ધોરણ 5મા નાપાસ થયો છોકરો તો પહોંચ્યો કોર્ટ, કાયદાકીય લડાઈ બાદ છઠ્ઠામાં આવ્યો

દેશની રાજધાની દિલ્હીમાં એક રસપ્રદ ઘટના સામે આવી છે. અહી એક શાળાએ પાંચમા ધોરણના એક બાળકને નાપાસ કરીને છઠ્ઠા ધોરણમાં મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ 10 વર્ષનો આ છોકરો દિલ્હી હાઇકોર્ટ પહોંચ્યો હતો. અધિકારની આ લડાઈમાં વાલીઓ અને વકીલે પણ તેનો સાથ આપ્યો. અંતે તેણે પોતાનો હક્ક હાંસલ કરી લીધો. આ ઘટના અલકનંદા સ્થિત એક ખાનગી શાળાની છે. 10 વર્ષીય છોકરાએ વર્ષ 2023-24માં પાંચમા ધોરણની પરીક્ષા આપી હતી, પરંતુ શાળાએ પહેલા તો પરિણામ બતાવ્યા વિના માત્ર 15 દિવસની અંદર 6 માર્ચ અને 18 માર્ચે 2 વખત પરીક્ષા લીધી.

પછી નાપાસ કરીને આગલા ધોરણમાં મોકલવાનો ઇનકાર કરી દીધો. વિદ્યાર્થીએ તેની વિરુદ્ધ દિલ્હી હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી. તેણે કહ્યું કે, આ શિક્ષણ અધિનિયમની કલમ 16 (3)નું ઉલ્લંઘન છે. છોકરાના પિતાના માધ્યમથી દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારતા જસ્ટિસ સી. હરિશંકરની બેન્ચે કહ્યું કે, સંતુલનનો એક સિદ્ધાંત બાળકના હકમાં છે. જો તેને પ્રમોટ કરવામાં આવતો નથી તો તેનાથી તેનું શિક્ષણ પ્રભાવિત થાય છે. જેની ભરપાઈ થઈ શકાતી નથી, જ્યારે શાળા તેને છઠ્ઠા ધોરણમાં બેસવા દે છે તો તેનાથી શાળા પર કોઈ પ્રતિકૂળ પ્રભાવ નહીં પડે.

બાળકે શાળા પર આરોપ લગાવ્યો કે, તેને ખોટી રીતે નાપાસ કરવામાં આવ્યો છે. તેનાથી શિક્ષણ અધિકાર અધિનિયમનું ઉલ્લંઘન થયું છે. દિલ્હી હાઇ કોર્ટે કેસ પર સુનાવણી કરતા કહ્યું કે, ખાનગી શાળા અને શિક્ષણ વિભાગ પાસે 4 અઠવાડિયામાં જવાબ કહ્યું છે. કેસ પર આગામી સુનાવણી 4 જુલાઈએ થશે. કોર્ટમાં અરજી દાખલ કરનાર બાળકનું કહેવું છે કે શાળાએ તેને નાપાસ થવાની જાણકારી ન આપી. એ સિવાય તેને પરીક્ષા માટે 2 મહિનાનો સમય પણ આપવો જોઈતો હતો. જેથી પરીક્ષાની તૈયારી કરી શકે. જો કે, શાળાનું કહેવું હતું કે 2 મહિનાની અંદર ગમે ત્યારે પરીક્ષા લઈ શકાય છે.

About The Author

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.