સેન્સેક્સ-નિફ્ટી ફેબ્રુઆરીમાં 4 ટકા ઘટ્યા, હવે શું થશે... બજાર તૂટશે કે આગળ વધશે?

ફેબ્રુઆરી મહિનો ભારતીય શેરબજાર માટે ઘણો પીડાદાયક રહ્યો છે. આ મહિને સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સમાં 4 ટકાનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, તેજીની અપેક્ષા રાખતા રોકાણકારો નિરાશ થયા છે. આ મહિના દરમિયાન સેન્સેક્સમાં 2500 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં લગભગ 1000 પોઈન્ટ સુધીનો ઘટાડો થયો છે. સ્ટોક નિષ્ણાતો માને છે કે, મૂલ્યાંકન ખૂબ આકર્ષક બની રહ્યું છે. તેમણે કહ્યું કે, ઘટાડો હાલમાં મર્યાદિત લાગે છે, પરંતુ નબળા વૈશ્વિક સંકેતોને કારણે ભવિષ્યમાં અસ્થિરતા ચાલુ રહી શકે છે.

Stock Market
ndtv.in

MK ગ્લોબલે જણાવ્યું હતું કે, આ પ્રકારનો ઘટાડો નકારાત્મક દૃષ્ટિકોણ પેદા કરે છે, પરંતુ તેના સકારાત્મક સંકેતો પણ છે. NBFC અને નાના ધિરાણકર્તાઓ માટે જોખમનું ભારણ ઘટાડવાનું RBIનું પગલું એક મોટું સકારાત્મક સંકેત છે. આ ઉપરાંત, કરેક્શનથી વેલ્યુએશનમાં ઘટાડો થયો છે અને નિફ્ટીનું મૂલ્ય આકર્ષક રીતે 22,500ની નીચે દેખાઈ રહ્યું છે.

ગુરુવારે, સેન્સેક્સ 10 પોઈન્ટ અથવા 0.01 ટકા વધીને 74,612 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 2.5 પોઈન્ટ અથવા 01 ટકા ઘટીને 22,545 પર બંધ રહ્યો હતો. PL કેપિટલે જણાવ્યું હતું કે, નજીકના ગાળામાં બજાર અસ્થિર રહી શકે છે, પરંતુ 2025ના ડિસેમ્બર ક્વાર્ટરના અંત સુધીમાં સ્થિર થશે. બજારની સૌથી મોટી ચિંતા, ઊંચા મૂડી ખર્ચ, કર ઘટાડા અને ગ્રાહક માંગમાં સુધારો થવાને કારણે FPI પ્રવાહ સકારાત્મક બની શકે છે.

Stock Market
hindi.moneycontrol.com

PL કેપિટલે જણાવ્યું હતું કે, ભારતમાં FII રોકાણ માટે અવરોધ દર વધીને 10.5 ટકા થયો છે. જ્યારે, 4થી 9 મહિનાની અંદર FII આઉટફ્લો તેની ટોચ પર છે. PL કેપિટલ કહે છે કે, નાણાકીય વર્ષ 2026 દરમિયાન ભારતનો વિકાસ વર્તમાન નાણાકીય વર્ષ કરતા ઘણો સારો રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બજેટમાં કરવેરા ઘટાડા અને ચોમાસાને કારણે ગ્રાહક માંગમાં વધારો દેખાઈ રહ્યો હોવાથી FPIના પ્રવાહમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.

ઇન્ક્રેડ ઇક્વિટીઝે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2024ના મધ્યભાગના શિખરથી સતત સુધારાને કારણે નિફ્ટી વેલ્યુએશન 10 વર્ષની સરેરાશથી 20 ગણા એક વર્ષના ફોરવર્ડ EPSથી નીચે આવી ગયું છે.

નોંધ: શેરબજારમાં તમારે કોઈપણ શેરમાં નાણાકીય રોકાણ કરવું હોય તો, તે પહેલા કૃપા કરીને તમે તમારા નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.