પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશના 244 જિલ્લામાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરવા માટે કહ્યું છે. જેમાં યુદ્ધના સમયે જો સાયરન વાગે તો લોકો પોતાની સુરક્ષા અને બચાવ કેવી રીતે કરી શકે તેની મોકડ્રીલ થશે. ગુજરાતના 19 જિલ્લામાં બુધવારે મોકડ્રીલ થવાની છે.
સુરત, વડોદરા, કાકરાપાળ, અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર, ભરુચ, ડાંગ, કચ્છ, મહેસાણા, ભૂજ, નર્મદા અને નવસારીનો સમાવેશ થાય છે.
બુધવારે હવાઇ હુમલાની ચેતવણી આપતું સાયરન વગાડવામાં આવશે. નાગરીકોને સુરક્ષાની તાલીમ અપાશે, રાત્રે બ્લેક આઉટ થઇ શકે છે. લોકોને જગ્યા ખાલી કરાવવા અને સલામત સ્થળે લઇ જવાની તાલીમ અપાશે.
મોક઼ડ્રીલ કરીને એ તપાસવામાં આવે છે કે, તંત્ર અને લોકો કેટલો જલ્દી રિસ્પોન્સ કરે છે અને હોસ્પિટલ અને ફાયર ફાયટર કેટલી ઝડપથી કામ કરી શકે છે.