આવા હતા મારા રામ...

(Utkarsh Patel) હા મારા રામ, તમારા રામ... સૌના રામ.

મારા રામ એમના જીવનના ચોક્કસ સમય માટે વનવાસમાં હતા અને એમની સંગાથે હતા માતા જાનકી અને આદર્શ ભાઈ સ્વરૂપ શ્રી લક્ષ્મણ અને પછી સહયોગી થયા હતા પવનપુત્ર હનુમાનજી મહારાજ.

સૌએ અપાર પીડા અને દુઃખ ભોગવ્યું હતું.

અયોધ્યાનું સુખ અયોધ્યામાં જ મુકીને નીકળ્યા હતા મારા રામ. અણગમો કર્યા વિના વિનમ્ર વિવેક ભાવે સ્મિત સાથે આવકાર્યો હતો વનવાસ મારા રામે.

એક પ્રસંગ મેં સાંભળ્યો હતો એ આપને કહું...

વનવાસના શરૂઆતના સમયે એક દિવસ વનમાં માતા જાનકી અને લક્ષ્મણજી ક્રમમાં પ્રભુ શ્રી રામને પગલે એમની પાછળ ચાલ્યા જતા. માર્ગમાં આવતા કાકરા, કાંટા મારા રામના ચરણોમાં વાગતા પરંતુ રામ કાકરો કે કાંટો વાગ્યાનો દુઃખનો અનુભવ કરવા છતા શાંતિથી ચાલ્યે જતા. રક્ત વાડા કોમળ પગ આગળ વધતા અને પાછળ ચાલતા માતા જાનકી અને લક્ષ્મણજીને સુવાળો મારગ મળતો જતો!

વિરામના સમયે લક્ષ્મણજીએ પ્રભુના ચરણોને જળથી ધોયા અને ત્યારે જ માતા જાનકીએ ચિંતિત અવાજે પ્રભુ શ્રી રામને કહ્યું ‘લાવો તમારા ચરણોના કાંટા કાઢી દઉ એ તમને દુઃખ આપી રહ્યા છે’

મારા રામે માતા જાનકી અને લક્ષ્મણજીને કહ્યું ‘ તમે જેને કાંટા કહો છો તે આગલા જન્મના પાપ કર્મ ભોગવી રહેલ જીવ છે અને એમના અવગુણ સાથે હવે તેઓ મારી શરણે આવ્યા છે. જે મારી શરણે આવ્યા એને હું કઈ રીતે મારાથી દૂર કરું?!!, એમને ત્યાં જ રહેવા દો મારી પાસે. થોડો સાથ આપવા દો મને. એમના દુઃખ હું ભોગવી લઈશ પછી સમય આવ્યે તેઓ મારાથી મુક્ત થઈ સુખી થઈ જશે.‘

કંઈક આવા હતા મારા રામ.

મારા રામ, તમારા રામ... સૌના રામ.

મારા રામ માટે હું સમજું અને વર્ણવું એટલું ઓછું છે. જીવનકાળ ઘટી પડશે મને કદાચ એમને સમજતા.

આવો ભક્તિ કરીએ મારા પ્રભુ શ્રી રામની.

જય સીયારામ

(સુદામા)

About The Author

UD Picture

Top News

એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 1 નવેમ્બર 1949ના રોજ લેવા પાટીદાર પરિવારમાં જન્મેલા ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા જેમને...
Opinion 
એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ

Xiaomi 17 સીરિઝ ભારતમાં લોન્ચ, ફીચર્સ છે જબરદસ્ત, પણ ભાવ જાણીને લેવાનો વિચાર માંડી વાળશો

Xiaomiએ આજે ​​ભારતમાં તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ, Xiaomi 17 સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝમાં બે...
Tech and Auto 
Xiaomi 17 સીરિઝ ભારતમાં લોન્ચ, ફીચર્સ છે જબરદસ્ત, પણ ભાવ જાણીને લેવાનો વિચાર માંડી વાળશો

સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ...
Sports 
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.