Z+ સુરક્ષામાં ફરતા કિરણને અમદાવાદ પોલીસે ઘૂંટણીએ બેસાડી દીધો, 7 દિવસ...

મહાઠગ કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદની ક્રાઇમ બ્રાંચે આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં કિરણ પટેલને રજૂ કર્યો હતો અને 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. ત્યારે માહિતી છે કે મેટ્રો કોર્ટે કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ સૂત્રો મુજબ, રિમાન્ડ અંતર્ગત કિરણ પટેલની પૂછપરછમાં મસમોટા ખુલાસા થવાની શક્યતા છે.

જણાવી દઈએ કે, માસ્ટર માઇન્ડ કિરણ પટેલને અમદાવાદ લાવવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમ જમ્મુ-કાશ્મીર ગઈ હતી. મંગળવારે એટલે કે 4 એપ્રિલના રોજ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કાશ્મીર પહોંચી હતી. ટ્રાન્સફર વોરંટના આધારે કિરણ પટેલની કસ્ટડી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાંચ શુક્રવારે મોડી રાતે 2 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચી હતી. ભેજાબાજ કિરણ પટેલ અને તેની પત્ની વિરુદ્ધ સિંધુ ભવન રોડ પર આવેલો ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો આરોપ છે.

મીડિયા અહેવાલ મુજબ, કોર્ટમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, કિરણ પટેલે PMOની ઓળખ કોના આધારે આપી, આરોપીએ ડોક્ટરની પદવી ધરાવે છે એવી પણ માહિતી આપી છે. મકાન રિનોવેશનના ખર્ચની રકમ ક્યાંથી આવી અને 50 લાખના 4 ચેક આપવામાં આવ્યા હતા તે અંગેની વિગતો મેળવવા માટે આરોપીના રિમાન્ડ માગવામાં આવ્યા છે. આ સાથે મોંઘીદાટ ગાડીઓ, મકાન અને અન્ય ગુનાઓની તપાસ માટે કોર્ટ પાસે સમય માગવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.