જાવેદ અખ્તર અને કંગનાએ કોર્ટ બહાર સમાધાન કર્યું, કંગનાએ જુઓ શું પોસ્ટ કર્યું

કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જાવેદ અખ્તરે કંગના દ્વારા આપવામાં આવેલા એક નિવેદન પર તેના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલો 2020થી કોર્ટમાં હતો. નવીનતમ અપડેટ એ છે કે, બંનેએ આ મામલો ઉકેલી લીધો છે. લગભગ પાંચ વર્ષથી એકબીજા પર આરોપ લગાવી રહેલા કંગના અને જાવેદે કોર્ટની બહાર મામલો ઉકેલી લીધો. ફક્ત એટલું જ નહીં, કંગનાએ એમ પણ કહ્યું કે, જાવેદ અખ્તર તેની આગામી ફિલ્મ માટે એક ગીત પણ લખશે.

કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર જાવેદ અખ્તર સાથેનો એક ફોટો શેર કર્યો છે. લખ્યું, 'આજે જાવેદ અખ્તર જી અને મેં અમારા કાનૂની મામલાનું સમાધાન કરી લીધું છે. આ સમય દરમિયાન, જાવેદજી ખૂબ જ દયાળુ હતા, તેઓ મારી આગામી દિગ્દર્શક ફિલ્મ માટે ગીતો પણ લખશે.'

Kangana, Javed Akhtar
navbharattimes.indiatimes.com

ગયા વર્ષે સમાચાર આવ્યા હતા કે, જાવેદ અખ્તર કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટની માંગ કરી રહ્યા છે. કારણ કે તે ઘણા દિવસોથી કોર્ટમાં હાજર રહી ન હતી.

જેમને ખબર નથી, તેમને જણાવી દઈએ કે, વર્ષ 2020માં, કંગનાએ એક TV ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો હતો. તે ઇન્ટરવ્યુમાં કંગનાએ જાવેદ અખ્તર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 2016માં જાવેદે તેમને તેના ઘરે બોલાવી હતી. તેમને રિતિક રોશનના પરિવારની માફી માંગવાનું કહેવામાં આવ્યું. કંગનાએ આરોપ લગાવ્યો હતો કે, જાવેદ અખ્તરે ધમકી આપી હતી કે, જો તે આમ નહીં કરે તો તેનું કરિયર બરબાદ કરી દેશે. કંગનાના આ આરોપો પછી જાવેદ અખ્તરે 2020માં જ કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

Kangana, Javed Akhtar
hindi.newsroompost.com

કંગનાએ આ કેસ સામે વળતી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કંગનાએ જાવેદ અખ્તર પર ખંડણી અને ગુનાહિત ધાકધમકીનો આરોપ લગાવ્યો હતો. જોકે, આ કેસમાં, 24 જુલાઈ, 2023ના રોજ, અંધેરીની એક મેજિસ્ટ્રેટ કોર્ટે જાવેદ અખ્તર સામે ખંડણીના આરોપોને રદ કર્યા. આ પાંચ વર્ષોમાં, કંગના અને જાવેદે એકબીજા વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા.

2023માં એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે, તે રાત્રે જ્યારે કંગના તેની બહેન રંગોલી સાથે તેના ઘરે આવી ત્યારે ખરેખર શું થયું હતું. જાવેદે કહ્યું કે તે કંગનાને ઓળખતો નથી. તેમનો એક મિત્ર છે જેનું નામ ડૉ. રમેશ અગ્રવાલ છે, જે કંગનાની પણ નજીક છે. જાવેદ અખ્તર તેમના દ્વારા કંગનાને મળ્યા હતા.

જાવેદ અખ્તરને પૂછવામાં આવ્યું કે, શું કંગનાએ ક્યારેય તેમને રિતિક રોશનના મામલામાં દખલ કરવાનું કહ્યું હતું. આનો જવાબ તેમણે નકારાત્મકમાં આપ્યો. તેમણે કહ્યું કે કંગનાને પહેલાથી જ ખબર હતી કે, આ મીટિંગમાં શું થવાનું છે. જાવેદના મતે, વાતચીત દરમિયાન કંગના તેની કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતી. જોકે, તેમણે ઉમેર્યું કે તે ગુસ્સામાં તે સ્થળ છોડીને ગઈ ન હતી.

About The Author

Related Posts

Top News

વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

ભારતની 2027ની વસ્તી ગણતરી દરમિયાન પહેલીવાર એક કામ નહીં કરવામાં આવે. કેન્દ્ર સરકારે એક નિર્ણય લીધો છે, જેની નોટિફિકેશન...
National 
વસ્તી ગણતરીમાં ભિખારીઓ અને ભટકતા લોકોના ડેટા નહીં હોય, સરકારે આ નિર્ણય કેમ લીધો?

હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાયલટોની સુરક્ષાને લઈને મોટું પગલું ભરવાની તૈયારી કરી રહ્યું છે. મંત્રાલય વર્ષમાં એક વખત તમામ પાઇલટ્સનો ફરજિયાત...
National 
હવે દર વર્ષે DGCA દ્વારા તમામ પાઈલટનો ડોપ ટેસ્ટ કરવામાં આવશે; તૈયારીઓ શરૂ

દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને એક નવો સ્ટાર મળ્યો છે. વાત થઇ રહી છે દેવદત્ત પડિક્કલની, જેણે શ્રીલંકા સામે...
Sports 
દેવદત્ત પડિક્કલને પડતો મૂકવો હવે અશક્ય, શું ODI ટીમમાં પણ એન્ટ્રી મળશે?

ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

શેર બજારમાં 25 ઓગસ્ટના રોજ ખાંડના શેરોમાં ખૂબ અસ્થિરતા જોવા મળી. બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન સુગર અને શ્રી રેણુકા...
Business 
ખાંડના શેરોમાં ભારે વેચવાલી, સરકારની એક નોટિફિકેશનથી ખેલ બદલાઇ ગયો!

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.