વિદેશથી ભારત આવી રહેલા દરેક 150 યાત્રીઓમાંથી એક પોઝિટિવ કેસ મળી રહ્યો છે

દુનિયાના કેટલાક દેશોમાં કોરોના વાયરસના કેસ ફરીથી ઝડપથી વધી રહ્યા છે. ચીનમાં પરિસ્થિતિ સૌથી વધારે ખરાબ છે. નિષ્ણાંતોનો દાવો છે કે, ન્યુ યર પર ત્યાં પરિસ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. તેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે ગુરુવારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ કહ્યું કે, પહેલી જાન્યુઆરીથી હવે છ દેશોથી ભારતમાં આવનારા યાત્રિઓ માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યા છે. તેમણે યાત્રા કરવા પહેલા પોતાનો કોરોના નેગેટિવ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવો પડશે.

સરકારે જે દેશોના યાત્રિઓ માટે RT-PCR ટેસ્ટ અનિવાર્ય કર્યો છે, તેમાં ચીન, હોંગ કોંગ, જાપાન, સાઉથ કોરિયા, સિંગાપોર અને થાઇલેન્ડ શામેલ છે. ઇન્ટરનેશનલ ટ્રાવેલને લઇને જારી ગાઇડલાઇન પર ભ્રમની સ્થિતિના કારણે એર સુવિધા લાગૂ કરવામાં આવી છે. આમ તો, 24મી ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટથી આવનારા યાત્રિઓમાંથી 2 ટકાનો રેન્ડમ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એ સિવાય એરપોર્ટ પર કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. તે સિવાય એરપોર્ટ પર પ્રવેશ કરવા માટે સ્વાસ્થ્ય અધિકારી યાત્રિઓનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સ્ક્રીનિંગ દરમિયાન જો લક્ષણ દેખાય તો તેમને પ્રોટોકોલ હેઠળ ચિકિત્સા સુવિધા આપવામાં આવી રહી છે.

વિદેશી યાત્રિઓથી એટલા માટે પણ એલર્ટ રહેવાની જરૂર છે કારણ કે, વિદેશથી આવી રહેલા દરેક 150 યાત્રિઓમાંથી એક પોઝિટિવ મળી રહ્યો છે. આંકડા અનુસાર, ભારતમાં એરપોર્ટ્સ પર 2 દિવસમાં 6000 યાત્રિઓનું કોરોના ટેસ્ટિંગ થયું છે. તેમાંથી 39 કોરોનો પોઝિટિવ આવ્યા હતા એટલે કે, 150માંથી એક યાત્રી કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. આ ચિંતા વધારનારી વાત છે કારણ કે, આ દેશના ડેલી એવરેજ કેસથી ઘણા વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલય સંબંધિત સૂત્રોએ કહ્યું હતું કે, ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના સંક્રમણના કેસ વધી શકે છે. દેશ માટે આગામી 40થી 45 દિવસ મહત્વના હશે. જ્યારે, IIT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે પણ માન્યું કે, આગામી થોડા દિવસ કઠિ હોઇ શકે છે. પણ ભારતમાં પૈનિક થવાના કોઇ કારણો નજરે નથી પડી રહ્યા.

ભારતમાં ગયા 24 કલાકમાં 236919 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 268 પોઝિટિવ આવ્યા છે. જ્યારે આ વાયરસે 2 લોકોના જીવ લીધા છે. હવે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3552 થઇ ગઇ છે. ડેલી પોઝિટિવિટી રેટ 0.11 ટકા છે, જ્યારે, વીકલી પોઝિટિવિટી રેટ 0.17 ટકા છે. જ્યારે રિકવરી રેટ 98.80 ટકા છે.

ચીનના મહામારી નિષ્ણાંત વૂ જુન્યોએ આગામી ત્રણ મહિનામાં ત્રણ લહેરો આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે દાવો કર્યો છે કે, ચીન હજુ પહેલી લહેરનો સામનો કરી રહ્યું છે અને તેનો પીક મિડ જાન્યુઆરીમાં આવી શકે છે. તેમણે કહ્યું કે, 21મી જાન્યુઆરીથી ચીનના લૂનર ન્યુ યર દરમિયાન લોકો ટ્રાવેલ કરશે, જેના કારણે બીજી લહેર શરૂ થશે. જાન્યુઆરીના આખરમાં બીજી લહેરની શરૂઆત થઇ શકે છે જે મિડ ફેબ્રુઆરીમાં પુરી થશે. જ્યારે, ત્રીજી લહેર ફેબ્રુઆરીના આખરમાં શરૂ થઇ શકે છે. હોલીડે બાદ લોકો ફરીથી ટ્રાવેલ કરશે અને આ કારણે ત્રીજી લહેર શરૂ થઇ શકે છે અને ત્રીજી લહેર ફેબ્રુઆરીના આખરથી મિડ માર્ચ સુધી ચાલી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.