શાહરૂખની ફિલ્મ 'પઠાણ'ના બોક્સઓફિસ કલેક્શન પર કાજોલની હાંસી, બોલી...

શાહરૂખ ખાને વર્ષ 2023ની શરૂઆતમાં બ્લોક-બસ્ટર ફિલ્મ પઠાણ રીલિઝ કરીને ઘણાં રેકોર્ડ પોતાના નામે કર્યા હતાં. આ ફિલ્મ એક્શન પેક સીન્સથી ભરપૂર હતી. દુનિયાભરમાં આ ફિલ્મે 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. જેની ચર્ચા હજુ પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. તેની વચ્ચે કિંગ ખાનના ફેન્સ તેની આવનારી ફિલ્મ 'જવાન'ને લઇ પણ ઘણાં ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મના ટ્રેલરને પણ લોકોનો ખૂબ પ્રેમ જોવા મળ્યો છે. કિંગ ખાનની આ આવનારી ફિલ્મને લઇ પણ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે, શાહરૂખની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રેકોર્ડ તોડી શકે છે.

જોકે, આ બધાની વચ્ચે બોલિવુડ અદાકારા અને શાહરૂખની ખાસ મિત્ર કાજોલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં અદાકારા શાહરૂખની ફિલ્મ પઠાણના બોક્સ ઓફિસ કલેક્શનને લઇ વાત કરતી જોવા મળી રહી છે. કાજોલનો આ વીડિયો કમાલ આર ખાને તેના ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે.

કમાલ આર ખાને ટ્વીટર પર શેર કરેલા વીડિયોમાં કાજોલ એક ઈન્ટરવ્યૂ આપી રહી હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન કાજોલ કિંગ ખાનની ફિલ્મ પઠાણ વિશે વાત કરતી જોવા મળી રહી છે. અભિનેત્રી કહે છે કે, શાહરૂખ ખાનને શું પૂછું હું? બધુ જ તો સોશિયલ મીડિયા પર છે. તો કાજોલના મનમાં પ્રશ્ન આવે છે કે, શું ખરેખર પઠાણે આટલી બધી કમાણી કરી છે? ત્યાર બાદ અભિનેત્રી હસવા લાગે છે.

આ વીડિયોને શેર કરતા કમાલ ખાને લખ્યું, કાજોલ પઠાણના બિઝનેસને લઇ હાંસી ઉડાવી રહી છે. જેનો અર્થ થાય છે કે, કાજોલનો પતિ અજય દેવગણ ઘરે તેની સાથે પઠાણના ખોટા કલેક્શનને લઇ વાત કરતો હશે કે ફિલ્મે ખોટી કમાણી દેખાડી છે. આ છે બોલિવુડની ખરી તસવીર.

આ ટ્વીટર પોસ્ટને જોઇ કિંગ ખાનના ફેન્સનું રિએક્શન સામે આવ્યું છે. લોકો શાહરૂખના સપોર્ટમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કાજોલ હાલમાં પોતાના OTT ડેબ્યૂ શો 'ધ ટ્રાયલ' ને લઇ ચર્ચામાં છે. હાલમાં અદાકારા તેના આ શોના પ્રમોશનને લઇ વ્યસ્ત જોવા મળી રહી છે. સાથે જ અભિનેત્રી તેની નો કિસિંગ પોલિસીને તોડવાને લઇ પણ ચર્ચાનો વિષય બની છે.

શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ દ્વારા અભિનિત ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરીના રોજ રીલિઝ થઇ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ બનાવ્યા અને તોડ્યા પણ હતા. આ ફિલ્મનું દુનિયાભરમાં લાઇફટાઇમ કલેક્શન 1055 કરોડ છે. જ્યારે ભારતમાં 525 કરોડનો બિઝનેસ કર્યો છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.