PM મોદી જોશે નંદમુરી બાલાકૃષ્ણની ‘અખંડા 2’, જાણો શું છે આ ફિલ્મમાં ખાસ

દક્ષિણ ભારતીય ફિલ્મોના મોટા સ્ટાર નંદમુરી બાલકૃષ્ણની ફિલ્મ અખંડા 2’ કાયદાકીય દાવપેંચમાં ફસાયા બાદ રીલિઝ કરી દેવામાં આવી છે. ફિલ્મના પહેલા ભાગને સારો પ્રતિસાદ મળ્યો હતો, અને હવે બીજા ભાગને પણ ફેન્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. તેની કમાણીના આંકડા આવી ગયા છે. તો નિર્માતાઓ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો ડિરેક્ટર બોયાપતિ શ્રેણુએ એક મોટી જાહેરાત કરી દીધી છે.

અખંડા 2’ના ડિરેક્ટર બોયાપતિ શ્રેણુ તાજેતરમાં હૈદરાબાદમાં ફિલ્મની સક્સેસ મીટનો હિસ્સો હતા. આ દરમિયાન જ તેમણે ફિલ્મને લઈને એક એવી જાહેરાત કરી છે, જેણે ફેન્સમાં ઉત્સાહને વધુ વધારી દીધો છે. બોયાપતિ શ્રેણુએ કહ્યું કે તેમણે ફિલ્મ માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેને જોવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સનાતન ધર્મના ગુણગાન છે, એવામાં નિર્માતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ફિલ્મ બતાવવાની તક ગુમાવવા માંગતા નથી.

akhanda 2
etvbharat.com

અગાઉ આ ફિલ્મ રણવીર સિંહની ધુરંધર સાથે થિયેટરોમાં રીલિઝ થવાની હતી અને એડવાન્સ બુકિંગના મામલે રણવીર સિંહની ફિલ્મથી પણ આગળ નીકળતી નજરે પડી રહી હતી. જોકે, લીગલ કારણોસર તેને થોડા દિવસો બાદ રીલિઝ કરવામાં આવી હતી. હવે, રીલિઝના પહેલા સપ્તાહમાં જ ફિલ્મ ધૂમ મચાવી રહી છે અને કલેક્શનના મામલે ધૂમ મચાવે તેવી અપેક્ષા છે.

ફિલ્મને હવે મોટો ફાયદો મળી શકે છે. જો આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુએ છે તો ઉત્તર ઝોનમાં ફેન્સનો ઉત્સાહ હજી વધી શકે છે, જેની સીધી અસર તેના કલેક્શન પર પડી શકે છે. ફિલ્મ અત્યારે પણ સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ તેને હિન્દી દર્શકો તરફથી વિશેષ ફાયદો મળતો નજરે પડી રહ્યો નથી. એવામાં ફિલ્મને સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ હિન્દી દર્શકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે.

અખંડા 2’ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મ વિશ્વભરમાં ઘણી સારી કમાણી કરી રહી છે. તેણે માત્ર 3 દિવસમાં 80 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે, જે દર્શાવે છે કે તેની કમાણીમાં ધાર છે.

akhanda 2
thehansindia.com

અખંડા 2’ની કહાની

અખંડાપાર્ટ-1ની નાનકડી જનની (હર્ષાલી મલ્હોત્રા) હવે 18 વર્ષની થઈ ચૂકી છે. તે એક પ્રતિભાશાળી યુવાન વૈજ્ઞાનિક છે. તે તેની ટીમ સાથે મળીને ભારતીય સેના માટે બાયો-શીલ્ડનામની ટેકનોલોજીકલ સુરક્ષા કવચ તૈયાર કરી રહી છે, જે સીમા પર તૈનાત સૈનિકોને કઠોર કુદરતી પરિસ્થિતિઓથી બચાવી શકેછે. પરંતુ, મહાકુંભ મેળામાં જ્યારે કોઈ દુશ્મન દેશ દ્વારા એક ઘાતક વાયરસ ભેળવી દેવામાં આવે છે, ત્યારે જનની અને તેની ટીમ એ ખતરનાક વાયરસનો એન્ટિડોટ બનાવવા લાગે છે.

બીજી તરફ શત્રુ જનાની અને એન્ટિડોટ બંનેનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. એવામાં નિર્ણાયક સમયમાં અખંડા રુદ્ર સિકંદર અઘોરા (નંદમુરી બાલકૃષ્ણ)ની કહાનીમાં એન્ટ્રી થાય છે. પોતાની સાધના,  આધ્યાત્મ અદ્ભુત ઊર્જાથી અખંડા જનનીને મદદ કરે છે અને આ વિનાશક વાયરસનો એન્ટિડોટ તૈયાર કરવાની જંગમાં માર્ગદર્શન આપે છે.

About The Author

Related Posts

Top News

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20...
Sports 
વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.