મિસિસ વર્લ્ડ 2022 બનીને સરગમ કૌશલે કર્યું દેશનું નામ રોશન, જુઓ ફોટા

ગઈકાલનો દિવસ દેશ માટે ઘણો ખાસ રહ્યો હતો કારણ કે 21 વર્ષ પછી ભારતે 21 વર્ષ પછી મિસિસ વર્લ્ડ ખિતાબ પોતાના નામ પર કર્યો છે. મિસિસ વર્લ્ડ 2022નો ક્રાઉન સરગમ કૌશલના માથા પર સજ્યો છે. સોશિયલ મીડિયા પર સરગમ કૌશલના ફોટોઝ અને વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે, જેને ફેન્સ ઘણા પસંદ કરી રહ્યા છે. મિસિસ વર્લ્ડ 2022 જીતીને દેશનું નામ રોશન કરીએ છે. ફોટા અને વીડિયોઝમાં તે સરગમ ઘણી સુંદર દેખાઈ રહી છે.

મિસિસ વર્લ્ડ 2022 ઈવેન્ટનું આયોજન અમેરિકામાં કરવામાં આવ્યું હતું. બ્યૂટી કોમ્પિટિશનમાં બોલિવુડના મોટા સ્ટાર્સે હાજર આપી હતી. 21 વર્ષ પછી જ્યારે મિસિસ વર્લ્ડનો ખિતાબ ભારતના નામે થયો છે, તો કોશલ સ્ટેજ પર ઈમોશનલ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર સરગમનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સરગમ તાજ પહેરતી વખતે ઈમોશનલ થઈને રડતી જોવા મળી રહી છે. જોકે આ તેની ખુશીના આસું હતા.

 
 
 
View this post on Instagram

A post shared by Mrs. India Inc (@mrsindiainc)

મિસિસ વર્લ્ડ 2022નો તાજ જીત્યા પછી કૌશલને સિલેબ્સની શુભેચ્છા મળવાની શરૂ થઈ ગઈ છે. અદિતી ગોવિત્રીકર, સોહા અલી ખાન, વિવેક ઓબોરોય અને મોહમ્મદ અઝરુદ્દીને સરગમને જીતની શુભેચ્છા પાઠવી છે. અદિતી ગોવિત્રીકરે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને લખ્યું છે- આ જર્મીનો ભાગ બનીને ઘણી ખુશ છું. 21 વર્ષ પછી તાજ પાછો આવ્યો છે. તને દિલથી શુભેચ્છા. 2001માં અદિતિ ગોવિત્રીકરે આ તાજ પોતાના નામ પર કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું.

મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કરનારી સરગમ કૌશલ જમ્મુ કાશ્મીરની રહેનારી છે. તે એક શિક્ષક અને મોડલ છે. સરગમના લગ્ન 2018માં થયા છે. લગ્ન પછીથી જ તેના દિલમાં બ્યૂટી પેજન્ટ જીતવાનું ઝૂનુન સવાર બતું. જેના પછી તેણે મિસિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વિશ્વાસ અને સુંદરતાને સાથે લઈને અમેરિકાના લાસ વેગાસ પહોંચેલી સરગમ કૌશલ જીતીને જ પાછી ભારત આવી રહી છે.

સરગમ કૌશલ મિસિસ ઈન્ડિયા 2022માં પણ ભાગ લઈ ચૂકી છે અને તેને જીત્યા પછી જે મિસિસ વર્લ્ડ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. લગ્ન પછી સરગમે મિસિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો. હવે તેણે આ તાજ જીતીને સાબિત કરી દીધું છે કે જો સપનાની ઉડાણ ઊંચી હોય તો ફરક નથી પડતો કે તમે પરણિત છો કે નહીં.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.