પેટ્રોલ-ડીઝલના ભાવોને લઇને આવ્યા મોટા સમાચાર, જાણીને થશે ખુશી

On

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તેમના નફામાં થોડો ઘટાડો કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. આ કંપનીઓના નફામાં અનેકગણો વધારો થયો છે અને તેમાં કેટલાક કાપથી તેમના નાણાકીય સ્વાસ્થ્ય પર મોટી અસર થશે નહીં.

આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તીવ્ર ઘટાડો થવાની સંભાવના છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) સામાન્ય ચૂંટણી પહેલા આ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, કિંમતોમાં 5 થી 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો જોવા મળી શકે છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, હાલમાં કંપનીઓ લગભગ 10 રૂપિયાના વધારાના નફા પર બેઠી છે, જેને સરળતાથી ઘટાડી શકાય છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ક્રૂડ ઓઈલ ખરીદવું ઘણું સસ્તું થઈ ગયું છે. જ્યારે એપ્રિલ 2022 પછી ઈંધણની કિંમતોમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. દેશની ત્રણ મોટી ઓઇલ માર્કેટિંગ કંપનીઓનો સંયુક્ત નફો રૂ. 75,000 કરોડને પાર કરી શકે છે. નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓનો નફો જબરદસ્ત રહ્યો છે. ઊંચા માર્કેટિંગ માર્જિનને કારણે આ શક્ય બન્યું છે. એવું માનવામાં આવે છે કે, ત્રીજા ક્વાર્ટરમાં પણ નફાનો આ ટ્રેન્ડ ચાલુ રહી શકે છે. આ પરિણામો પછી કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.

સરકાર પાસે દેશની ત્રણેય OMCમાં માલિકીના અધિકારો છે અને તે તેમની પ્રમોટર પણ છે. ચાલુ નાણાકીય વર્ષના બે ત્રિમાસિક ગાળામાં આ ત્રણેય કંપનીઓનો ચોખ્ખો નફો રૂ. 57,091.87 કરોડ રહ્યો છે. આ સમગ્ર નાણાકીય વર્ષ 2022-23ના ₹1,137.89 કરોડના કુલ નફા કરતાં 4,917 ટકા વધુ છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ 27 જાન્યુઆરીએ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) અને ભારત પેટ્રોલિયમ (BPCL) પણ આ સમયની આસપાસ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરી શકે છે. જોકે HP સિવાય અન્ય બે કંપનીઓએ આ અંગે કોઈ જાહેરાત કરી નથી. ત્રણેય કંપનીઓએ હજુ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા અંગે કોઈ ઔપચારિક નિવેદન આપ્યું નથી. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, ત્રણ સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે પુષ્ટિ કરી છે કે કિંમતોમાં ફેરફાર લગભગ નિશ્ચિત છે.

જો પેટ્રોલ અને ડીઝલ સસ્તું થશે તો મોંઘવારી પણ ઘણી હદે ઘટી જશે. નૂર પરિવહનના ખર્ચમાં ઘટાડો થશે, જેનાથી એક રાજ્યથી બીજા રાજ્યમાં ખાદ્ય પદાર્થોનું પરિવહન સસ્તું થશે. અહીં તમને જણાવી દઈએ કે, ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દર લગભગ 5.69 ટકા પર પહોંચી ગયો હતો. આ 6 ટકાની સંતોષકારક શ્રેણીને તોડવાની ખૂબ નજીક છે. જથ્થાબંધ ફુગાવાનો દર પણ સતત 2 મહિનાથી વધ્યો છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર શૂન્યથી ઉપર આવી ગયો હતો. જ્યારે આ પહેલા તે ઘણા મહિનાઓ સુધી માઈનસમાં ચાલી રહી હતી.

Related Posts

Top News

PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા) હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી...
Education 
PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.