‘આજ ભી જી કરદા હૈ..’, છેલ્લી ફિલ્મ ‘ઇક્કિસ’માં ધર્મેન્દ્રએ એવું શું કહ્યું, જેને સાંભળતા જ રડી પડ્યા ફેન્સ? જુઓ વીડિયો

ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી સુંદર અને બહુમુખી અભિનેતાઓમાંથી એક તરીકે ઓળખવામાં આવે છે. પોતાના 65 વર્ષના કરિયરમાં તેમણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે. જ્યારે-જ્યારે પણ હી-મેન મોટા પડદા પર આવે છે, ત્યારે-ત્યારે લોકો તેમના અભિનયથી દીવાના થઈ જતા હતા. તેમની છેલ્લી ફિલ્મઇક્કિસ ટૂંક સમયમાં રીલિઝ થવાની છે, જેમાં તેમણે એક ભાવનાત્મક કવિતા કહી છે.

ધર્મેન્દ્ર પોતાના અંતિમ સમય સુધી ફિલ્મોમાં સક્રિય રહ્યા હતા. આ તેમની જ ઇચ્છા હતી કે જ્યારે મોત આવે, ત્યારે પણ તેઓ પોતાના બુટ્સ પહેર્યા હોય એટલે કે, તેઓ તેમના છેલ્લા શ્વાસ સુધી ફિલ્મોમાં કામ કરવા માગતા હતા અને થયું પણ આવું જ. 24 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયું, પરંતુ તેમના પાત્રો હંમેશાં દર્શકોના દિલમાં જીવંત રહેશે.

dharmendra
ndtv.com

ફિલ્મ ઇક્કિસમાં ધર્મેન્દ્રની કવિતા

ઇક્કિસના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્ર દ્વારા લખાયલી અને સંભળાવેલી એક કવિતા રીલિઝ કરી છે, જેનો ઉપયોગ તેમની છેલ્લી ફિલ્મમાં કરવામાં આવ્યો હતો. આ કવિતાનું શીર્ષક છે આજ ભી જી કરદા હૈ, પિંડ અપને નુ જાંવા. આ કવિતા ધર્મેન્દ્રની પોતાના વતન પાછા ફરવાની ઇચ્છા વ્યક્ત કરે છે. આ કવિતા ખાસ કરીને હી-મેનએ પોતાના મૂળ અને પૈતૃક ગામમાં પાછા ફરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરતા લખી છે, જે તમને ભાવુક કરી દેશે.

https://www.instagram.com/reel/DRljnYuiK4H/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

નિર્માતાઓએ જેવી જ આ કવિતા રીલિઝ કરી, ફેન્સ તેને સાંભળીને ભાવુક થઈ ગયા. કેટલાક લોકો તેમના ગામને યાદ કરીને રડવા લાગ્યા, તો ઘણા લોકો ધરમ પાજીને મિસ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘ધર્મેન્દ્ર એક કલાકાર હતા, જે હંમેશાં તેમના વતન સાથે જોડાયેલા રહ્યા. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘ધરમજીની આ છેલ્લી ફિલ્મ આપણને વધુ રડાવશે.

dharmendra1
indiatoday.in

ધર્મેન્દ્રના અવસાનના દિવસેઇક્કિસના નિર્માતાઓએ ફિલ્મથી તેમનો પહેલો લૂક રીલિઝ કર્યો હતો. ઇક્કિસનું નિર્માણ મેડોક ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું દિગ્દર્શન શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે. અગસ્ત્ય નંદા તેમાં અરુણ ખેત્રપાલનું મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે, જેમને 1971ના ભારત-પાક યુદ્ધમાં બસંતરના યુદ્ધ દરમિયાન 21 વર્ષની ઉંમરે શહીદ થયા બાદ મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. ધર્મેન્દ્ર અરુણના પિતા, બ્રિગેડિયર એમ.એલ. ખેત્રપાલનું પાત્ર ભજવ્યું છે.

About The Author

Related Posts

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.