હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ મુખ્ય ભૂમિકામાં છે. આવી સ્થિતિમાં, ફિલ્મની રિલીઝ અને પ્રમોશન વચ્ચે, અભિનેતા કમલ હાસન તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યા. ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન લગ્ન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન, કમલ હાસને પોતાના બે લગ્નો વિશે કહ્યું કે, તે રામ નથી અને કદાચ દશરથના માર્ગે ચાલે છે. તો ચાલો તમને એ બતાવી દઈએ કે તેમણે આવું કેમ કહ્યું.

Kamal-Haasan1
hindi.webdunia.com

હકીકતમાં વાત જાણે એમ છે કે, ફિલ્મ 'ઠગ લાઈફ'ના પ્રમોશન દરમિયાન, એન્કરે ફિલ્મની સ્ટાર કાસ્ટને લગ્ન અંગેના તેમના મંતવ્યો પૂછ્યા હતા. આ એપિસોડમાં, અભિનેત્રી ત્રિશા કૃષ્ણનને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, તે લગ્નમાં માનતી નથી. તેમણે એમ પણ કહ્યું કે, જો તે લગ્ન કરે તો પણ ઠીક છે અને જો તે લગ્ન ન કરે તો પણ ઠીક છે. આ વાતને આગળ વધારીને, જ્યારે કમલ હાસનને તેમના બે લગ્નો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે એક ઘટના વિશે જણાવ્યું.

Kamal-Haasan2
timesnowhindi.com

આ સમય દરમિયાન, કમલ હાસને એક દાયકા પહેલા MP જોન બ્રિટાસ સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતી એક વાર્તા શેર કરી અને કહ્યું કે, 10-15 વર્ષ પહેલાની વાત છે. જોન તેનો સારો મિત્ર છે અને તેણે તેને પૂછ્યું હતું કે, અભિનેતા સારા બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે છતાં તેણે બે વાર લગ્ન કર્યા. આના પર કમલ હાસને પોતાના જવાબ વિશે કહ્યું હતું કે, તેમણે (કમલ હાસને) કહ્યું હતું કે સારા પરિવારના હોવાનું અને તેના લગ્નની સાથે શું સંબંધ છે? આના પર, જોને તેને કહ્યું કે તે (કમલ હાસન) બ્રાહ્મણ હોવાને કારણે ભગવાન રામની પૂજા કરે છે, તેથી તેણે tema જ રહેવું જોઈએ કે જેમ તેઓ રહેતા હતા. આના પર કમલે ફરી જવાબ આપ્યો કે સૌ પ્રથમ તો અભિનેતા કોઈ ભગવાનની પૂજા કરતો નથી કે રામના માર્ગ પર ચાલતો નથી. તેમણે એમ પણ કહ્યું કે, કદાચ તેઓ તેમના પિતા દશરથના માર્ગે ચાલે છે. જ્યારે, અભિનેતાએ એવો પણ જવાબ આપ્યો હતો કે, તે તેના પિતાનો આદર કરે છે, જેમણે ત્રણ વાર લગ્ન કર્યા હતા.

Kamal-Haasan3
navbharattimes.indiatimes.com

જ્યારે, જો આપણે કમલ હાસનના બે લગ્નોની વાત કરીએ, તો તેમણે પહેલા લગ્ન વાણી ગણપતિ સાથે 1978માં કર્યા હતા. તેમની સાથે તેમનો સંબંધ 10 વર્ષ સુધી ચાલ્યો, ત્યારપછી તેમના છૂટાછેડા થઈ ગયા. આ પછી અભિનેતાને સારિકા સાથે પ્રેમ થઈ ગયો અને પછી બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને બે પુત્રીઓ છે. તેમના બીજા લગ્ન પછી, તેમની પહેલી પુત્રી શ્રુતિ હાસનનો જન્મ 1986માં થયો હતો. પાંચ વર્ષ પછી, બીજી પુત્રી અક્ષરા હાસનનો જન્મ થયો. જોકે, સારિકા સાથેનો તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. તે 2002માં સારિકાથી અલગ થઈ ગયા અને 2004માં તેમના સત્તાવાર છૂટાછેડા થઈ ગયા.

Related Posts

Top News

'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સબ-ઇન્સ્પેક્ટર દિનેશ શર્માને લાઇન-હાજર કરવામાં આવ્યા છે. તાજેતરમાં, તેમણે શહેરના જીમ માલિકોને ધમકી આપી હતી. તેમણે...
National 
'જીમમાં મુસ્લિમ ટ્રેનર્સ નહીં', આદેશ આપનાર ઇન્સ્પેક્ટરને થઇ સજા

એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

અઠવાલાઇન સ્થિતિ વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કન્ઝ્યુમર ક્લબ દ્રારા રવિવારે એડવોકેટ શ્રેયસ દેસાઇ તથા લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા...
Gujarat 
એડવોકેટ શ્રેયસ દેસાઇ અને ઇરમલા દયાળના સર્વોચ્ય અદાલતના ચુકાદાઓના વિશ્લેક્ષણાત્મક પુસ્તકનું વિમોચન

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.