5 વર્ષે 'દયાબેન' પતિ-પુત્ર સાથે જાહેરમાં દેખાતા ફેન્સ ખુશ થઇ ગયા, તેમ પણ ગરબામાં

દર્શકો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ દિશા વાકાણી ઉર્ફે દયાબેનને મિસ કરી રહ્યાં છે. જેઠાલાલ અને દયાબેનની જોડીને શોની લાઈફ લાઈન કહેવામાં આવી હતી. દયાબેને જ્યારથી શો છોડ્યો ત્યારથી દર્શકો તેમને ખૂબ જ મિસ કરે છે અને લાંબા સમયથી શોમાં પાછા ફરવાની માંગ કરી રહ્યા છે. શો છોડ્યા પછી દિશા વાકાણી લાંબા સમયથી ક્યાંય જોવા મળ્યા નથી. તેણે પોતાને જાહેર જીવનથી દૂર રાખી હતી.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી રાતોરાત સ્ટારડમ પર પહોંચેલી અભિનેત્રી દિશા વાકાણી તાજેતરમાં નવરાત્રીની ઉજવણી કરતી જોવા મળી હતી. તે લગભગ 5 વર્ષ પછી લોકોની સામે જાહેરમાં આવી હતી. આ વખતે દયાબેન બનીને ચમકનાર દિશા વાકાણીની સાથે તેના પુત્ર અને પતિ પણ હતા.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનું પાત્ર ભજવીને ઘરે ઘરે ફેમસ થયેલી દિશા વાકાણી તાજેતરમાં એક ઈવેન્ટમાં જોવા મળી હતી. તે લગભગ 5 વર્ષ પછી જાહેર જગ્યાએ જોવા મળી હતી. આ સમયે તેનો પતિ અને પુત્ર પણ તેની સાથે હતા. દિશા વાકાણી ગુલાબી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તે નવરાત્રીના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

દિશા વાકાણીએ 16 ઓક્ટોબરે પતિ મયુર પડિયા અને પુત્ર સાથે નવરાત્રીની ઉજવણીમાં ભાગ લીધો હતો. જ્યારે દિશા વાકાણીએ ગુલાબી અને સોનેરી રંગનો લહેંગા પહેર્યો હતો, ત્યારે તેના પતિએ ગુલાબી રંગની શેરવાની પહેરી હતી, અને તેમના પુત્રને હાથમાં ઉંચકેલો હતો. લગ્ન પછી આ પહેલીવાર સત્તાવાર રીતે બન્યું જ્યારે દિશા વાકાણી તેના પતિ સાથે પાપારાઝી સામે આવી.

અહીં તમને જણાવી દઈએ કે, દિશા વાકાણી 2017થી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સાથે સાથે એક્ટિંગથી પણ દૂર છે. 2017માં, તેણે પુત્રીના જન્મ પછી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી દીધો હતો. થોડા સમય પછી, એવા અહેવાલો આવ્યા હતા કે દિશા વાકાણી શોમાં પરત ફરશે, પરંતુ કેટલાક કારણોસર મામલો અધવચ્ચે જ અટકી ગયો. આ પછી મે 2022માં દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો. ત્યારથી દિશા વાકાણી તેના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે. તે ન તો અભિનયની દુનિયામાં પછી ફરી, અને ન તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શોમાં.

જો કે આસિત મોદીએ દિશા વાકાણીને શોમાં પરત લાવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ અમુક બાબતો પર તે વાત અટકી ગઈ હતી. આમ તો, અસિત મોદીએ એક ઈન્ટરવ્યુમાં ચોક્કસપણે કહ્યું હતું કે, દયાબેન ટૂંક સમયમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પરત ફરશે. આ ઉપરાંત અસિત મોદીએ આ શોમાં દિશા વાકાણીના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. પરંતુ હવે દયાબેન શોમાં પાછા ક્યારે આવશે, દિશા વાકાણી આવશે કે અન્ય કોઈ, તે અંગે હાલ કોઈ માહિતી નથી.

About The Author

Related Posts

Top News

બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસ પુરવઠો ખોરવાયા બાદ, સરકાર અને તેલ કંપનીઓએ ગભરાટ ટાળવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા...
Business 
બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન
Copyright (c) Khabarchhe All Rights Reserved.