પોતાના રસોઈયાનો પગાર જાણીને સલમાન ખાનના જીજા આયુષ શર્માએ તેને નોકરીમાંથી જ કાઢી મૂકેલો

બોલિવુડ એક્ટર અને સલમાન ખાનની નાની બહેન અર્પિતા ખાનનો પતિ આયુષ શર્મા ફરી એક વખત પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી ગયો છે. વાસ્તવમાં, તાજેતરમાં જ ફરાહ ખાન પોતાના કૂકિંગ વ્લોગ માટે અર્પિતા અને આયુષના ઘરે પહોંચી હતી. જેનો ફૂલ વીડિયો યુટ્યુબ પર આવી ગયો છે. આ વીડિયોમાં, આયુષે ખુલાસો કર્યો કે તેના ઘર પર ખાવાનું બનતું નથી કેમ કે તેણે પોતાના રસોઈયાને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. જ્યારે ફરાહ ખાને પોતાના વ્લોગમાં આયુષ અને અર્પિતાને પૂછ્યું કે, તમારા ઘરમાં ખાવાનું કોણ બનાવે છે, તો આયુષ ખુલાસો કરતા કહે છે કે, મેં મારા રસોઈયાને પૂછ્યું કે તમારો પગાર કેટલો છે? જ્યારે તેણે મને મને જણાવ્યો તો મને ખરેખર હાર્ટ એટેક આવી ગયો. પછી મેં વિચાર્યું કે, હું જેટલી સેલેરી તેને આપી રહ્યો છુ તેનાથી ઓછા ખર્ચમાં તો હું દરરોજ બહારથી ખાવાનું મગાવી શકું છું. સાથે જ મજાક કરતા આયુષે પોતાના ઘરને મુંબઈને દુબઇ પણ કહ્યું.

aayush-sharma1
news18.com

 

આયુષના આ ખુલાસા બાદ અર્પિતા કહે છે કે હાલમાં, સલમાન ખાનના ઘરથી ખાવાનું આવી રહ્યું છે. કારણ કે તેને તેની માતા સલમા ખાનના હાથનું ખાવાનું ખૂબ પસંદ છે. અર્પિતાએ એમ પણ કહ્યું હતું કે, સોહેલ ખાન અને અરબાઝ ખાનના ઘરે પણ સલમાનના ઘરેથી જ ખાવાનું જાય છે. અર્પિતાએ વાતો-વાતોમાં ફરાહ ખાનને જણાવ્યું કે, અમને બહારનું ખાવાનું વધારે પસંદ આવતું નથી. જ્યારે અમે ફિનલેન્ડ ગયા હતા ત્યારે અમે પોતાની સાથે શેફ લઈને ગયા હતા. ફરાહે અર્પિતાને પૂછ્યું કે, ‘શેફનું ખાવાનું ક્યાં બની રહ્યું હતું ઇગ્લૂમાં? આ સવાલ પર અર્પિતાએ કહ્યું કે, અમે પોતાના માટે એક વિલા બુક કરી લીધું હતું. ફરાહ આ સાંભળીને દંગ રહી ગઈ અને તેણે આગ્રહ કર્યો કે તેઓ આ વાત દીલિપને ન બતાવે.

 

તમને જણાવી દઈએ કે અર્પિતા ખાને વર્ષ 2014માં આયુષ શર્મા સાથે લગ્ન કર્યા હતા. આજે, આ યુગલો 2 બાળકો એક પુત્રી અને પુત્રના પેરેન્ટ્સ છે. જેમના પર સલમાન ખાન પણ પોતાનો પ્રેમ લૂંટાવે છે. અર્પિતા સલમાનની નાની બહેન છે. તેના ભાઈ સાથે પણ ખૂબ સારું બોન્ડિંગ છે. અર્પિતા પોતાના ભાઈઓની લાડકી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.