અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના જીવનમાં પ્રગતિ કરે છે. તો તેના માટે સરકાર મહત્વની ભૂમિકા ભજવતી હોય છે. સારું અને હાઇક્વાલિટીનું શિક્ષણ મળે તેની જવાબદારી શિક્ષકોના માથે તો હોય જ છે, પરંતુ સરકારે પણ તેની પાછળ ઘણા પાસા પર ધ્યાન આપવું પડે, કે સરકારી શાળાઓમાં ક્યાં કમી રહી જાયા છે. સરકારી શાળાઓ ખાનગી શાળાઓ જેટલું પ્રદર્શન કેમ કરી શકતી નથી? તેણે વધુ સરકારી શાળા ખોલવાની જરૂર છે કે પછી વધુ શિક્ષકોની? અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમની કેટલી નવી શકાઓ ઊભી કરવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે એ તમામ તમામ મુદ્દાઓ પર સરકારે ધ્યાન આપવું પડે, પરંતુ ગુજરાતનું શિક્ષણ વિભાગ રાજ્યની ખાનગી શાળાઓ પર મહેરબાન થયું હોય તેમ લાગી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળતા ઠેર-ઠેર અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓ ખૂલી રહી છે અને તેની સામે અંગ્રેજી માધ્યમની એક પણ સરકારી શાળાને મંજૂરી આપવામાં આવી નથી, જેથી અનેક સવાલ થાય છે.

school1
deshgujarat.com

ગુજરાતમાં અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાએને લઈને આંતરિક સવાલોની લિસ્ટમાં વિગત બહાર આવી છે તે મુજબ ગુજરાતમાં તાજેતરમાં 135 અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ છે, જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની એકપણ સરકારી શાળા આવેલ નથી. વર્ષ 2020-23 દરમિયાન અંગ્રેજી માધ્યમની 51 પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી હતી. અંગ્રેજી માધ્યમની શાળાઓને લાઇન એવી માહિતી મળી રહી છે કે છેલ્લા 3 વર્ષમાં અંગ્રેજી માધ્યમની એકપણ સરકારી શાળાની મંજૂરી આપવામાં આવી નથી. તો રાજ્ય સરકાર કેમ અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ મામલે નિરસ વલણ રાખી રહી છે?

સામાન્ય રીતે અગાઉ લોકોના મનમાં સરકારી શાળાઓને લઈને એક એવી છાપ પડી ગઈ હતી. જેમાં જૂના રૂમ, બગડેલી હાલતમાં પડેલા પંખા, તૂટેલી બેન્ચ અને શિક્ષકોમાં પણ ગેરશિસ્ત અને અનિયમિતતા જોવા મળતી હતી, પરંતુ છેલ્લા 9 વર્ષમાં સરકારી શાળાઓની છબી બદલાય છે અને સરકારી શાળાઓની કાયાપલટ થઈ ગઈ છે.

school
educationworld.in

મીડિયા રીપોર્ટ મુજબ છેલ્લા ઘણા સમયથી ખાનગી શાળાઓ છોડી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે. સરકારી શાળાઓની કાયાપલટ થતાં તે સ્માર્ટ સ્કૂલો બની ગઈ છે અને એટલે જ રાજકોટ તેમજ સુરતમાં વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી રહ્યા છે. રાજકોટમાં ખાનગીશાળામાંથી 2,339 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ લીધો હતો. જ્યારે તાજેતરમાં સુરતમાં પણ અનેક લોકો સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા જોવા મળ્યા હતા.

અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જંગી ફી વસૂલવામાં આવતી હોય છે અને  તેમાં પણ શિક્ષણ સિવાય બિનજરૂરી પ્રવૃત્તિઓ કરવવામાં આવતી હોવાથી વાલીઓ હતાશ થઈને હવે સરકારી શાળાઓ તરફ વળ્યા છે. સરકારી શાળાઓમાં દરેક બાળક સારું ભણે એવા આશય સાથે ગુણવત્તાયુક્ત ફ્રી શિક્ષણ આપવામાં આવે છે તેમજ સરકાર અભ્યાસલક્ષી કાર્યક્રમો કરે છે. અને એટલે જ સરકારી શાળાઓ વિદ્યાર્થીઓ સાથે વાલીઓને આકર્ષી રહી છે. એ છતા રાજ્ય સરકાર અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ ખોલવામાં નિરસ વલણ અપનાવી રહી છે. શું સરકારને અંગ્રેજી માધ્યમની શાળાઓ ખોલવામાં જરાય રસ નથી? શું સરકારને બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણીને આગળ વધે, ગુજરાતનું ગૌરવ વધારે એ નથી ગમતું?

About The Author

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.