‘આજ ભી જી કરદા હૈ..’, છેલ્લી ફિલ્મ ‘ઇક્કિસ’માં ધર્મેન્દ્રએ એવું શું કહ્યું, જેને સાંભળતા જ રડી પડ્યા ફેન્સ? જુઓ વીડિયો

ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી સુંદર અને બહુમુખી અભિનેતાઓમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે. પોતાના 65 વર્ષના કરિયરમાં તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. જ્યારે-જ્યારે પણ હી-મેન મોટા પડદા પર આવે છે, ત્યારે-ત્યારે લોકો તેમના અભિનયથી દીવાના થઈ જતા હતા. તેમની છેલ્લી ફિલ્મઇક્કિસ ટૂંક સમયમાં રીલિઝ થવાની છે, જેમાં તેમણે એક ભાવનાત્મક કવિતા કહી છે.

ધર્મેન્દ્ર પોતાના અંતિમ સમય સુધી ફિલ્મોમાં સક્રિય રહ્યા હતા. આ તેમની જ ઇચ્છા હતી કે જ્યારે મોત આવે, ત્યારે પણ તેઓ પોતાના બુટ્સ પહેર્યા હોય એટલે કે, તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી ફિલ્મોમાં કામ કરવા માગતા હતા અને થયું પણ આવું જ. 24 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમના પાત્રો હંમેશાં દર્શકોના દિલમાં જીવંત રહેશે.

dharmendra
ndtv.com

ફિલ્મ ઇક્કિસમાં ધર્મેન્દ્રની કવિતા

ઇક્કિસના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર દ્વારા લખાયલી અને સંભળાવેલી એક કવિતા રીલિઝ કરી છે, જેનો ઉપયોગ તેમની છેલ્લી ફિલ્મમાં કરવામાં આવ્યો હતો. આ કવિતાનું શીર્ષક છે આજ ભી જી કરદા હૈ, પિંડ અપને નુ જાંવા. આ કવિતા ધર્મેન્દ્રની પોતાના વતન પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. આ કવિતા ખાસ કરીને હી-મેનએ પોતાના મૂળ અને પૈતૃક ગામમાં પાછા ફરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરતા લખી છે, જે તમને ભાવુક કરી દેશે.

https://www.instagram.com/reel/DRljnYuiK4H/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

નિર્માતાઓએ જેવી જ આ કવિતા રીલિઝ કરી, ફેન્સ તેને સાંભળીને ભાવુક થઈ ગયા. કેટલાક લોકો તેમના ગામને યાદ કરીને રડવા લાગ્યા, તો ઘણા લોકો ધરમ પાજીને મિસ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘ધર્મેન્દ્ર એક કલાકાર હતા, જે હંમેશાં તેમના વતન સાથે જોડાયેલા રહ્યા. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ધરમજીની આ છેલ્લી ફિલ્મ આપણને વધુ રડાવશે.

dharmendra1
indiatoday.in

ધર્મેન્દ્રના અવસાનના દિવસેઇક્કિસના નિર્માતાઓએ ફિલ્મથી તેમનો પહેલો લૂક રીલિઝ કર્યો હતો. ઇક્કિસનું નિર્માણ મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું દિગ્દર્શન શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. અગસ્ત્ય નંદા તેમાં અરુણ ખેત્રપાલનું મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે, જેમને 1971ના ભારત-પાક યુદ્ધમાં બસંતરના યુદ્ધ દરમિયાન 21 વર્ષની ઉંમરે શહીદ થયા બાદ મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્ર અરુણના પિતા, બ્રિગેડિયર એમ.એલ. ખેત્રપાલનું પાત્ર ભજવ્યું છે.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.