યુવાન દેખાવા માટે શેફાલી જરીવાલા કરાવી રહી હતી આ સારવાર, શું હાર્ટ પર દવાની અસર પડી?

કાંટા લગા ગર્લફેમ એક્ટ્રેસ શેફાલી જરીવાલાના મોતના સમાચારથી દરેકને ઝટકો લાગ્યો છે. તેના મોતનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં હાર્ટ એટેક જ તેના મોતનું કારણ છે કે કોઈક બીજું કારણ, પોલીસ તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે શેફાલી એન્ટિ એજિંગ ટ્રિટમેન્ટ લઈ રહી હતી. એવી માહિતી સામે આવી છે કે, તે છેલ્લા 5-6 વર્ષથી એન્ટિ એજિંગ સારવાર લઈ રહી હતી. તેની સારવાર કરી રહેલા ડૉક્ટરે જણાવ્યું હતું કે એન્ટિ એજિંગનો મતલબ થાય છે યુવાન દેખાવા માટે કરવામાં આવતી સારવાર. તેના માટે તે 2 દવાઓ લઈ રહી હતી.

shefali jariwala
informalnewz.com

 

શું હાર્ટ પર થઈ આ દવાઓની અસર?

શેફાલી વિટામિન C અને ગ્લુટાથિઓન (Glutathione) નામની દવાઓ લઈ રહી હતી. એવામાં સવાલ ઊઠે છે કે શું આ દવાઓની અસર તેના હાર્ટ પર થઈ છે? ડૉક્ટરે આ સવાલનો જવાબ પણ આપ્યો છે અને કહ્યું છે કે આ દવાઓની અસર હાર્ટ પર નહીં પરંતુ સ્કીન પર થાય છે. આ દવાઓ સ્કીન ફેરનેસ માટે લેવામાં આવે છે. આ દવાઓનો હાર્ટ સાથે કોઈ સંબંધ નથી. એવું પણ જાણવા મળ્યું છે કે શેફાલી લગભગ 15 વર્ષ સુધી Epilepsyથી પીડિત હતી. જોકે, તેના મોતનું સાચું કારણ શું છે, તેની જાણકારી તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.

shefali jariwala
news18.com

 

શેફાલીના મોતના સમાચાર શુક્રવારે મોડી રાત્રે સામે આવ્યા હતા. પોલીસને રાત્રે 1:00 વાગ્યે માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસ તાત્કાલિક શેફાલીના ઘરે પહોંચી હતી. તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ પોલીસ શેફાલીના રસોઈયા અને નોકરાણીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. શેફાલીના પતિ પરાગ ત્યાગીનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસે પરાગ સહિત 4 લોકોના નિવેદન નોંધ્યા છે.

About The Author

Related Posts

Top News

બાલ્કનીમાંથી પડવાનું હતું બાળક, ત્યારે જ ભગવાનના રૂપમાં આવેલા કપિરાજે આ રીતે બચાવ્યો જીવ, યુઝર્સ બોલ્યા- ‘જય બજરંગબલી!’

‘સંકટ કટે મિટે સબ પિરા, જો સુમિરે હનુમત બલબીરા, સબ સુખ લહે તુમ્હારી સરના, તુમ રક્ષક...
Offbeat 
બાલ્કનીમાંથી પડવાનું હતું બાળક, ત્યારે જ ભગવાનના રૂપમાં આવેલા કપિરાજે આ રીતે બચાવ્યો જીવ, યુઝર્સ બોલ્યા- ‘જય બજરંગબલી!’

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.