હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ મુખ્ય ભૂમિકામાં છે. આવી સ્થિતિમાં, ફિલ્મની રિલીઝ અને પ્રમોશન વચ્ચે, અભિનેતા કમલ હાસન તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યા. ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન લગ્ન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન, કમલ હાસને પોતાના બે લગ્નો વિશે કહ્યું કે, તે રામ નથી અને કદાચ દશરથના માર્ગે ચાલે છે. તો ચાલો તમને એ બતાવી દઈએ કે તેમણે આવું કેમ કહ્યું.

Kamal-Haasan1
hindi.webdunia.com

હકીકતમાં વાત જાણે એમ છે કે, ફિલ્મ 'ઠગ લાઈફ'ના પ્રમોશન દરમિયાન, એન્કરે ફિલ્મની સ્ટાર કાસ્ટને લગ્ન અંગેના તેમના મંતવ્યો પૂછ્યા હતા. આ એપિસોડમાં, અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે લગ્નમાં માનતી નથી. તેમણે એમ પણ કહ્યું કે, જો તે લગ્ન કરે તો પણ ઠીક છે અને જો તે લગ્ન ન કરે તો પણ ઠીક છે. આ વાતને આગળ વધારીને, જ્યારે કમલ હાસનને તેમના બે લગ્નો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે એક ઘટના વિશે જણાવ્યું.

Kamal-Haasan2
timesnowhindi.com

આ સમય દરમિયાન, કમલ હાસને એક દાયકા પહેલા MP જોન બ્રિટાસ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતી એક વાર્તા શેર કરી અને કહ્યું કે, 10-15 વર્ષ પહેલાની વાત છે. જોન તેનો સારો મિત્ર છે અને તેણે તેને પૂછ્યું હતું કે, અભિનેતા સારા બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે છતાં તેણે બે વાર લગ્ન કર્યા. આના પર કમલ હાસને પોતાના જવાબ વિશે કહ્યું હતું કે, તેમણે (કમલ હાસને) કહ્યું હતું કે સારા પરિવારના હોવાનું અને તેના લગ્નની સાથે શું સંબંધ છે? આના પર, જોને તેને કહ્યું કે તે (કમલ હાસન) બ્રાહ્મણ હોવાને કારણે ભગવાન રામની પૂજા કરે છે, તેથી તેણે tema જ રહેવું જોઈએ કે જેમ તેઓ રહેતા હતા. આના પર કમલે ફરી જવાબ આપ્યો કે સૌ પ્રથમ તો અભિનેતા કોઈ ભગવાનની પૂજા કરતો નથી કે રામના માર્ગ પર ચાલતો નથી. તેમણે એમ પણ કહ્યું કે, કદાચ તેઓ તેમના પિતા દશરથના માર્ગે ચાલે છે. જ્યારે, અભિનેતાએ એવો પણ જવાબ આપ્યો હતો કે, તે તેના પિતાનો આદર કરે છે, જેમણે ત્રણ વાર લગ્ન કર્યા હતા.

Kamal-Haasan3
navbharattimes.indiatimes.com

જ્યારે, જો આપણે કમલ હાસનના બે લગ્નોની વાત કરીએ, તો તેમણે પહેલા લગ્ન વાણી ગણપતિ સાથે 1978માં કર્યા હતા. તેમની સાથે તેમનો સંબંધ 10 વર્ષ સુધી ચાલ્યો, ત્યારપછી તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી અભિનેતાને સારિકા સાથે પ્રેમ થઈ ગયો અને પછી બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને બે પુત્રીઓ છે. તેમના બીજા લગ્ન પછી, તેમની પહેલી પુત્રી શ્રુતિ હાસનનો જન્મ 1986માં થયો હતો. પાંચ વર્ષ પછી, બીજી પુત્રી અક્ષરા હાસનનો જન્મ થયો. જોકે, સારિકા સાથેનો તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. તે 2002માં સારિકાથી અલગ થઈ ગયા અને 2004માં તેમના સત્તાવાર છૂટાછેડા થઈ ગયા.

About The Author

Related Posts

Top News

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.