ગુજરાતમાં આ તારીખથી ચોમાસાની શરૂઆત થશે

હવામાન વિભાગના રિપોર્ટ મુજબ 31 મેના રોજ ચોમાસું કેરળ પહોંચશે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. પણ જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે. એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે આવી શકે છે. આ સાથે જ ગુજરાતમાં 19થી 30 જૂન સુધી ચોમાસું બેસે તેવી શક્યતા છે. ચોમાસું આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં 2 દિવસ પહેલા એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે.

કેરળમાં સમય પહેલા ચોમાસાનું આગમન, ગરમીથી મળશે રાહત! IMDએ વરસાદની જાણકારી આપી

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળ પહોંચે તેવી શક્યતા છે, તેના આધારે અન્ય રાજ્યોમાં ચોમાસાની હિલચાલ નક્કી કરવામાં આવશે. જે ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થા માટે ચાર મહિનાની વરસાદી ઋતુનો તખ્તો તૈયાર કરશે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચી શકે છે. જો કે, તે ચાર દિવસ આગળ કે પાછળ રહેવાની સંભાવના રહે છે.

IMDની આગાહી અનુસાર, આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત 27 મેથી 4 જૂન, 2024 વચ્ચે થઈ શકે છે. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 થી 4 જૂન છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ બુધવારે જણાવ્યું હતું કે, 'તે વહેલું નથી. તે સામાન્ય તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.'

આ અગાઉ, હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 19 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચવાની અપેક્ષા રાખી હતી, જે સામાન્ય તારીખથી 3 દિવસ પહેલા છે. દર વર્ષે ચોમાસું 22 મે સુધીમાં આંદામાન અને નિકોબારમાં આવે છે. આંદામાન અને નિકોબારથી આગળ વધીને ચોમાસું કેરળ પહોંચે છે. ચોમાસાના આગમનની સામાન્ય તારીખ વિશે વાત કરીએ તો, તે 10મી જૂન સુધીમાં મહારાષ્ટ્ર પહોંચી જાય છે.

ત્યાર પછી આગળ વધીને 15 જૂને તે ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર પહોંચે છે. જ્યારે, 20 જૂને, તે ગુજરાતના આંતરિક વિસ્તારો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો અને ઉત્તર પ્રદેશમાં ત્રાટકશે. જો કે હવામાન વિભાગે હજુ સુધી આ રાજ્યોમાં ચોમાસાના આગમનની કોઈ તારીખ આપી નથી. હવામાન વિભાગ ચોમાસાની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.

ગયા મહિને, IMDએ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. અહીં તમને જણાવી દઈએ કે, જૂન અને જુલાઈને કૃષિ માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે, કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે. માહિતી અનુસાર, કેરળમાં ગયા વર્ષે 8 જૂને, 2022માં 29 મે, 2021માં 3 જૂન, 2020માં 1 જૂન અને 2019માં 8 જૂને ચોમાસું શરૂ થયું હતું.

Top News

22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
National 
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી

રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
Gujarat 
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.