અનુરાગ કશ્યપની દીકરી આલિયાએ ગ્રેગોઇર સાથે કરી સગાઈ, જાણો કોણ છે તેનો વિદેશી જમાઈ

બોલિવુડના જાણીતા ફિલ્મ ડિરેકટરઅને પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા અનુરાગ કશ્યપની દીકરી આલિયાની લગ્નની ચર્ચા ચાલી રહી છે. અનુરાગ કશ્યપના થનારો જમાઇ Shane Gregoire કોણ છે?  ફિલ્મ ડિરેકટર અનુરાગના ઘરમાં ખુશીઓની લહેર દોડી રહી છે. આલિયાને તેના બોયફ્રેન્ડ શેન ગ્રેગોઇરે લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. આલિયા 22 વર્ષની છે અને જિંદગીની નવી શરૂઆત માટે અત્યંત ઉત્સાહિત છે.

અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપે 20 મેના દિવસે તેના ફેન્સને જાણકારી આપી કે બોયફ્રેન્ડ શાને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે અને એક લાખોની કિંમતની ડાયમંડ રિંગ પણ પહેરાવી છે. ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાશે. આ સાથે આલિયાએ તેના મંગેતર સાથેનો લિપલોક ફોટો પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. બંનેએ ઈન્ડોનેશિયાના બાલી શહેરમાં સગાઈ કરી હતી.

અનુરાગ કશ્યપનો થનારો જમાઇ Shane Gregoire 23 વર્ષનો છે અને અમેરિકાનો બિઝનેસમેન છે. તે Rocket Powered Sound નામની કંપનીનો ફાઉન્ડર છે. આ એક સોફ્ટવેર બનાવતી કંપની છે જે સાઉન્ડ ડિઝાઇનીંગ અને મ્યુઝીક પ્રોડ્કશન સ્કીલ ડેવલપ કરે છે.

આલિયા ઘણીવાર શેનની સાથે સોશિયલ મીડિયા પર ફોટોઝ શેર કરતી નજરે પડે છે. છેલ્લા 3 વર્ષથી આલિયા અને શેન એકબીજાને ડેટ કરી રહ્યા છે. આલિયાની સાથે શેન ઇન્ડિયા પણ વારંવાર આવતો રહે છે. આલિયા કશ્યપ એક બ્લોગર છે. યૂ ટ્યૂબ પર પોતાના વીડિયો શેર કરતી રહે છે.

આલિયા કશ્યપ અને શેનની લવ સ્ટોરીની શરૂઆત એક ડેટિંગ એપથી થઇ હતી. આલિયાએ પોતાના એક બ્લોગમાં કહ્યું છે કે તે વખતે હું સિંગલ હતી અને ડેટિંગ એપનો ઉપયોગ કરતી હતી.જ્યારે મેં શેન ને જોયો તો તે મને પસંદ આવ્યો હતો. શેનને જોઇને મેં રાઇટ સ્વીપ કર્યું હતું. જ્યારે શેને મારી રિક્વેસ્ટ જોઇ અને એ પછી અમારી વાતની શરૂઆત થઇ હતી. એ પછી અમારી સારી દોસ્તી થઇ અને દોસ્તી પ્રેમમાં બદલાઇ ગઇ. ત્યારથી બંને સાથે જ છે.

અનુરાગ કશ્યપ પોતાની દીકરીથી ખુશ છે. તેમણે અભિનંદન આપતી એક પોસ્ટ શેર કરી છે, જેમાં આલિયા ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરતી નજરે પડે છે. અનુરાગે લખ્યું કે, તુ હવે મોટી થઇ ગઇ છે, એટલી મોટી કે તે સગાઇ કરી લીધી છે. મને તારા પર ગર્વ છે.

About The Author

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.