મંત્રીએ વિધાનસભામાં જણાવ્યા બેરોજગારીના આંકડા, સૌથી વધુ આ જિલ્લામાં બેરોજગાર

ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન રાજ્ય સરકારે ચોંકાવનારી વિગત રજૂ કરી છે. રોજગારીના મસમોટા દાવાઓની વચ્ચે વિધાનસભામાં રાજ્ય સરકારે બેરોજગારીના ચોંકાવનારા આંકડા રજૂ કર્યા હતા. વિપક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના 31 જિલ્લાઓમાં કુલ 2,83,140 બેરોજગાર નોંધાયેલા છે.

વિધાનસભામાં રાજ્ય સરકારે માહિતી આપી કે, રાજ્યના 31 જિલ્લાઓમાં શિક્ષિત બેરોજગાર 2,70,922 અને અર્ધ શિક્ષિત બેરોજગાર 12,219 મળીને કુલ 2,83,140 યુવાન બેરોજગાર છે. આ સાથે રાજ્ય સરકારે દાવો કર્યો છે કે, કુલ 4,70,444 બેરોજગારોને ખાનગીમાં રોજગારી પૂરી પાડવામાં આવી છે. જ્યારે સરકારી રોજગાર કચેરી દ્વારા કેટલા બેરોજગારોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે તે અંગે કોઈ માહિતી રજૂ કરવામાં નથી આવી. રજૂ કરાયેલા માહિતી મુજબ, રાજ્યમાં સૌથી વધુ બેરોજગાર વડોદરામાં 26,507 છે જ્યારે અમદાવાદમાં બેરોજગારોની સંખ્યા 17,896, રાજકોટમાં 12,006, ગાંધીનગરમાં 6,729 અને સુરતમાં 11,640 યુવાન બેરોજગાર છે.

આ સાથે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં માહિતી આપી કે, છેલ્લા બે વર્ષમાં ગટર સાફ કરવા ઉતરેલા 11 સફાઈકર્મચારીઓના મોત થયા છે. સરકારે જણાવ્યું કે, વર્ષ 2021માં 7, વર્ષ 2022માં 4 સફાઈ કર્મચારીઓના મોત ગટર સાફ કરવાથી થયા છે. આ સાથે સરકારે જણાવ્યું કે, 5 મૃતકના પરિવારને સહાય પણ ચુકવવામાં આવી છે, જ્યારે અન્ય 6 મૃતક સફાઇકર્મચારીઓના પરિવારને સહાય ચુકવવાની બાકી છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.