- Central Gujarat
- રૂપાલાના વિરોધમાં અમદવાદમા ક્ષત્રિય સમાજની વિશાળ રેલીમાં હજારો લોકો
રૂપાલાના વિરોધમાં અમદવાદમા ક્ષત્રિય સમાજની વિશાળ રેલીમાં હજારો લોકો
By Khabarchhe
On

અમદાવાદમાં સોમવારે હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ‘રૂપાલા હટાવો, દેશ બચાવો’ના નારા સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
રાજકોટમાં 23 માર્ચે પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે કરેલી ટીપ્પણીથી રોષે ભરાયેલા લોકોએ સોમવારે અમદાવમાદમાં એક વિશાળ રેલી કાઢી હતી, જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઇ હતી. બત્રીસ ભવનથી નિકળેલી રેલીમાં ક્ષત્રિય સમાજના જુદા જુદા સંગઠનના લોકો જોડાયા હતા. કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ક્ષત્રિય સમાજના આગેવાન રૂતુરાજ ચુડાસમાએ કહ્યું હતું કે, પરષોતમ રૂપાલાએ મહિલાઓનું અપમાન કર્યું છે. ભાજપ જે રામના નામે વોટ માંગી રહી છે તે પણ ક્ષત્રિય સમાજના છે. અમારી એક જ માંગ છે કે રાજકોટ બેઠક પરથી રૂપાલાને હટાવો.
Top News
Published On
દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Published On
By Nilesh Parmar
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Published On
By Nilesh Parmar
કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Published On
By Rajesh Shah
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.