ભાવનગરના 3 ફૂટના ડૉ.ગણેશ બારૈયાના ફેન બની ગયા બીગ બી, સર્કસની ઓફર ઠુકરાવી સિસ્ટમ સામે લડીને MBBS કર્યું

એવું કહેવાય છે કે જેમની પાસે જીવનમાં આગળ વધવાનો જુસ્સો અને દૃઢ નિશ્ચય હોય છે તેમને સફળતા પ્રાપ્ત કરતા કોઈ રોકી શકતું નથી. ડૉ. ગણેશ બારૈયા આનું જીવંત ઉદાહરણ છે. ગણેશ બારૈયાને દુનિયાના સૌથી નાના ડૉક્ટર તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ફક્ત 3 ફૂટ ઊંચા છે, પરંતુ તેમનો જુસ્સો અટલ છે. તેમની સખત મહેનતના કારણે તેઓ અમિતાભ બચ્ચનના લોકપ્રિય શો 'કૌન બનેગા કરોડપતિ'ના મંચ પર પહોંચી ગયા.

https://www.instagram.com/reel/DcDdqkbgBna/

અમિતાભ બચ્ચને દુનિયાના સૌથી નાના ડૉક્ટર ગણેશ બારૈયાનું 'કૌન બનેગા કરોડપતિ 18'ની હોટ સીટ પર ખાસ રીતે સ્વાગત પણ કર્યું. ગુજરાતના ગોરખી ગામના રહેવાસી ગણેશ, KBCના તાજેતરના એપિસોડમાં દેખાયા હતા. તેમણે માત્ર દર્શકોને તેમની રમતથી પ્રભાવિત કર્યા જ નહીં, પરંતુ તેમની પ્રેરણાદાયી યાત્રાથી બધાના દિલ પણ જીતી લીધા.

Worlds-Shortest-Doctor-KBC.jpg-2

જોકે, તેમની KBC યાત્રાનો અંત રૂ. 3 લાખના પ્રશ્નનો ખોટો જવાબ આપ્યા પછી થયો, જેનાથી તેમને ફક્ત રૂ. 25,000 મળ્યા. પરંતુ તેની વાર્તા અને હિંમતથી બધાને પ્રેરણા મળી છે.

https://www.instagram.com/reel/Db8MDHSIHZx/

KBC 18 પર, ગણેશે તેના બાળપણની એક ભાવનાત્મક ઘટના યાદ કરી. તેણે ખુલાસો કર્યો કે જ્યારે તે પ્રાથમિક શાળામાં હતો, ત્યારે સર્કસ સાથે સંકળાયેલા કેટલાક લોકો તેના ઘરે આવ્યા અને તેના પિતાને તેને પોતાની સાથે લઈ જવા માટે રૂ. 5 લાખની ઓફર કરી. જોકે, ગણેશના પિતાએ આ ઓફર નકારી કાઢી. તેને સર્કસમાં મોકલવાને બદલે, તેમણે તેને ભણાવવાનું નક્કી કર્યું.

Worlds-Shortest-Doctor-KBC.jpg-4
navbharattimes.indiatimes.com, livehindustan.com, instagram.com

ગણેશે KBCના એક વીડિયોમાં કહ્યું, 'જ્યારે હું નાનો હતો, ત્યારે સર્કસના લોકોએ મને રૂ. 5 લાખની ઓફર કરી હતી. પરંતુ મેં ક્યારેય હાર માની નહીં. મારી મહેનતથી, મેં NEET પરીક્ષા પાસ કરી. પરંતુ મારા નાના કદને કારણે, કોઈ કોલેજે મને પ્રવેશ પણ ન આપ્યો. પછી મને સમજાયું કે માત્ર જ્ઞાન પૂરતું નથી, મારે વિચારવાની પણ જરૂર છે.'

https://www.instagram.com/reel/Db8LfAvq5cp/

'મેં ક્યારેક હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને તો ક્યારેક સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડી. કંઈક પ્રાપ્ત કરવાના મારા જુસ્સા અને દૃઢ નિશ્ચયથી, હું આખરે ડૉક્ટર બન્યો. મારી ઉંચાઈ ભલે નાની હોઈ શકે, પરંતુ મારા ઇરાદા નાના નથી.'

Worlds-Shortest-Doctor-KBC.jpg-3

અમિતાભ બચ્ચને શોમાં ગણેશને પૂછ્યું કે તે શાળાએ કેવી જતા હતા. ગણેશે બિગ Bને કહ્યું કે તેની નાની ઊંચાઈને કારણે, તેને પ્રાથમિક શાળામાં જવામાં મુશ્કેલી પડતી હતી. તેની શાળા 5 Km દૂર હતી અને વાહનવ્યવહારની કોઈ સુવિધા નહોતી. તે ચાલતા ચાલતા થાકી જતો હતો, તેથી તેના માતા-પિતા તેને ખભા પર બેસાડીને શાળાએ લઈ જતા. ગણેશ તેના સંઘર્ષને યાદ કરીને ભાવુક થઈ ગયો. અમિતાભ બચ્ચને તેની ભાવનાની પ્રશંસા કરી.

Worlds-Shortest-Doctor-KBC.jpg-5
instagram.com

ગણેશ બારૈયા ગુજરાતના ભાવનગર જિલ્લાના ગોરખી ગામનો રહેવાસી છે. તેની ઊંચાઈ 3 ફૂટ 4 ઇંચ છે. The Better India અનુસાર, ગણેશ બાળપણથી જ વામનત્વ (ડ્વાર્ફિજ્મ)થી પીડાતો હતો, જેના કારણે તેની ઊંચાઈ વધી શકી ન હતી. આવા અનેક પડકારો છતાં, તેણે NEET પરીક્ષામાં સારો રેન્ક મેળવ્યો. જોકે, શરૂઆતમાં તેને તેની અપંગતાને કારણે MBBSમાં પ્રવેશ મળતો ન હતો, પરંતુ તે તેના અધિકારો માટે લડ્યો અને આજે ગણેશ એક સફળ MBBS ડૉક્ટર છે.

About The Author

Related Posts

Top News

કોર્ટે ટેક કંપનીના માલિકને તેમની ભૂતપૂર્વ પત્નીને 640 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો

દક્ષિણ કોરિયાની એક કોર્ટે શુક્રવારે અબજોપતિ SK ગ્રુપના ચેરમેન ચે તાઈ-વોનને તેમની ભૂતપૂર્વ પત્નીને 944 બિલિયન વોન (640 મિલિયન...
World 
કોર્ટે ટેક કંપનીના માલિકને તેમની ભૂતપૂર્વ પત્નીને 640 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો

‘મર્યાદામાં રહો’ ગોવિંદાનો પત્ની સુનિતા આહુજાને જવાબ, કહ્યું- ‘તારી પાસેથી અપેક્ષા નથી’

ગોવિંદા અને સુનિતા આહુજા એક સમયે બોલિવુડના સૌથી પ્રિય યુગલોમાંના એક માનવામાં આવતા હતા, પરંતુ હવે તેમની વચ્ચે તિરાડ...
Entertainment 
‘મર્યાદામાં રહો’ ગોવિંદાનો પત્ની સુનિતા આહુજાને જવાબ, કહ્યું- ‘તારી પાસેથી અપેક્ષા નથી’

આ લોકો બનાવતા કંઈ રીતે હશે? ઉદ્ઘાટનના 45 દિવસમાં જ પૂલની દિવાલ ધરાશાયી

શું માત્ર દોઢ મહિના પહેલા જ ઉદ્ઘાટન થયેલા નવા પુલ પર કોઈ સવાલ ઉઠાવી શકાય? રાજસ્થાનના બારાં જિલ્લામાં આવું...
National 
આ લોકો બનાવતા કંઈ રીતે હશે? ઉદ્ઘાટનના 45 દિવસમાં જ પૂલની દિવાલ ધરાશાયી

રાહુલ ગાંધી અને ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં કેમ ન ગયા, કારણ આવ્યું સામે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ લાલ કિલ્લા પર 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ...
National 
રાહુલ ગાંધી અને ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં કેમ ન ગયા, કારણ આવ્યું સામે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.