યુવાન દેખાવા માટે શેફાલી જરીવાલા કરાવી રહી હતી આ સારવાર, શું હાર્ટ પર દવાની અસર પડી?

કાંટા લગા ગર્લફેમ એક્ટ્રેસ શેફાલી જરીવાલાના મોતના સમાચારથી દરેકને ઝટકો લાગ્યો છે. તેના મોતનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવમાં હાર્ટ એટેક જ તેના મોતનું કારણ છે કે કોઈક બીજું કારણ, પોલીસ તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે શેફાલી એન્ટિ એજિંગ ટ્રિટમેન્ટ લઈ રહી હતી. એવી માહિતી સામે આવી છે કે, તે છેલ્લા 5-6 વર્ષથી એન્ટિ એજિંગ સારવાર લઈ રહી હતી. તેની સારવાર કરી રહેલા ડૉક્ટરે જણાવ્યું હતું કે એન્ટિ એજિંગનો મતલબ થાય છે યુવાન દેખાવા માટે કરવામાં આવતી સારવાર. તેના માટે તે 2 દવાઓ લઈ રહી હતી.

shefali jariwala
informalnewz.com

 

શું હાર્ટ પર થઈ આ દવાઓની અસર?

શેફાલી વિટામિન C અને ગ્લુટાથિઓન (Glutathione) નામની દવાઓ લઈ રહી હતી. એવામાં સવાલ ઊઠે છે કે શું આ દવાઓની અસર તેના હાર્ટ પર થઈ છે? ડૉક્ટરે આ સવાલનો જવાબ પણ આપ્યો છે અને કહ્યું છે કે આ દવાઓની અસર હાર્ટ પર નહીં પરંતુ સ્કીન પર થાય છે. આ દવાઓ સ્કીન ફેરનેસ માટે લેવામાં આવે છે. આ દવાઓનો હાર્ટ સાથે કોઈ સંબંધ નથી. એવું પણ જાણવા મળ્યું છે કે શેફાલી લગભગ 15 વર્ષ સુધી Epilepsyથી પીડિત હતી. જોકે, તેના મોતનું સાચું કારણ શું છે, તેની જાણકારી તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.

shefali jariwala
news18.com

 

શેફાલીના મોતના સમાચાર શુક્રવારે મોડી રાત્રે સામે આવ્યા હતા. પોલીસને રાત્રે 1:00 વાગ્યે માહિતી મળી હતી, ત્યારબાદ પોલીસ તાત્કાલિક શેફાલીના ઘરે પહોંચી હતી. તેના પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જ પોલીસ શેફાલીના રસોઈયા અને નોકરાણીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. શેફાલીના પતિ પરાગ ત્યાગીનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. પોલીસે પરાગ સહિત 4 લોકોના નિવેદન નોંધ્યા છે.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.