તથ્ય પટેલે માત્ર ઇસ્કોન બ્રીજ પર જ નહીં, આ પહેલા પણ બે વખત ગાડી ઠોકી છે હવે...

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર બેફામ કાર હંકારીને 9 લોકોની જિંદગી વેરણ છેરણ કરી નાંખનાર તથ્ય પટેલની ધરપકડ બાદ પોલીસને તથ્ય પટેલના અન્ય કારસ્તાન જાણવા મળી રહ્યા છે. બાપના પૈસા તાગડ ધિન્ના કરનારા 19 વર્ષના તથ્ય પટેલે  માત્ર ઇસ્તોન બ્રીજ પર પહેલીવાર જ અકસ્માત કર્યો છે એવું નથી, પરંતુ આ પહેલાં પણ તેણે બે વખતે તેની કાર અન્ય જગ્યાએ ઠોકી હતી.

તથ્ય પટેલે ઓવર સ્પીડ કાર ચલાવીને ગાંધીનગરના એક મંદિરમાં અને હજુ તો 15 દિવસ પહેલાં જ એક રેસ્ટોરન્ટની દીવાલ સાથે કાર ઠોકી નાંખી હતી. પોલીસે હવે આ બંને અકસ્માતના પણ ગુના નોંધી દીધા છે.તથ્ય પટેલના એક પછી એક બહાર આવી રહેલાં કારનામા જોતા પોલીસ પણ ચોંકી ગઇ છે.

જાણવા મળેલી માહિતી પ્રમણા તથ્ય પટેલે 1 જાન્યુઆરી 2023ના દિવસે વાંસજડા ગામની ભાગોળે સાણંદ તરફ જતા રોડ ઉપર આવેલ બળિયાદેવ મંદિરની આગળની સાઇડના એક પિલરમાં કાર ઘુસાડી દીધી હતી. તે વખતે પણ તથ્ય પટેલ જેગુઆર કાર જ ચલાવતો હતો. તથ્ય પટેલે મંદિરના ભાગને લગભગ 20,000 રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું હતું.

કલોલ વાંસજડા પૂર્વ ગામના મણાજી પ્રતાપજી ઠાકોર ગામના સરપંચે હવે સાતેજ પોલીસ સ્ટેશનનમાં તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. મણાજી ઠાકોરે કહ્યુ કે, જ્યારે 1લી જાન્યુઆરી 2023ના દિવસે  બળિયાદેવ મંદિરમાં વહેલી સવારે 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે એક કાર ઘુસી ગઇ હતી તે વખતે તેમની પાસે કારનો નંબર કે કાર ચલાવનાર વિશે કોઇ માહિતી નહોતી એટલે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી, પરંતુ જ્યારે તથ્ય પટેલના મિત્રોએ પોલીસને બળિયાદેવ મંદિરમાં તથ્ય પટેલે કાર ઠોકી દીધી હતી તેવું નિવેદન આપ્યું ત્યારે ખબર પડી કે એ તથ્ય પટેલ જ હતો. પોલીસનું માનવું છે કે 31 ડિસેમ્બરે ન્યૂ યરની ઉજવણી કરીને તથ્ય પટેલ પાછો ફર્યો હશે ત્યારે આ અકસ્માત કર્યો હોવો જોઇએ.

બીજા અકસ્માતની વાત કરીએ તો હજુ પંદરેક દિવસ પહેલાં જ  અમદાવાદના સિંધુ રોડ પર આવેલી એક રેસ્ટોરન્ટની દિવાલ તુટી ગઇ હતી. તથ્ય પટેલ 0093 નંબરની થાર કાર ચલાવતો હતો અને કાર પર કાબુ ગુમાવી દેતા રેસ્ટોરન્ટની દિવાલમાં કાર ઘુસાડી દીધી હતી પછી તથ્ય પટેલ ત્યાંથી ભાગી છુટ્યો હતો. ઇસ્કોન બ્રીજની ઘટના બાદ આ રેસ્ટોરન્ટના અકસ્માતના વીડિયો સામે આવ્યા બાદ હવે એ ઘટનામાં પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

અને 20 જુલાઇએ તથ્ય પટેલે ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારની અડફેટે 9 લોકોના જીવ લઇ લીધા હતા.

About The Author

Top News

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે...
Opinion 
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું

લોકસભામાં કાગળો ફાડીને અધ્યક્ષ પર ફેંકવાની ઘટના બાદ, કોંગ્રેસના 7 સહિત આઠ વિપક્ષી સાંસદોને બજેટ સત્રના બાકીના સમય માટે...
Politics 
અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું

વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું

દિલ્હી સ્થિત આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT)એ આવકવેરા કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં વોટ્સએપ ચેટ્સને આધાર...
Business 
વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું

શેરબજારમાં કમાવવાની મોટી લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવનારો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમ સેલે દબોચી લીધો છે. ...
Gujarat 
શેરબજારમાં કમાવવાની મોટી લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવનારો ઝડપાયો

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.