ગુજરાતમાં ભગવાન શિવની 111 ફૂટ ઉંચી સુવર્ણ પ્રતિમાના થયા દર્શન, શિવરાત્રીએ અનાવરણ

વડોદરા શહેરમાં સુરસાગર સ્થિતિ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની ઉંચી પ્રતિમાના દર્શન લોકોને થયા હતા. 18 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે. જો કે એ પહેલા મહાશિવરાત્રીના તહેવાર પહેલા વડોદરામાં ઘણા સમયથી આ મૂર્તિના દર્શન કરવાને લઈને લોકો રાહ જોતા હતા ત્યારે પ્રતિમાનું અનાવરણ દૂર કરાતા શિવજીના મૂર્તિના દર્શન થયા હતા.

શિવજીની આ પ્રતિમાની સુવર્ણજડિતની કામગિરી પૂર્ણ કરવામાં આવી રહી છે. શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલો સુવર્ણ ચઢાવવામાં આવ્યું છે. વડોદરામાં પણ શિવજી કી સવારી નિકળશે જેમાં સમગ્ર શહેરના લોકોને આ ઉત્સવની અંદર જોડવામાં આવશે. 2020માં પ્રતિમાને સુવર્ણ આવરણ ચઢાવવાનું કાર્ય શરૂ થયું હતું. ત્યારે ભગવાન શિવની આ મૂર્તિનું અનાવરણ હટાવી દેતા સુંદર સુવર્ણજડીત મૂર્તિના દર્શન ભાવી ભક્તોને શિવરાત્રિ પહેલા જ થયા હતા.

વડોદરા શહેરની અંદર છેલ્લા 10 વર્ષથીટ શિવજી કી સવારી નિકળે છે. મહાશિવરાત્રીના શુભ અવસરે સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા ભગવાન શિવની સવારીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં શહેરભરમાંથી લોકો આ સવારીમાં જોડાશે ત્યારે પરંપરાગત રીતે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

ધારાસભ્ય યોગેશ પટેલ 2017ની અંદર મિત્રો સમક્ષ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. આ પ્રતિમા માટે શહેર તેમજ જિલ્લા અને રાજ્ય તેમજ દેશ અને વિદેશના અનેક દાતાઓને ફાળો આપ્યો છે. લગભગ 12 કરોડના ખર્ચે મૂર્તિનું કામ તૈયાર કરાયું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.