PM મોદી જોશે નંદમુરી બાલાકૃષ્ણની ‘અખંડા 2’, જાણો શું છે આ ફિલ્મમાં ખાસ

દક્ષિણ ભારતીય ફિલ્મોના મોટા સ્ટાર નંદમુરી બાલકૃષ્ણની ફિલ્મ અખંડા 2’ કાયદાકીય દાવપેંચમાં ફસાયા બાદ રીલિઝ કરી દેવામાં આવી છે. ફિલ્મના પહેલા ભાગને સારો પ્રતિસાદ મળ્યો હતો, અને હવે બીજા ભાગને પણ ફેન્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. તેની કમાણીના આંકડા આવી ગયા છે. તો નિર્માતાઓ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો ડિરેક્ટર બોયાપતિ શ્રેણુએ એક મોટી જાહેરાત કરી દીધી છે.

અખંડા 2’ના ડિરેક્ટર બોયાપતિ શ્રેણુ તાજેતરમાં હૈદરાબાદમાં ફિલ્મની સક્સેસ મીટનો હિસ્સો હતા. આ દરમિયાન જ તેમણે ફિલ્મને લઈને એક એવી જાહેરાત કરી છે, જેણે ફેન્સમાં ઉત્સાહને વધુ વધારી દીધો છે. બોયાપતિ શ્રેણુએ કહ્યું કે તેમણે ફિલ્મ માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેને જોવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સનાતન ધર્મના ગુણગાન છે, એવામાં નિર્માતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ફિલ્મ બતાવવાની તક ગુમાવવા માંગતા નથી.

akhanda 2
etvbharat.com

અગાઉ આ ફિલ્મ રણવીર સિંહની ધુરંધર સાથે થિયેટરોમાં રીલિઝ થવાની હતી અને એડવાન્સ બુકિંગના મામલે રણવીર સિંહની ફિલ્મથી પણ આગળ નીકળતી નજરે પડી રહી હતી. જોકે, લીગલ કારણોસર તેને થોડા દિવસો બાદ રીલિઝ કરવામાં આવી હતી. હવે, રીલિઝના પહેલા સપ્તાહમાં જ ફિલ્મ ધૂમ મચાવી રહી છે અને કલેક્શનના મામલે ધૂમ મચાવે તેવી અપેક્ષા છે.

ફિલ્મને હવે મોટો ફાયદો મળી શકે છે. જો આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુએ છે તો ઉત્તર ઝોનમાં ફેન્સનો ઉત્સાહ હજી વધી શકે છે, જેની સીધી અસર તેના કલેક્શન પર પડી શકે છે. ફિલ્મ અત્યારે પણ સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ તેને હિન્દી દર્શકો તરફથી વિશેષ ફાયદો મળતો નજરે પડી રહ્યો નથી. એવામાં ફિલ્મને સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ હિન્દી દર્શકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે.

અખંડા 2’ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મ વિશ્વભરમાં ઘણી સારી કમાણી કરી રહી છે. તેણે માત્ર 3 દિવસમાં 80 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે, જે દર્શાવે છે કે તેની કમાણીમાં ધાર છે.

akhanda 2
thehansindia.com

અખંડા 2’ની કહાની

અખંડાપાર્ટ-1ની નાનકડી જનની (હર્ષાલી મલ્હોત્રા) હવે 18 વર્ષની થઈ ચૂકી છે. તે એક પ્રતિભાશાળી યુવાન વૈજ્ઞાનિક છે. તે તેની ટીમ સાથે મળીને ભારતીય સેના માટે બાયો-શીલ્ડનામની ટેકનોલોજીકલ સુરક્ષા કવચ તૈયાર કરી રહી છે, જે સીમા પર તૈનાત સૈનિકોને કઠોર કુદરતી પરિસ્થિતિઓથી બચાવી શકેછે. પરંતુ, મહાકુંભ મેળામાં જ્યારે કોઈ દુશ્મન દેશ દ્વારા એક ઘાતક વાયરસ ભેળવી દેવામાં આવે છે, ત્યારે જનની અને તેની ટીમ એ ખતરનાક વાયરસનો એન્ટિડોટ બનાવવા લાગે છે.

બીજી તરફ શત્રુ જનાની અને એન્ટિડોટ બંનેનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. એવામાં નિર્ણાયક સમયમાં અખંડા રુદ્ર સિકંદર અઘોરા (નંદમુરી બાલકૃષ્ણ)ની કહાનીમાં એન્ટ્રી થાય છે. પોતાની સાધના,  આધ્યાત્મ અદ્ભુત ઊર્જાથી અખંડા જનનીને મદદ કરે છે અને આ વિનાશક વાયરસનો એન્ટિડોટ તૈયાર કરવાની જંગમાં માર્ગદર્શન આપે છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.