હોંગકોંગમાં મહાત્મા બુદ્ધના અવશેષોની હરાજી રોકવા માટે ભારતીય સંસ્કૃતિ મંત્રાલયે સખત, મોકલી નોટિસ

મહાત્મા બુદ્ધના અવશેષોની હોંગકોંગમાં થનારી હરાજીએ ભારત સહિત વિશ્વભરના બૌદ્ધ ધર્મીઓને નારાજ કરી દીધા છે. કેન્દ્ર સરકારે 7 મેના રોજ થનારી આ હરાજી અટકાવવાની તૈયારી કરી લીધી છે. તેને લઇને, દેશના સંસ્કૃતિ મંત્રાલયે હરાજી રોકવા માટે કડક પગલાં ઉઠાવ્યા છે. મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત ઐતિહાસિક વારસાની હરાજી રોકવા માટે સરકારે કાયદાનો સહારો લીધો છે. આ હરાજી હોંગકોંગના સોથેબીમાં થવાની હતી, જેને લઇને કાયદાકીય નોટિસ જાહેર કરવામાં આવી છે.

Buddhist2
royaloakindia.com

 

માહિતી અનુસાર, પિપરહવા સ્તૂપના ખોદકામ દરમિયાન હાડકાના ટુકડા, ઐતિહાસિક પથ્થરો, ક્રિસ્ટલ કૉસ્કેટ, સેન્ડસ્ટોન લોફર્સ અને સોનાના ઘરેણા મળ્યા હતા. વર્ષ 1898માં વિલિયમ ક્લેક્સટને ખોદકામ દરમિયાન કાઢ્યા હતા. ખોદકામમાં મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત એક કાસ્કેટ પર બ્રાહ્મી લિપિમાં એક શિલાલેખ મળ્યો હતો, જેને શાક્ય કબિલાએ જમા કર્યો હતો.

Buddhist1
ndtv.in

 

આ ખોદકામમાંથી મળેલા કેટલાક અવશેષો 1899માં ભારતીય સંગ્રહાલય, કોલકાતામાં મોકલી દેવામાં આવ્યા હતા. AA પુરાતાત્વિક વારસામાં સામેલ હોવાને કારણે, તેનું વેચાણ પ્રતિબંધિત છે. આ કારણે, મહાત્મા બુદ્ધ સાથે સંબંધિત ઐતિહાસિક વારસાની હરાજી રોકવા માટે હોંગકોંગના સોથેબીને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે. આ મુદ્દા પર, સંસ્કૃતિ મંત્રાલયે હરાજીમાંથી અવશેષોને તાત્કાલિક પરત લેવા માટે સહયોગ કરવાનો આગ્રહ કર્યો છે.

મહાત્મા બુદ્ધ સાથે જોડાયેલા 1800 પ્રકારનું સોનું, નીલમ અને કિંમતી પથ્થરોની હરાજી 100 કરોડ રૂપિયાથી વધુ કિંમતમાં કરવાની તૈયારી છે. બૌદ્ધ સમુદાય સાથે જોડાયેલા ઘણા સંગઠનોએ કેન્દ્ર સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવા અને હરાજી રોકવાની માગ કરી હતી.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.