શું NCPના બંને જૂથો ફરી એક સાથે થઇ શકે છે? શરદ પવારની વાત પરથી આશા ઉભી થઇ

શું મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ મોટો ઉલટફેર થઈ શકે છે? તેના સંકેતો મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણના ખૂબ જ અનુભવી નેતા શરદ પવારે આપ્યા છે. શરદ પવારે કહ્યું છે કે, તેમના ભત્રીજા અને DyCM અજિત પવાર સાથે હાથ મિલાવવા અંગેનો કોઈપણ નિર્ણય તેમની પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલે લેશે.

Honda-CB650R-E-Clutch4
etvbharat.com

શરદ પવારના નિવેદન પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું NCPના બંને જૂથો સાથે આવી શકે છે? બંને જૂથો એક સાથે આવવાની અટકળોને એ વાતથી પણ જોર મળ્યું છે કે શરદ પવાર અને અજિત પવાર છેલ્લા બે મહિનામાં ત્રણથી ચાર વખત મળ્યા છે.

Sharad-Pawar1
4pm.co.in

મહારાષ્ટ્ર NCP (શરદ પવાર)ના પ્રમુખ સુનીલ તટકરેએ મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, જો આવો કોઈ પ્રસ્તાવ આવશે, તો પાર્ટીનું મુખ્ય જૂથ તેના પર ચર્ચા કરશે. જોકે, તટકરેએ એ વાતનો સંકેત આપ્યો કે, NCP બંને જૂથો સાથે આવે તેવી શક્યતા ઓછી છે. તેમણે કહ્યું કે, અમે મહાગઠબંધન સાથે જોડાયેલા રહીશું.

Sharad-Pawar2
etvbharat.com

અગાઉ શરદ પવારે કહ્યું હતું કે, 'અમારા પક્ષના કેટલાક નેતાઓ માને છે કે જો તેમના મતવિસ્તારમાં વિકાસ કાર્ય કરવું હોય, તો તેમણે DyCM અજિત પવારની પાર્ટી સાથે હાથ મિલાવવો જોઈએ. જોકે, કેટલાક લોકો એવું માને છે કે, આપણે હાથ મિલાવવો જોઈએ નહીં.' શરદ પવારે કહ્યું કે, જો પુનઃમિલન થાય તો બીજાઓને આશ્ચર્ય ન થવું જોઈએ. મતલબ કે, જો બંને પરિવારો ભેગા થાય તો કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ. શરદ પવારના પૌત્ર અને NCP નેતા રોહિત પવારે કહ્યું કે, તેમને પણ લાગે છે કે તેઓએ એક પરિવાર તરીકે એક થવું જોઈએ.

તાજેતરમાં, મીડિયા સૂત્રો સાથેના એક ઇન્ટરવ્યુમાં, શરદ પવારે NCPના બંને જૂથોના એકીકરણ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, તેઓ આ સંદર્ભમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાંથી બહાર છે.

Sharad-Pawar,-Ajit-Pawar
navbharattimes.indiatimes.com

એ કહેવું પડશે કે જૂન 2023માં, NCPમાં મોટું વિભાજન થયું હતું. ત્યારે શરદ પવારના ભત્રીજા DyCM અજિત પવાર 40 ધારાસભ્યો સાથે પાર્ટીથી અલગ થઈ ગયા હતા. શરદ પવારે યાદ અપાવ્યું કે, જ્યારે તેમણે પાર્ટી બનાવી હતી, ત્યારે આજે જે લોકો અલગ થયા છે તે બધા સાથે હતા. તે બધાની વિચારધારા એક જ છે. તેથી જો ભવિષ્યમાં તે બધા ફરી એકસાથે આવે, તો તે આશ્ચર્યજનક નહીં હોય.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.