શું NCPના બંને જૂથો ફરી એક સાથે થઇ શકે છે? શરદ પવારની વાત પરથી આશા ઉભી થઇ

શું મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ મોટો ઉલટફેર થઈ શકે છે? તેના સંકેતો મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણના ખૂબ જ અનુભવી નેતા શરદ પવારે આપ્યા છે. શરદ પવારે કહ્યું છે કે, તેમના ભત્રીજા અને DyCM અજિત પવાર સાથે હાથ મિલાવવા અંગેનો કોઈપણ નિર્ણય તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે લેશે.

Honda-CB650R-E-Clutch4
etvbharat.com

શરદ પવારના નિવેદન પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું NCPના બંને જૂથો સાથે આવી શકે છે? બંને જૂથો એક સાથે આવવાની અટકળોને એ વાતથી પણ જોર મળ્યું છે કે શરદ પવાર અને અજિત પવાર છેલ્લા બે મહિનામાં ત્રણથી ચાર વખત મળ્યા છે.

Sharad-Pawar1
4pm.co.in

મહારાષ્ટ્ર NCP (શરદ પવાર)ના પ્રમુખ સુનીલ તટકરેએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, જો આવો કોઈ પ્રસ્તાવ આવશે, તો પાર્ટીનું મુખ્ય જૂથ તેના પર ચર્ચા કરશે. જોકે, તટકરેએ એ વાતનો સંકેત આપ્યો કે, NCP બંને જૂથો સાથે આવે તેવી શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે, અમે મહાગઠબંધન સાથે જોડાયેલા રહીશું.

Sharad-Pawar2
etvbharat.com

અગાઉ શરદ પવારે કહ્યું હતું કે, 'અમારા પક્ષના કેટલાક નેતાઓ માને છે કે જો તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્ય કરવું હોય, તો તેમણે DyCM અજિત પવારની પાર્ટી સાથે હાથ મિલાવવો જોઈએ. જોકે, કેટલાક લોકો એવું માને છે કે, આપણે હાથ મિલાવવો જોઈએ નહીં.' શરદ પવારે કહ્યું કે, જો પુનઃમિલન થાય તો બીજાઓને આશ્ચર્ય ન થવું જોઈએ. મતલબ કે, જો બંને પરિવારો ભેગા થાય તો કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. શરદ પવારના પૌત્ર અને NCP નેતા રોહિત પવારે કહ્યું કે, તેમને પણ લાગે છે કે તેઓએ એક પરિવાર તરીકે એક થવું જોઈએ.

તાજેતરમાં, મીડિયા સૂત્રો સાથેના એક ઇન્ટરવ્યુમાં, શરદ પવારે NCPના બંને જૂથોના એકીકરણ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ આ સંદર્ભમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાંથી બહાર છે.

Sharad-Pawar,-Ajit-Pawar
navbharattimes.indiatimes.com

એ કહેવું પડશે કે જૂન 2023માં, NCPમાં મોટું વિભાજન થયું હતું. ત્યારે શરદ પવારના ભત્રીજા DyCM અજિત પવાર 40 ધારાસભ્યો સાથે પાર્ટીથી અલગ થઈ ગયા હતા. શરદ પવારે યાદ અપાવ્યું કે, જ્યારે તેમણે પાર્ટી બનાવી હતી, ત્યારે આજે જે લોકો અલગ થયા છે તે બધા સાથે હતા. તે બધાની વિચારધારા એક જ છે. તેથી જો ભવિષ્યમાં તે બધા ફરી એકસાથે આવે, તો તે આશ્ચર્યજનક નહીં હોય.

Related Posts

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.