ક્યારે થશે દયાબેનની વાપસી, પ્રશ્ન સાંભળીને ઐયર થયો ઈરિટેટ, કહ્યું- સંસદ ભવનમાં...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટને ચાહકો તેમના ઓન-સ્ક્રીન નામોથી વધુ ઓળખે છે. શોમાં ઐયરનું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દેએ ખુલાસો કર્યો કે આ શોએ તેમનું જીવન બદલી નાખ્યું. તેમણે ક્યારેય કામ મળવાની અપેક્ષા નહોતી રાખી, પરંતુ દિલીપ જોશીએ તેમને આ તક આપી. તેમણે દયાબેનના વાપસીની પણ ચર્ચા કરી.

dayaben
koimoi.com

'જેઠાલાલ' સાથેનો આપ્યો પહેલો શોટ

તનુજે શેર કર્યું કે તે શોની સ્ટાર કાસ્ટ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણી લાંબા સમયથી શોમાંથી ગેરહાજર હોવા છતાં, તે તેમના કોન્ટેક્ટમાં છે. સ્ક્રીન સાથેની વાતચીતમાં તનુજે તેની કારકિર્દી વિશે ચર્ચા કરી અને કહ્યું કે તે ઇચ્છે છે કે લોકો ઐયર ઉપરાંત તેમના સાચા વ્યક્તિત્વને પણ જાણે. સાથે જ તેમણે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે પણ વાત કરી.


તેમણે કહ્યું, "દિલીપજી ખૂબ જ સિનિયર અભિનેતા છે, અને હું તેમનો ખૂબ આદર કરું છું. તેમણે મારા પાત્રને વિકસાવવામાં મને ઘણી મદદ કરી છે. મેં તેમની સાથે 'યે દુનિયા હૈ રંગીન'માં મારો પહેલો શોટ પણ શૂટ કર્યો હતો. સ્ક્રીન પર જે પણ લાઈવલરી દેખાય છે, તે ફક્ત મનોરંજન માટે હોય છે, અને લોકો હજુ પણ તેને યાદ કરે છે."

dayaben2
timesofindia.indiatimes.com

દિશા વાકાણી સાથે છે તેનો ગાઢ સંબંધ 

દિશા વાકાણીને યાદ કરતાં, તનુજે કહ્યું કે તે હજુ પણ તેની સાથે વાત કરે છે. "મારો દિશા વાકાણી સાથે ખૂબ જ સારો સંબંધ હતો. તે હજુ પણ કોન્ટેક્ટમાં છે. તે મારા માટે બહેન જેવી છે. જ્યારે મારી માતાનું અવસાન થયું, ત્યારે તેણે મને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. તે હંમેશા મારી સાથે ખૂબ જ પ્રેમ અને આદરથી વર્તે છે. અમે તેમને ખૂબ જ યાદ કરીએ છીએ."

તનુજે વધુમાં ઉમેર્યું, "તે ખૂબ મોટી સ્ટાર હતી, છતાં ખૂબ જ સરળ હતી. તે બધાને સમાન માનતી હતી. તે ઘરે બનાવેલું જમવાનું લાવતી અને ખાસ કરીને એકલા રહેતા લોકોનું ધ્યાન રાખતી. ગુરુચરણ સિંહ અને હું બંને કુંવારા છીએ, તેથી તે અમારા માટે જમવાનું લાવતી. તે પહેલી વાત પૂછતી, 'તમે નાસ્તો કર્યો છે?' પછી તે અમને બેસાડીને ખવડાવતી. તે ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ છે. તેનો સ્વભાવ તેના ઓન-સ્ક્રીન પાત્ર જેવો જ છે - ખુશી ફેલાવનારો."

દયાબેન ક્યારે પાછા આવશે?

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તમને ખબર છે કે દયાબેન ક્યારે શોમાં પાછા ફરશે, ત્યારે તનુજે હસીને કહ્યું, "દયાબેનના પાછા ફરવાનો મુદ્દો અત્યાર સુધીમાં સંસદમાં ઉઠાવવો જોઈએ. મને બિલકુલ ખબર નથી કે તે ક્યારે પાછા ફરશે. અમે બધા પણ તમારી જેમ તેમની રાહ જોઈ રહ્યા છીએ. ફક્ત અસિત કુમાર મોદી જ જાણે છે કે તે ક્યારે પાછા આવશે."

 

 

About The Author

Related Posts

Top News

સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

જ્યારે વિશ્વના સૌથી મોટા વેપાર મંચ દાવોસ ૨૦૨૬માં સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સલાહ અહમદ જમા ઇન્ટરવ્યૂ દરમિયાન અચાનક શુદ્ધ અને...
National 
સોમાલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર સડસડાટ હિન્દીમાં વાત કરી શકે છે

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.