સેબીએ Zee બિઝનેસ પર ટીપ્સ આપતા 10 નિષ્ણાતો પર કેમ પ્રતિબંધ મુક્યો?

Securities and Exchange Board of India (SEBI)એ એક બિઝનેસ ચેનલ પર રોકાણકારોને સલાહ આપતા 10 ગેસ્ટ એક્સપર્ટ પર પ્રતિબંધ મુકી દીધો છે. સેબીએ 127 પાનાના આદેશમાં જણાવ્યું છે કે બિઝનેસ ન્યૂઝ ચેનલ પર બ્રોડકાસ્ટ થાય તે પહેલાં આ ગેસ્ટ એક્સપર્ટ તેમના મળતિયાઓને માહિતી આપી દેતા હતા.

સેબીએ કહ્યું છે કે આવા ટીપ આપનારાઓએ સોદાના સેટલમેન્ટમાંથી 7.41 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો અને આ રકમ પાછી આપવાનો સેબીએ આદેશ કર્યો છે. ZEE બિઝનેસ ચેનલ પર શેરબજારના જાણકારો મહેમાન તરીકે આવીને રોકાણકારોને શેરોની માહીતી અને ટીપ્સ આપતા હોય છે. આવા શેરબજારના મહેમાન નિષ્ણાતો પર સેબીએ પગલાં લીધા છે. જેમાં સિમી ભૌમિક, મુદિત ગોયલ, હિમાંશુ ગુપ્તા, આશિષ કેલકર, કિરણ જાધવ, રામાવતાર લાલચંદ ચોટીયા, અજય કુમાર શર્મા, રૂપેશ મટોલિયા, નિતીન છલાની અને સાર સિક્યોરિટીઝનો સમાવેશ થાય છે.

આ મહેમાનો નિર્મલ કુમાર સોની, પાર્થ સારથી ધાર, સાર કોમોડિટીઝસ મનન શેરકોમ અને કન્હૈયા ટ્રેડીંગને ન્યૂઝ ચેનલ પર બ્રોડકાસ્ટ કરતા પહેલાં જ માહિતી આપી દેતા હતા. જેને કારણે આ લોકો પહેલેથી શેરબજારમાં ખરીદી કરી લેતા હતા અને જ્યારે રોકાણકારો માહિતીને આધારે ખરીદી કરે અને ભાવ ઉંચકાઇ એટલે આ લોકો શેરો વેચીને નફો રળી લેતા હતા.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.