પાકિસ્તાને પોતાની જે ફિલ્મ પર લગાવ્યો હતો બેન, ભારતમાં તે થવા જઈ રહી છે રીલિઝ

પાકિસ્તાન તરફથી ઓફિશિયલ ઈન્ડિયા એન્ટ્રી રહેલી ફિલ્મ ‘જોયલેન્ડ’ હવે ભારતમાં રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મના મેકર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ઈન્ડિયામાં ફિલ્મની ઓફિશિયલ રીલિઝ ડેટ શેર કરી છે. મેકર્સે પોતાની પોસ્ટમાં લખ્યું, દુનિયાભરની ઓડિયન્સ સાથે અમે ‘જોયલેન્ડ’ શેર કરવા માટે ખૂબ જ એક્સાઈટેડ છીએ. ફિલ્મના પોસ્ટરની સાથે મેકર્સે અલગ-અલગ દેશોમાં ફિલ્મની રીલિઝ ડેટ અનાઉન્સ કરી. ભારતમાં ‘જોયલેન્ડ’ 10 માર્ચે રીલિઝ થશે. ‘જોયલેન્ડ’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી પહેલી પાકિસ્તાની ફિલ્મ છે. કાન્સમાં સ્ક્રીનિંગના અંતમાં ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું અને ફિલ્મ ફેસ્ટિવલમાં તેને જ્યૂરી પ્રાઈઝ પણ આપવામાં આવ્યું. દુનિયાભરમાં ક્રિટિક્સે ‘જોયલેન્ડ’ને ખૂબ વખાણી અને આ વખાણને જોતા તેને પાકિસ્તાન તરફથી ઓસ્કારની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં ઓફિશિયલ એન્ટ્રી બનાવવામાં આવી હતી.

ડાયરેક્ટર સેમ સાદિકની ફિલ્મ ‘જોયલેન્ડ’ને લઈને પાકિસ્તાનમાં ઘણો વિવાદ થયો હતો. 18 નવેમ્બરે ફિલ્મ થિયેટર્સમાં રીલિઝ થવાની હતી અને તેને સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ પણ મળી ચુક્યુ હતું. પરંતુ, રીલિઝ પહેલા જ ઘણા સંગઠનો અને રાજકીય પાર્ટીઓએ ફિલ્મને આપત્તિજનક અને દેશના નૈતિક અને સામાજિક આદર્શો વિરુદ્ધ ગણાવી તેનો વિરોધ શરૂ કરી દીધો. સરકારે ‘જોયલેન્ડ’ને લઈને મળેલી ફરિયાદોનો હવાલો આપતા તેની રીલિઝ પર બેન લગાવી દીધો હતો.

પરંતુ, સોશિયલ મીડિયા પર આ બેનની ખૂબ ટીકા થઈ. ડાયરેક્ટર સેમ સાદિકે પોતાની ફિલ્મ પર બેનને અસંવેધાનિક અને ગેરકાયદેસર ગણાવ્યું હતું. ફિલ્મની ટ્રાન્સજેન્ડર એક્ટર અલીના ખાને પોતાના નિવેદનમાં કહ્યું, ફિલ્મમાં કંઈ પણ ઈસ્લામ વિરુદ્ધ નથી અને મને નથી સમજાતું કે માત્ર ફિલ્મોથી ઈસ્લામ કઈ રીતે જોખમમાં આવી શકે છે. પાકિસ્તાની ફિલ્મ એક્ટર્સ અને જનતાની ટીકા બાદ, વડાપ્રધાન શાહબાઝ શરીફે ‘જોયલેન્ડ’ પર લાગેલા બેનને રિવ્યૂ કરવા માટે એક કમિટી બનાવી. આખરે ફિલ્મની નક્કી કરેલી રીલિઝ ડેટથી બે દિવસ પહેલા 16 નવેમ્બરે ફિલ્મના કેટલાક સીન સેન્સર કર્યા બાદ બેન હટાવી લેવામાં આવ્યો.

ક્રિટિક્સ તરફથી વખાણ મળ્યા અને ઓસ્કાર શોર્ટલિસ્ટમાં પોતાની જગ્યા બનાવવા છતા ભારતમાં ‘જોયલેન્ડ’ની રીલિઝ પર જોખમ મંડરાઇ રહ્યું છે. 2016માં થયેલા ઉરી હુમલા બાદ ભારતે પાકિસ્તાની આર્ટિસ્ટ્સના પોતાને ત્યાં કામ કરવા પર બેન લગાવી દીધો હતો. તેના જવાબમાં પાકિસ્તાને પણ ભારતીય ફિલ્મો પર બેન લગાવ્યો પરંતુ, પાકિસ્તાની સિનેમા અને થિયેટર્સને થઈ રહેલા નુકસાનને જોતા ડિસેમ્બર 2016માં આ બેન હટાવી લેવામાં આવ્યો હતો. 2019માં જ્યારે ભારતે જમ્મૂ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યો તો પાકિસ્તાન તરફથી તેના જવાબમાં ઘણા પગલાં લેવામાં આવ્યા. તેમાંથી એક એ પણ હતું કે ભારતીય ફિલ્મો પર ફરી બેન લગાવી દેવામાં આવ્યો હતો. 

View this post on Instagram

A post shared by Joyland (@joylandmovie)

પાકિસ્તાની ફિલ્મો પર બેન છતા ડિસેમ્બર 2022માં એવા સમાચાર આવ્યા કે ફવાદ ખાન અને માહિરા ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૌલા જટ્ટ’ ભારતમાં રીલિઝ થશે. વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 200 કરોડ કરતા વધુ કમાણી કરનારી ‘મૌલા જટ્ટ’ પાકિસ્તાની સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી ફિલ્મ છે. રિપોર્ટ્સ આવ્યા કે, 30 ડિસેમ્બરે ‘મૌલા જટ્ટ’ ભારતીય થિયેટર્સમાં રીલિઝ થશે. જોકે, રીલિઝ પહેલા એવા સમાચાર આવ્યા કે ભારતમાં ઘણા સંગઠનો દ્વારા આપત્તિ વ્યક્ત કરાયા બાદ ડિસ્ટ્રીબ્યૂટર્સે ‘મૌલા જટ્ટ’ રીલિઝ ના કરવાનો નિર્ણય લીધો.

હવે એ જોવુ રસપ્રદ રહેશે કે પાકિસ્તાન કલાકારો અને ફિલ્મો પર લાગેલા બેન બાદ ‘જોયલેન્ડ’ ભારતમાં થિયેટર્સ સુધી પહોંચી શકશે કે નહીં. જોકે, નવેમ્બર 2022માં ધર્મધાલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ડિસેમ્બરમાં યોજાયેલા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘જોયલેન્ડ’ બતાવવામાં આવી ચુકી છે. જો ‘જોયલેન્ડ’ ભારતમાં રીલિઝ થશે, તો એ છેલ્લાં એક દાયકામાં ભારતમાં રીલિઝ થયેલી પહેલી પાકિસ્તાની ફિલ્મ હશે. આ પહેલા ભારતીય થિયેટર્સમાં રીલિઝ થનારી છેલ્લી પાકિસ્તાની ફિલ્મ બોલ હતી, જેને 2011માં રીલિઝ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.