પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને ફેરવેલ, કહ્યું- તપાસની પદ્ધતિમાં બદલાવની જરૂર

અમદાવાદ શહેર પોલીસ કમિશનર (CP)સંજય શ્રીવાસ્તવ વયનિવૃત્ત થતાં રવિવારે તેમના માટે વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલી વખત પોલીસ કમિશનરને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ પરેડનું આયોજન કરીને વિદાય આપવામાં આવી છે. સંજય શ્રીવાસ્વતવે પોતાના સંબોધનમાં કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસ કમિશનરે પોતાના અનુભવ અંગે પણ વાત કરી હતી.

મળતી માહિતી મુજબ, સંજય શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પોલીસ તપાસની પદ્ધતિમાં વર્તમાનમાં બદલાવની જરૂર છે. સાથે જ કોઈપણ ગુનામાં આરોપીને લાંબી અને આકરી સજા થાય એ પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, બદલાતા સમયની સાથે પોલીસના કામમાં પણ બદલાવ લાવવાની જરૂર છે.

પોલીસે લોકોની સમસ્યા, લોકોની જરૂરિયાત ને પારખીને કોમ્યુનિટી પોલીસ તરીકે કામ કરવાની જરૂર છે. પોતાના અનુભવ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, જ્યારે ભૂતકાળમાં શહેરમાં કોમી રમખાણો થતાં હતા ત્યારે શહેર પોલીસે અનેક સમસ્યાઓનો સામનો કરીને કામ કરવું પડતું હતું. પોલીસ પર પથ્થરમારો થતો હતો, એસિડ ફેકવામાં આવતો, હુમલાઓ થતા, પરંતુ હવે શહેરમાં જાણે કોમી રમખાણો ભૂતકાળ બની ગયા છે. જોકે હવે કેટલાક નવા પડકારો પણ સામે આવ્યા છે.

તેમણે કહ્યું કે, વર્તમાનમાં સાઇબર ક્રાઇમ, આર્થિક ગુનાઓ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા એ મોટો પડકાર છે. તેમણે કહ્યું કે, છેલ્લા પોણા ત્રણ વર્ષના કાર્યકાળમાં અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓના સહકારથી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરાયો અને તેમાં સફળતા પણ મળી.  તેમણે એ પણ કહ્યું કે, જે પોલીસ ગ્રાઉન્ડમાં તેમણે કારકિર્દીની શરૂઆત કરી અને તાલીમ મેળવી, એ જ ગ્રાઉન્ડ પર ફેરવેલ મળવી એ યાદગાર અને ગૌરવપૂર્ણ બાબત છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.