5 રૂપિયાના પાન મસાલામાં 4 લાખ રૂપિયે કિલો વેચાતું કેસર છે કંઈ રીતે? કોર્ટમાં ગયો કેસ

પાછલા ઘણા સમયથી શાહરૂખ ખાન અને અજય દેવગણ સહિત ઘણા કલાકારો ભ્રામક જાહેરાતો માટે નિશાન બન્યા છે. હવે, આ યાદીમાં સલમાન ખાનનું નામ પણ ઉમેરવામાં આવ્યું છે. કોટા ગ્રાહક અદાલતમાં તેમની વિરુદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે, રાજશ્રી પાન મસાલા માટેની તેમની એક જાહેરાત યુવાનોને ગેરમાર્ગે દોરે છે. કોર્ટે આ મામલે સલમાન અને રાજશ્રી કંપનીને કાનૂની નોટિસ ફટકારી છે.

Salman-Khan-Rajshree-Case-2

સલમાન ખાન વિરુદ્ધ આ ફરિયાદ BJPના વરિષ્ઠ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ ઈન્દર મોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ઈન્દર મોહન સિંહે જણાવ્યું હતું કે, કંપની દાવો કરે છે કે તેના પાન મસાલા પાઉચમાં કેસર હોય છે. આ પાઉચ રૂ. 5થી શરૂ થાય છે, જ્યારે કેસરની કિંમત પ્રતિ કિલો રૂ. 4 લાખ છે. તેથી, તેમાં કેસર મેળવ્યું હોય તેનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. આમ છતાં, કલાકારો આ પાન મસાલાનો પ્રચાર કરવાનું ચાલુ રાખે છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે, રાજશ્રી કંપની અને સલમાન ખાન બંને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સાંઠગાંઠ કરી રહ્યા છે. ખાસ કરીને તેમની જાહેરાતો જોઈને યુવાનો પાન મસાલા અને તમાકુના સેવન કરવા માટે આકર્ષિત થઇ રહ્યા છે, જેનાથી કેન્સર જેવા રોગોનું જોખમ વધી રહ્યું છે. ઇન્દરે આવી જાહેરાતો પર પ્રતિબંધ મૂકવાની જ નહીં પરંતુ સલમાન ખાનને આપવામાં આવેલા પુરસ્કારો પાછા ખેંચવાની પણ અપીલ કરી હતી. કોટા ગ્રાહક અદાલતે આ મામલાની ગંભીરતાથી સુનાવણી કરી અને સલમાન અને રાજશ્રીને નોટિસ ફટકારી. બંને પ્રતિવાદીઓએ 27 નવેમ્બર સુધીમાં આ મામલે જવાબ આપવાનો રહેશે. આ લખાય છે ત્યાં સુધી, આ બાબતે તેમની તરફથી કોઈ જવાબ કે નિવેદન મળ્યું નથી.

Salman-Khan-Rajshree-Case-4

સલમાન ખાન રાજશ્રી પાન મસાલાના બ્રાન્ડ એમ્બેસેડર છે. આ કંપની અનેક પ્રકારના પાન મસાલાનું ઉત્પાદન કરે છે. આમાંથી એક પ્રોડક્ટમાં કેસર ભેળવવામાં આવેલી એલચીનો દાવો કરવામાં આવે છે. સલમાન તેનો પ્રચાર કરે છે, અને આનાથી તેમના માટે સમસ્યાઓ ઊભી થઈ છે. અગાઉ શાહરૂખ ખાન, ટાઇગર શ્રોફ અને અજય દેવગણને વિમલ પાન મસાલાનો પ્રચાર કરવા માટે આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતાની જાહેરાતમાં, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે પાન મસાલામાં કેસર હાજર છે, જેના પર કોર્ટમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.