ગુજરાતમાં આ તારીખથી ચોમાસાની શરૂઆત થશે

On

હવામાન વિભાગના રિપોર્ટ મુજબ 31 મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. પણ જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. આ સાથે જ ગુજરાતમાં 19થી 30 જૂન સુધી ચોમાસું બેસે તેવી શક્યતા છે. ચોમાસું આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં 2 દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે.

કેરળમાં સમય પહેલા ચોમાસાનું આગમન, ગરમીથી મળશે રાહત! IMDએ વરસાદની જાણકારી આપી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળ પહોંચે તેવી શક્યતા છે, તેના આધારે અન્ય રાજ્યોમાં ચોમાસાની હિલચાલ નક્કી કરવામાં આવશે. જે ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે ચાર મહિનાની વરસાદી ઋતુનો તખ્તો તૈયાર કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચી શકે છે. જો કે, તે ચાર દિવસ આગળ કે પાછળ રહેવાની સંભાવના રહે છે.

IMDની આગાહી અનુસાર, આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેથી 4 જૂન, 2024 વચ્ચે થઈ શકે છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 થી 4 જૂન છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે, 'તે વહેલું નથી. તે સામાન્ય તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.'

આ અગાઉ, હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચવાની અપેક્ષા રાખી હતી, જે સામાન્ય તારીખથી 3 દિવસ પહેલા છે. દર વર્ષે ચોમાસું 22 મે સુધીમાં આંદામાન અને નિકોબારમાં આવે છે. આંદામાન અને નિકોબારથી આગળ વધીને ચોમાસું કેરળ પહોંચે છે. ચોમાસાના આગમનની સામાન્ય તારીખ વિશે વાત કરીએ તો, તે 10મી જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચી જાય છે.

ત્યાર પછી આગળ વધીને 15 જૂને તે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર પહોંચે છે. જ્યારે, 20 જૂને, તે ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશમાં ત્રાટકશે. જો કે હવામાન વિભાગે હજુ સુધી આ રાજ્યોમાં ચોમાસાના આગમનની કોઈ તારીખ આપી નથી. હવામાન વિભાગ ચોમાસાની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.

ગયા મહિને, IMDએ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે, જૂન અને જુલાઈને કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે, કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. માહિતી અનુસાર, કેરળમાં ગયા વર્ષે 8 જૂને, 2022માં 29 મે, 2021માં 3 જૂન, 2020માં 1 જૂન અને 2019માં 8 જૂને ચોમાસું શરૂ થયું હતું.

Related Posts

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.