પોતાના રસોઈયાનો પગાર જાણીને સલમાન ખાનના જીજા આયુષ શર્માએ તેને નોકરીમાંથી જ કાઢી મૂકેલો

બોલિવુડ એક્ટર અને સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા ફરી એક વખત પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી ગયો છે. વાસ્તવમાં, તાજેતરમાં જ ફરાહ ખાન પોતાના કૂકિંગ વ્લોગ માટે અર્પિતા અને આયુષના ઘરે પહોંચી હતી. જેનો ફૂલ વીડિયો યુટ્યુબ પર આવી ગયો છે. આ વીડિયોમાં, આયુષે ખુલાસો કર્યો કે તેના ઘર પર ખાવાનું બનતું નથી કેમ કે તેણે પોતાના રસોઈયાને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. જ્યારે ફરાહ ખાને પોતાના વ્લોગમાં આયુષ અને અર્પિતાને પૂછ્યું કે, તમારા ઘરમાં ખાવાનું કોણ બનાવે છે, તો આયુષ ખુલાસો કરતા કહે છે કે, મેં મારા રસોઈયાને પૂછ્યું કે તમારો પગાર કેટલો છે? જ્યારે તેણે મને મને જણાવ્યો તો મને ખરેખર હાર્ટ એટેક આવી ગયો. પછી મેં વિચાર્યું કે, હું જેટલી સેલેરી તેને આપી રહ્યો છુ તેનાથી ઓછા ખર્ચમાં તો હું દરરોજ બહારથી ખાવાનું મગાવી શકું છું. સાથે જ મજાક કરતા આયુષે પોતાના ઘરને મુંબઈને દુબઇ પણ કહ્યું.

aayush-sharma1
news18.com

 

આયુષના આ ખુલાસા બાદ અર્પિતા કહે છે કે હાલમાં, સલમાન ખાનના ઘરથી ખાવાનું આવી રહ્યું છે. કારણ કે તેને તેની માતા સલમા ખાનના હાથનું ખાવાનું ખૂબ પસંદ છે. અર્પિતાએ એમ પણ કહ્યું હતું કે, સોહેલ ખાન અને અરબાઝ ખાનના ઘરે પણ સલમાનના ઘરેથી જ ખાવાનું જાય છે. અર્પિતાએ વાતો-વાતોમાં ફરાહ ખાનને જણાવ્યું કે, અમને બહારનું ખાવાનું વધારે પસંદ આવતું નથી. જ્યારે અમે ફિનલેન્ડ ગયા હતા ત્યારે અમે પોતાની સાથે શેફ લઈને ગયા હતા. ફરાહે અર્પિતાને પૂછ્યું કે, ‘શેફનું ખાવાનું ક્યાં બની રહ્યું હતું ઇગ્લૂમાં? આ સવાલ પર અર્પિતાએ કહ્યું કે, અમે પોતાના માટે એક વિલા બુક કરી લીધું હતું. ફરાહ આ સાંભળીને દંગ રહી ગઈ અને તેણે આગ્રહ કર્યો કે તેઓ આ વાત દીલિપને ન બતાવે.

 

તમને જણાવી દઈએ કે અર્પિતા ખાને વર્ષ 2014માં આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આજે, આ યુગલો 2 બાળકો એક પુત્રી અને પુત્રના પેરેન્ટ્સ છે. જેમના પર સલમાન ખાન પણ પોતાનો પ્રેમ લૂંટાવે છે. અર્પિતા સલમાનની નાની બહેન છે. તેના ભાઈ સાથે પણ ખૂબ સારું બોન્ડિંગ છે. અર્પિતા પોતાના ભાઈઓની લાડકી છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.