સેબીએ Zee બિઝનેસ પર ટીપ્સ આપતા 10 નિષ્ણાતો પર કેમ પ્રતિબંધ મુક્યો?

Securities and Exchange Board of India (SEBI)એ એક બિઝનેસ ચેનલ પર રોકાણકારોને સલાહ આપતા 10 ગેસ્ટ એક્સપર્ટ પર પ્રતિબંધ મુકી દીધો છે. સેબીએ 127 પાનાના આદેશમાં જણાવ્યું છે કે બિઝનેસ ન્યૂઝ ચેનલ પર બ્રોડકાસ્ટ થાય તે પહેલાં આ ગેસ્ટ એક્સપર્ટ તેમના મળતિયાઓને માહિતી આપી દેતા હતા.

સેબીએ કહ્યું છે કે આવા ટીપ આપનારાઓએ સોદાના સેટલમેન્ટમાંથી 7.41 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો અને આ રકમ પાછી આપવાનો સેબીએ આદેશ કર્યો છે. ZEE બિઝનેસ ચેનલ પર શેરબજારના જાણકારો મહેમાન તરીકે આવીને રોકાણકારોને શેરોની માહીતી અને ટીપ્સ આપતા હોય છે. આવા શેરબજારના મહેમાન નિષ્ણાતો પર સેબીએ પગલાં લીધા છે. જેમાં સિમી ભૌમિક, મુદિત ગોયલ, હિમાંશુ ગુપ્તા, આશિષ કેલકર, કિરણ જાધવ, રામાવતાર લાલચંદ ચોટીયા, અજય કુમાર શર્મા, રૂપેશ મટોલિયા, નિતીન છલાની અને સાર સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે.

આ મહેમાનો નિર્મલ કુમાર સોની, પાર્થ સારથી ધાર, સાર કોમોડિટીઝસ મનન શેરકોમ અને કન્હૈયા ટ્રેડીંગને ન્યૂઝ ચેનલ પર બ્રોડકાસ્ટ કરતા પહેલાં જ માહિતી આપી દેતા હતા. જેને કારણે આ લોકો પહેલેથી શેરબજારમાં ખરીદી કરી લેતા હતા અને જ્યારે રોકાણકારો માહિતીને આધારે ખરીદી કરે અને ભાવ ઉંચકાઇ એટલે આ લોકો શેરો વેચીને નફો રળી લેતા હતા.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.