અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના જીવનમાં પ્રગતિ કરે છે. તો તેના માટે સરકાર મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. સારું અને હાઇક્વાલિટીનું શિક્ષણ મળે તેની જવાબદારી શિક્ષકોના માથે તો હોય જ છે, પરંતુ સરકારે પણ તેની પાછળ ઘણા પાસા પર ધ્યાન આપવું પડે, કે સરકારી શાળાઓમાં ક્યાં કમી રહી જાયા છે. સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેટલું પ્રદર્શન કેમ કરી શકતી નથી? તેણે વધુ સરકારી શાળા ખોલવાની જરૂર છે કે પછી વધુ શિક્ષકોની? અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમની કેટલી નવી શકાઓ ઊભી કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે એ તમામ તમામ મુદ્દાઓ પર સરકારે ધ્યાન આપવું પડે, પરંતુ ગુજરાતનું શિક્ષણ વિભાગ રાજ્યની ખાનગી શાળાઓ પર મહેરબાન થયું હોય તેમ લાગી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતા ઠેર-ઠેર અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ ખૂલી રહી છે અને તેની સામે અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી નથી, જેથી અનેક સવાલ થાય છે.

school1
deshgujarat.com

ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાએને લઈને આંતરિક સવાલોની લિસ્ટમાં વિગત બહાર આવી છે તે મુજબ ગુજરાતમાં તાજેતરમાં 135 અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની એકપણ સરકારી શાળા આવેલ નથી. વર્ષ 2020-23 દરમિયાન અંગ્રેજી માધ્યમની 51 પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી. અંગ્રેજી માધ્યમની શાળાઓને લાઇન એવી માહિતી મળી રહી છે કે છેલ્લા 3 વર્ષમાં અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળાની મંજૂરી આપવામાં આવી નથી. તો રાજ્ય સરકાર કેમ અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ મામલે નિરસ વલણ રાખી રહી છે?

સામાન્ય રીતે અગાઉ લોકોના મનમાં સરકારી શાળાઓને લઈને એક એવી છાપ પડી ગઈ હતી. જેમાં જૂના રૂમ, બગડેલી હાલતમાં પડેલા પંખા, તૂટેલી બેન્ચ અને શિક્ષકોમાં પણ ગેરશિસ્ત અને અનિયમિતતા જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 9 વર્ષમાં સરકારી શાળાઓની છબી બદલાય છે અને સરકારી શાળાઓની કાયાપલટ થઈ ગઈ છે.

school
educationworld.in

મીડિયા રીપોર્ટ મુજબ છેલ્લા ઘણા સમયથી ખાનગી શાળાઓ છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે. સરકારી શાળાઓની કાયાપલટ થતાં તે સ્માર્ટ સ્કૂલો બની ગઈ છે અને એટલે જ રાજકોટ તેમજ સુરતમાં વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી રહ્યા છે. રાજકોટમાં ખાનગીશાળામાંથી 2,339 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો. જ્યારે તાજેતરમાં સુરતમાં પણ અનેક લોકો સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા જોવા મળ્યા હતા.

અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જંગી ફી વસૂલવામાં આવતી હોય છે અને  તેમાં પણ શિક્ષણ સિવાય બિનજરૂરી પ્રવૃત્તિઓ કરવવામાં આવતી હોવાથી વાલીઓ હતાશ થઈને હવે સરકારી શાળાઓ તરફ વળ્યા છે. સરકારી શાળાઓમાં દરેક બાળક સારું ભણે એવા આશય સાથે ગુણવત્તાયુક્ત ફ્રી શિક્ષણ આપવામાં આવે છે તેમજ સરકાર અભ્યાસલક્ષી કાર્યક્રમો કરે છે. અને એટલે જ સરકારી શાળાઓ વિદ્યાર્થીઓ સાથે વાલીઓને આકર્ષી રહી છે. એ છતા રાજ્ય સરકાર અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ ખોલવામાં નિરસ વલણ અપનાવી રહી છે. શું સરકારને અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં જરાય રસ નથી? શું સરકારને બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણીને આગળ વધે, ગુજરાતનું ગૌરવ વધારે એ નથી ગમતું?

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.