણી કરી છે. ઘણી ઓછી બેન્કો છે, જેમને ATMથી નફો થઇ રહ્યો છે, જ્યારે મોટાભાગની બેન્કો ખોટમાં ચાલી રહી છે. ડિજિટલ પેમેન્ટમાં તેજી બાદ ગ્રાહકો દ્વારા ATMનો ઉપયોગ ઓછો કરવામાં આવી રહ્યો છે. SBI જેવી બેન્ક, જેનું નેટવર્ક મોટું છે અને એ હિસ્સા સુધી પણ પહોંચી રહ્યું છે, જ્યાં ડિજિટલ લેવડ-દેવડ ઓછી છે. તેમને ATMથી ફાયદો થઈ રહ્યો છે. જો કે, તેમના નફામાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.

ATM2
consumer-voice.org

 

રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2019-20 થી વર્ષ 2023-24 સુધીના 5 વર્ષમાં અલગ-અલગ સાર્વજનિક બેન્કોએ ATMના માધ્યમથી અલગ-અલગ આવક હાંસલ કરી છે. આ દરમિયાન કેટલીક બેન્કોએ સારું પ્રદર્શન કર્યું, જ્યારે કેટલીક બેન્કોએ નુકસાન પણ ઉઠાવવું પડ્યું. સૌથી વધુ કમાણી કરનારી બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેન્ક (PNB) સામેલ છે, જ્યારે કેટલીક બેન્ક જેમ કે, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાને નુકસાનનો સામનો કરવો પડ્યો.

ATM1
ndtv.in

જો આંકડાઓ પર નજર કરીએ તો, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ 2019-20માં 656 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પંજાબ નેશનલ બેન્કે વર્ષ 2019-20માં 102.40 કરોડ રૂપિયાની કમાણી કરી. બીજી તરફ, બેન્ક ઓફ બરોડાને વર્ષ 2019-20માં 70.06 કરોડ રૂપિયાનું નુકસાન થયું. 2023-24માં આ આંકડો વધીને 212.08 કરોડ રૂપિયા પર આવી ગયો. એ જ પ્રકારે બેન્ક ઓફ ઈન્ડિયાને 129.82 કરોડ રૂપિયાનું નુકસાન થયું, પરંતુ 2023-24માં આ નુકસાન 66.12 કરોડ રૂપિયા રહ્યું.

ATM1
ndtv.in

ઈન્ડિયન બેન્કે વર્ષ 2019-20માં રૂ. 41.85 કરોડની ખોટ નોંધાવી હતી, જે વર્ષ 2023-24માં વધીને 188.75 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાને પણ વર્ષ 2019-20માં 60.26 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જે વર્ષ 2023-24માં 195.88 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. આ સિવાય, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019-20માં 3.17 કરોડની આવક મેળવી હતી, પરંતુ વર્ષ 2023-24માં 203.87 કરોડની ખોટમાં બદલાઈ ગઈ.

વિશ્લેષકોનું માનવું છે કે, ATMથી થનારી આવકમાં આ ઉતાર-ચઢાવ ડિજિટલ પેમેન્ટના વધતા જતા ચલણ અને રોકડના ઉપયોગમાં ઘટાડો થવાને કારણે હોઈ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં UPI અને અન્ય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મની લોકપ્રિયતામાં વધારો થવાને કારણે, લોકો ઓછી રોકડનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે બેન્કોની ATM આવક પર અસર પડી છે. આ સિવાય ATMની જાળવણી અને સંચાલનનો ખર્ચ પણ એક મોટું કારણ છે જેના કારણે કેટલીક બેન્કોને નુકસાન ઉઠાવવું પડે છે.

About The Author

Related Posts

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.