ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ સલમાનને આપી જેલથી ધમકી, બોલ્યો- માફી માગ નહિ તો...

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ ચર્ચામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇએ ફરી એક વખત સલમાન ખાનને ધમકી આપી છે. બંઠીડા જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇએ ચેતવણી આપી હતી કે એક્ટર સલમાન ખાને વર્ષ 1998માં કાળા હરણને મારવા માટે માફી માગવી જોઈએ. નહીં તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું જોઈએ. જેલથી એક ટી.વી. ચેનલ સાથે ફોન પર વાતચીત કરતા લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, જેલોમાં સુરક્ષા સંબંધિત ખામીઓનો ફાયદો ઉઠાવતા તે ફોન પર વાતચીત કરી રહ્યો છે.

તો પંજાબ પ્રશાસને આ વાતનું ખંડન કર્યું છે કે, લોરેન્સ બિશ્નોઇએ ન્યૂઝ ચેનલને બંઠીડા જેલથી ફોન કર્યો હતો. બંઠીડા જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઇને ફાયરિંગ અને બળજબરીપૂર્વક વસૂલીના કેસમાં પૂછપરછ માટે ફેબ્રુઆરીમાં રાજસ્થાન લઈ જવામાં આવ્યો હતો. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા પર લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, હત્યાની યોજના ગેંગસ્ટર ગોલ્ડી બરાડે બનાવી હતી. મૂસેવાલાની ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસામાં હત્યા કરી દેવામાં આવી હતી.

ગોલ્ડી બરાડ કેનેડામાં રહે છે અને તેણે જ સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. લોરેન્સ બિશ્નોઇએ એક સમાચાર ચેનલને જણાવ્યું કે, ગોલ્ડી બરાડે યોજના બનાવી અને મારી ગેંગના સભ્યો સાથે કામ કરતા સિદ્ધુ મૂસેવાલાને મારી નાખ્યો. હું મૂસેવાલાનથી નારાજ હતો કેમ કે પ્રતિદ્વંદ્વી ગેંગને સપોર્ટ કરતો હતો, પરંતુ હું તેની હત્યાના પ્લાનમાં સામેલ નહોતો. લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, હું સૂતો હતો. કેનેડાના એક મિત્રએ મને ફોન કર્યો અને સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાબતે જણાવ્યું.

લોરેન્સ બિશ્નોઇએ કહ્યું કે, કાળા હરણને મારવા પર સલમાન ખાને અમારા બિશ્નોઇ સમુદાય પાસે માફી માગવી જોઈએ, નહીં તો તે એક્ટર વિરુદ્ધ બદલો લેવાનો પ્રયત્ન કરતો રહેશે. કાળા હરણના કેસ પર હું બાળપણથી જ સલમાન ખાનથી નારાજ રહ્યો છું. તેણે મારા સમુદાયના સભ્યોને પૈસાઓની રજૂઆત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં એક ફિલ્મની શૂટિંગ દરમિયાન સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ અને સોનાલી બેન્દ્રે સાથે રાજસ્થાનના કાંકણી ગામમાં 2 કાળા હરણોને શૂટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ખૂંખાર ગેંગસ્ટરે પોતાને રાષ્ટ્રવાદીના રૂપમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેણે કહ્યું કે, અમે લોકો એ લોકો વિરુદ્ધ છીએ, જે ખાલિસ્તાનની માગ કરે છે અને દેશને વિભાજિત કરવા માગે છે. હું અને મારી ગેંગના સભ્યો આતંકવાદી નહીં, પરંતુ રાષ્ટ્રવાદી છીએ.

About The Author

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.