હોંગકોંગમાં મહાત્મા બુદ્ધના અવશેષોની હરાજી રોકવા માટે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે સખત, મોકલી નોટિસ

મહાત્મા બુદ્ધના અવશેષોની હોંગકોંગમાં થનારી હરાજીએ ભારત સહિત વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓને નારાજ કરી દીધા છે. કેન્દ્ર સરકારે 7 મેના રોજ થનારી આ હરાજી અટકાવવાની તૈયારી કરી લીધી છે. તેને લઇને, દેશના સંસ્કૃતિ મંત્રાલયે હરાજી રોકવા માટે કડક પગલાં ઉઠાવ્યા છે. મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત ઐતિહાસિક વારસાની હરાજી રોકવા માટે સરકારે કાયદાનો સહારો લીધો છે. આ હરાજી હોંગકોંગના સોથેબીમાં થવાની હતી, જેને લઇને કાયદાકીય નોટિસ જાહેર કરવામાં આવી છે.

Buddhist2
royaloakindia.com

 

માહિતી અનુસાર, પિપરહવા સ્તૂપના ખોદકામ દરમિયાન હાડકાના ટુકડા, ઐતિહાસિક પથ્થરો, ક્રિસ્ટલ કૉસ્કેટ, સેન્ડસ્ટોન લોફર્સ અને સોનાના ઘરેણા મળ્યા હતા. વર્ષ 1898માં વિલિયમ ક્લેક્સટને ખોદકામ દરમિયાન કાઢ્યા હતા. ખોદકામમાં મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત એક કાસ્કેટ પર બ્રાહ્મી લિપિમાં એક શિલાલેખ મળ્યો હતો, જેને શાક્ય કબિલાએ જમા કર્યો હતો.

Buddhist1
ndtv.in

 

આ ખોદકામમાંથી મળેલા કેટલાક અવશેષો 1899માં ભારતીય સંગ્રહાલય, કોલકાતામાં મોકલી દેવામાં આવ્યા હતા. AA પુરાતાત્વિક વારસામાં સામેલ હોવાને કારણે, તેનું વેચાણ પ્રતિબંધિત છે. આ કારણે, મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત ઐતિહાસિક વારસાની હરાજી રોકવા માટે હોંગકોંગના સોથેબીને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે. આ મુદ્દા પર, સંસ્કૃતિ મંત્રાલયે હરાજીમાંથી અવશેષોને તાત્કાલિક પરત લેવા માટે સહયોગ કરવાનો આગ્રહ કર્યો છે.

મહાત્મા બુદ્ધ સાથે જોડાયેલા 1800 પ્રકારનું સોનું, નીલમ અને કિંમતી પથ્થરોની હરાજી 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતમાં કરવાની તૈયારી છે. બૌદ્ધ સમુદાય સાથે જોડાયેલા ઘણા સંગઠનોએ કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અને હરાજી રોકવાની માગ કરી હતી.

Related Posts

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.