સલમાન ખાન 10 હજાર કરોડનું રોકાણ કરવાનો છે

અભિનેતા હોવા ઉપરાંત, સલમાન ખાન રોકાણકાર તરીકે પણ ખુબ સક્રિય રહે છે. તેમની કંપની, સલમાન ખાન પ્રોડક્શન્સ, ફિલ્મોનું નિર્માણ કરે છે અને 'બીઇંગ હ્યુમન' નામની કપડાં બ્રાન્ડ પણ ધરાવે છે. એવું કહેવાય છે કે, તેઓ હવે સલમાન ખાન વેન્ચર્સ દ્વારા તેલંગાણામાં મોટા રોકાણની યોજના બનાવી રહ્યા છે. આ એક ટાઉનશીપ હશે, જેનો વિકાસ કરવા માટે આશરે 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

સલમાન ખાન વેન્ચર્સ (SKV) તેલંગાણામાં વૈશ્વિક સ્તરના ફિલ્મ સ્ટુડિયો સાથે એક વિશ્વ કક્ષાનું ટાઉનશીપ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ જાહેરાત તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ દરમિયાન કરવામાં આવી હતી. આ ઇવેન્ટનો હેતુ મહત્તમ રોકાણ આકર્ષવાનો અને તેલંગાણાને 3 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરવાનો છે.

Salman-Khan-Ventures
Salman Khan Ventures

સલમાન ખાને પણ હવે આ પ્રોજેક્ટમાં પોતાની ભાગીદારી નોંધાવી છે. તેમના રોકાણનું સૌથી મોટું આકર્ષણ એક એવો સ્ટુડિયો છે, જેમાં ભવિષ્યની ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય પ્રોડક્શન્સ કરવામાં આવશે. આ સાથે અહીં પોસ્ટ-પ્રોડક્શન સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે, જેમાં VFX સપોર્ટ અને પ્રતિભા વિકાસ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સલમાન ખાન અને અન્ય રોકાણકારો તેલંગાણાને ફિલ્મ અને મીડિયા હબ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખે છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ બોલિવૂડ અભિનેતાએ રાજ્યમાં આવા રોકાણને ટેકો આપ્યો છે.

Salman-Khan-Ventures3
navbharattimes.indiatimes.com

ટાઉનશીપની વાત કરીએ તો, SKV તેને આશરે 500 એકર જમીન પર વિકસાવશે. તેમાં રહેવા માટે પ્રીમિયમ મકાનો, વાણિજ્યિક ઝોન, લક્ઝરી હોટલ, છૂટક દુકાનો, પાર્કિંગ, જીમ, સ્વિમિંગ પુલ, રમતગમતના મેદાનો અને અન્ય વિવિધ મનોરંજન સ્થળોનો સમાવેશ થશે. આ ઉપરાંત અહીં ગોલ્ફ કોર્સ, રેસ કોર્સ, નેચર ટ્રેલ્સ અને શૂટિંગ રેન્જનું પણ આયોજન છે. આ રોકાણ પાછળનો ઉદ્દેશ્ય લાંબા ગાળાના વ્યવસાયનું સર્જન કરવાનો, યુવાનોને રોજગારી પૂરી પાડવાનો અને પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે.

Salman-Khan-Ventures1
bhaskar.com

SKV ઉપરાંત, ટ્રમ્પ મીડિયા અને ટેકનોલોજી ગ્રુપે પણ રૂ. 41,000 કરોડના રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. તેઓ રાજ્યમાં એક આંતરરાષ્ટ્રીય મીડિયા અને સ્માર્ટ ટેકનોલોજી સેન્ટર વિકસાવશે. જ્યારે, બ્રુકફિલ્ડ-એક્સિસ વેન્ચર્સ કન્સોર્ટિયમે 'ભારત ફ્યુચર સિટી'માં રૂ. 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.