12મા ધોરણના પુસ્તકમાંથી ગાંધીજીની હિન્દુ-મુસ્લિમ એકતા અને RSS પર બેનના અંશ હટ્યા

રાષ્ટ્રીય શિક્ષણ અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (NCERT)ના નવા શૈક્ષણિક સત્ર માટે 12માં ધોરણાંની રાજનૈતિક વિજ્ઞાનના પુસ્તકમાં કેટલાક બદલાવ થયા છે. તેમાં મહાત્મા ગાંધીના મોતનો દેશની સાંપ્રદાયિક સ્થિતિ પર પ્રભાવ અને ગાંધીની હિન્દુ મુસ્લિમ એકતાની અવધારણાને હિન્દુ કટ્ટરપંથીઓને ઉશ્કેર્યા જેવા અંશ નથી. એ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) જેવા સંગઠનો પર થોડા સમય માટે પ્રતિબંધ સહિત ઘણા પાઠ્ય અંશને પણ હટાવી દેવામાં આવ્યા છે. જો કે, NCERTએ એવો દાવો કરો છે કે આ વર્ષે પાઠ્યક્રમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી અને પાઠ્યક્રમને ગયા વર્ષે જૂનમાં યુક્તિસંગત બનવામાં આવ્યો છે.

ગયા વર્ષે પાઠ્યક્રમને યુક્તિસંગત બનાવવા અને કેટલાક અંશો અપ્રાસંગિક હોવાના આધાર પર NCERTએ ગુજરાત દંગાઓ, મુઘલ દરબાર, ઇમરજન્સી, શીત યુદ્ધ, નક્સલ આંદોલન વગેરેને પાઠ્યક્રમને હટાવી દીધા હતા. પાઠ્યપુસ્તકને યુક્તિસંગત બનવાના નોટમાં મહાત્મા ગાંધીના અંશ બાબતે કોઈ ઉલ્લેખ નથી. NCERTના ડિરેક્ટર દિનેશ સકલાનીએ કહ્યું કે, પાઠ્યક્રમને યુક્તિસંગત બનાવવાની કવાયત ગયા વર્ષે કરવામાં આવી અને આ વર્ષે જે કંઈ થયું છે એ નવું નથી. જો કે તેમણે જાહેરાત કર્યા વિના યુક્તિસંગત બનાવવાની કવાયતના પરિણામ સ્વરૂપ હટાવવામાં આવેલા અંશો બાબતે કોઈ ટિપ્પણી કરી નથી.

NCERTની વેબસાઇટ પર એક નોટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં લેતા એ અનુભવાયું કે વિદ્યાર્થીઓ પર પાઠ્ય સામગ્રીના ભારને ઓછો કરવામાં આવે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પાઠ્ય સામગ્રીના ભારને હળવો કરવા અને રચનાત્મક વિચારનો ઉપયોગ કરીને અનુભવના આધાર પર શીખવા પર ભાર આપવામાં આવ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં બધી ધોરણોમાં અને બધા વિષયોમાં પાઠ્યપુસ્તકોને યુક્તિ સંગત બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સત્ર બદલાવ બાદ નવા રૂપમાં તૈયાર સત્ર અને વર્તમાન પાઠ્યપુસ્તક યુક્તિસંગત પુસ્તક છે. તેને વર્ષ 2022-23માં યક્તિ સંગત બનાવવામાં આવ્યું હતું અને વર્ષ 2023-24માં પણ ચાલુ રહેશે. શિક્ષણ મંત્રાલયના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરત પર જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ નવા પાઠ્યક્રમના ઢાંચા પર અત્યારે પણ કામ ચાલી રહ્યું છે અને નવી પાઠ્યચર્યા અકાદમીક સત્ર 2024થી રજૂ કરવામાં આવશે.

About The Author

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.