- Entertainment
- PM મોદી જોશે નંદમુરી બાલાકૃષ્ણની ‘અખંડા 2’, જાણો શું છે આ ફિલ્મમાં ખાસ
PM મોદી જોશે નંદમુરી બાલાકૃષ્ણની ‘અખંડા 2’, જાણો શું છે આ ફિલ્મમાં ખાસ
દક્ષિણ ભારતીય ફિલ્મોના મોટા સ્ટાર નંદમુરી બાલકૃષ્ણની ફિલ્મ ‘અખંડા 2’ કાયદાકીય દાવપેંચમાં ફસાયા બાદ રીલિઝ કરી દેવામાં આવી છે. ફિલ્મના પહેલા ભાગને સારો પ્રતિસાદ મળ્યો હતો, અને હવે બીજા ભાગને પણ ફેન્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. તેની કમાણીના આંકડા આવી ગયા છે. તો નિર્માતાઓ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તો ડિરેક્ટર બોયાપતિ શ્રેણુએ એક મોટી જાહેરાત કરી દીધી છે.
‘અખંડા 2’ના ડિરેક્ટર બોયાપતિ શ્રેણુ તાજેતરમાં હૈદરાબાદમાં ફિલ્મની સક્સેસ મીટનો હિસ્સો હતા. આ દરમિયાન જ તેમણે ફિલ્મને લઈને એક એવી જાહેરાત કરી છે, જેણે ફેન્સમાં ઉત્સાહને વધુ વધારી દીધો છે. બોયાપતિ શ્રેણુએ કહ્યું કે તેમણે ફિલ્મ માટે એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેને જોવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સનાતન ધર્મના ગુણગાન છે, એવામાં નિર્માતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ફિલ્મ બતાવવાની તક ગુમાવવા માંગતા નથી.
અગાઉ આ ફિલ્મ રણવીર સિંહની ‘ધુરંધર’ સાથે થિયેટરોમાં રીલિઝ થવાની હતી અને એડવાન્સ બુકિંગના મામલે રણવીર સિંહની ફિલ્મથી પણ આગળ નીકળતી નજરે પડી રહી હતી. જોકે, લીગલ કારણોસર તેને થોડા દિવસો બાદ રીલિઝ કરવામાં આવી હતી. હવે, રીલિઝના પહેલા સપ્તાહમાં જ ફિલ્મ ધૂમ મચાવી રહી છે અને કલેક્શનના મામલે ધૂમ મચાવે તેવી અપેક્ષા છે.
ફિલ્મને હવે મોટો ફાયદો મળી શકે છે. જો આ ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુએ છે તો ઉત્તર ઝોનમાં ફેન્સનો ઉત્સાહ હજી વધી શકે છે, જેની સીધી અસર તેના કલેક્શન પર પડી શકે છે. ફિલ્મ અત્યારે પણ સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ તેને હિન્દી દર્શકો તરફથી વિશેષ ફાયદો મળતો નજરે પડી રહ્યો નથી. એવામાં ફિલ્મને સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ હિન્દી દર્શકો તરફથી પણ સકારાત્મક પ્રતિસાદ મળી શકે છે.
‘અખંડા 2’ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મ વિશ્વભરમાં ઘણી સારી કમાણી કરી રહી છે. તેણે માત્ર 3 દિવસમાં 80 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે, જે દર્શાવે છે કે તેની કમાણીમાં ધાર છે.
‘અખંડા 2’ની કહાની
‘અખંડા’ પાર્ટ-1ની નાનકડી જનની (હર્ષાલી મલ્હોત્રા) હવે 18 વર્ષની થઈ ચૂકી છે. તે એક પ્રતિભાશાળી યુવાન વૈજ્ઞાનિક છે. તે તેની ટીમ સાથે મળીને ભારતીય સેના માટે ‘બાયો-શીલ્ડ’ નામની ટેકનોલોજીકલ સુરક્ષા કવચ તૈયાર કરી રહી છે, જે સીમા પર તૈનાત સૈનિકોને કઠોર કુદરતી પરિસ્થિતિઓથી બચાવી શકેછે. પરંતુ, મહાકુંભ મેળામાં જ્યારે કોઈ દુશ્મન દેશ દ્વારા એક ઘાતક વાયરસ ભેળવી દેવામાં આવે છે, ત્યારે જનની અને તેની ટીમ એ ખતરનાક વાયરસનો એન્ટિડોટ બનાવવા લાગે છે.
બીજી તરફ શત્રુ જનાની અને એન્ટિડોટ બંનેનો નાશ કરવાનો પ્રયાસ કરે છે. એવામાં નિર્ણાયક સમયમાં અખંડા રુદ્ર સિકંદર અઘોરા (નંદમુરી બાલકૃષ્ણ)ની કહાનીમાં એન્ટ્રી થાય છે. પોતાની સાધના, આધ્યાત્મ અદ્ભુત ઊર્જાથી અખંડા જનનીને મદદ કરે છે અને આ વિનાશક વાયરસનો એન્ટિડોટ તૈયાર કરવાની જંગમાં માર્ગદર્શન આપે છે.

