- Education
- અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના જીવનમાં પ્રગતિ કરે છે. તો તેના માટે સરકાર મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. સારું અને હાઇક્વાલિટીનું શિક્ષણ મળે તેની જવાબદારી શિક્ષકોના માથે તો હોય જ છે, પરંતુ સરકારે પણ તેની પાછળ ઘણા પાસા પર ધ્યાન આપવું પડે, કે સરકારી શાળાઓમાં ક્યાં કમી રહી જાયા છે. સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેટલું પ્રદર્શન કેમ કરી શકતી નથી? તેણે વધુ સરકારી શાળા ખોલવાની જરૂર છે કે પછી વધુ શિક્ષકોની? અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમની કેટલી નવી શકાઓ ઊભી કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે એ તમામ તમામ મુદ્દાઓ પર સરકારે ધ્યાન આપવું પડે, પરંતુ ગુજરાતનું શિક્ષણ વિભાગ રાજ્યની ખાનગી શાળાઓ પર મહેરબાન થયું હોય તેમ લાગી રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતા ઠેર-ઠેર અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ ખૂલી રહી છે અને તેની સામે અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી નથી, જેથી અનેક સવાલ થાય છે.

ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાએને લઈને આંતરિક સવાલોની લિસ્ટમાં વિગત બહાર આવી છે તે મુજબ ગુજરાતમાં તાજેતરમાં 135 અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની એકપણ સરકારી શાળા આવેલ નથી. વર્ષ 2020-23 દરમિયાન અંગ્રેજી માધ્યમની 51 પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી. અંગ્રેજી માધ્યમની શાળાઓને લાઇન એવી માહિતી મળી રહી છે કે છેલ્લા 3 વર્ષમાં અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળાની મંજૂરી આપવામાં આવી નથી. તો રાજ્ય સરકાર કેમ અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ મામલે નિરસ વલણ રાખી રહી છે?
સામાન્ય રીતે અગાઉ લોકોના મનમાં સરકારી શાળાઓને લઈને એક એવી છાપ પડી ગઈ હતી. જેમાં જૂના રૂમ, બગડેલી હાલતમાં પડેલા પંખા, તૂટેલી બેન્ચ અને શિક્ષકોમાં પણ ગેરશિસ્ત અને અનિયમિતતા જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 9 વર્ષમાં સરકારી શાળાઓની છબી બદલાય છે અને સરકારી શાળાઓની કાયાપલટ થઈ ગઈ છે.

મીડિયા રીપોર્ટ મુજબ છેલ્લા ઘણા સમયથી ખાનગી શાળાઓ છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે. સરકારી શાળાઓની કાયાપલટ થતાં તે સ્માર્ટ સ્કૂલો બની ગઈ છે અને એટલે જ રાજકોટ તેમજ સુરતમાં વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી રહ્યા છે. રાજકોટમાં ખાનગીશાળામાંથી 2,339 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો. જ્યારે તાજેતરમાં સુરતમાં પણ અનેક લોકો સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા જોવા મળ્યા હતા.
અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જંગી ફી વસૂલવામાં આવતી હોય છે અને તેમાં પણ શિક્ષણ સિવાય બિનજરૂરી પ્રવૃત્તિઓ કરવવામાં આવતી હોવાથી વાલીઓ હતાશ થઈને હવે સરકારી શાળાઓ તરફ વળ્યા છે. સરકારી શાળાઓમાં દરેક બાળક સારું ભણે એવા આશય સાથે ગુણવત્તાયુક્ત ફ્રી શિક્ષણ આપવામાં આવે છે તેમજ સરકાર અભ્યાસલક્ષી કાર્યક્રમો કરે છે. અને એટલે જ સરકારી શાળાઓ વિદ્યાર્થીઓ સાથે વાલીઓને આકર્ષી રહી છે. એ છતા રાજ્ય સરકાર અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ ખોલવામાં નિરસ વલણ અપનાવી રહી છે. શું સરકારને અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં જરાય રસ નથી? શું સરકારને બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણીને આગળ વધે, ગુજરાતનું ગૌરવ વધારે એ નથી ગમતું?
Top News
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
Opinion
