કોર્ટે ટેક કંપનીના માલિકને તેમની ભૂતપૂર્વ પત્નીને 640 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો

દક્ષિણ કોરિયાની એક કોર્ટે શુક્રવારે અબજોપતિ SK ગ્રુપના ચેરમેન ચે તાઈ-વોનને તેમની ભૂતપૂર્વ પત્નીને 944 બિલિયન વોન (640 મિલિયન ડૉલર) ચૂકવવાનો આદેશ આપ્યો, જેને દક્ષિણ કોરિયન મીડિયાએ 'સદીના છૂટાછેડા' તરીકે ઓળખાવ્યો.

Roh Soh yeong
upi.com

સિઓલ હાઇકોર્ટનો આ નિર્ણય સુપ્રીમ કોર્ટે ચે તાઈ-વોન અને દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોહ તાઈ-વુની પુત્રી રો સો-યોંગ વચ્ચેના છૂટાછેડા કેસની અપીલ કોર્ટ દ્વારા વધુ સમીક્ષા કરવાનો આદેશ આપ્યા પછી આવ્યો છે.

Chey Tae Won
upi.com

એક સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, 'આ ચુકાદો દક્ષિણ કોરિયાની સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2025માં મિલકત વિભાગ પર પુનર્વિચાર કરવાના મૂળ નિર્ણયને આંશિક રીતે ઉલટાવી દીધો હતો, છૂટાછેડાને સમર્થન આપ્યું હતું અને ચે તાઈ-વોનને સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ રોહ તાઈ-વુની પુત્રી રો સો-યોંગને ભરણપોષણમાં 2 બિલિયન વોન ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તાજેતરના ચુકાદામાં આ રકમ 2024માં કોર્ટે શરૂઆતમાં આપેલા 1.38 ટ્રિલિયન વોન કરતા ખુબ ઓછી છે.'

સિઓલના એક આર્ટ મ્યુઝિયમના ડિરેક્ટર રોહને આપવામાં આવેલું વળતર ગયા વર્ષે હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલા 1.38 ટ્રિલિયન વોન (940 મિલિયન ડૉલર)ના સમાધાન કરતા ઓછું છે.

Chey Tae Won-Roh Soh yeong
koreatimes.co.kr

ચુકાદા મુજબ, રો સો-યોંગ સંયુક્ત સંપત્તિના કુલ હિસ્સાના ત્રીજા ભાગ માટે હકદાર છે, જ્યારે બાકીનો હિસ્સો ચે તાઈ-વોનને જશે. કોર્ટે કહ્યું કે તેણે લગ્ન સમયે બંને પક્ષોની સંપત્તિ તેમજ સંપત્તિના નિર્માણ અને વૃદ્ધિમાં દરેક વ્યક્તિના યોગદાનની માત્રાને ધ્યાનમાં લીધી છે.

ટ્રાયલ પછી, ચે તાઈ-વોનની કાનૂની ટીમે જણાવ્યું હતું કે, તેઓ કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી ચુકાદા સામે અપીલ કરવાનું વિચારશે, અને તેમના ક્લાયન્ટને આટલી ચિંતા કરવા બદલ દિલગીરી વ્યક્ત કરી. દરમિયાન, રો સો-યોંગના વકીલ પ્રેસને કોઈ ટિપ્પણી કર્યા વિના કોર્ટરૂમ છોડી ગયા.

Chey Tae Won-Roh Soh yeong
vietnam.vn

ચે તાઈ-વોન સેમસંગ પછી દક્ષિણ કોરિયાના બીજા સૌથી મોટા સમૂહ, SK ગ્રુપના ચેરમેન છે. તેમણે 1988માં બ્લુ હાઉસમાં રો સો-યોંગ સાથે લગ્ન કર્યા હતા, જ્યારે રોહ તાઈ-વુ સત્તામાં હતા. જો કે, આ દંપતી 15 વર્ષથી વધુ સમયથી અલગ રહેતા હોવાનું માનવામાં આવે છે.

ચે તાઈ-વોનને અગાઉ ભરણપોષણ તરીકે 2 બિલિયન વોન (1.3 મિલિયન ડૉલર) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ચે તાઈ-વોન અને રો સો-યોંગના લગ્ન 1988માં થયા હતા અને તેમના 3 બાળકો છે.

Chey Tae Won

ચે તાઈ-વોનને 2017માં છૂટાછેડા માટે અરજી કરી હતી કારણ કે તેણે બીજી સ્ત્રી સાથેના તેમના અફેરનો ખુલાસો કર્યો હતો, જેની સાથે તેને એક બાળક પણ છે.

About The Author

Related Posts

Top News

કોર્ટે ટેક કંપનીના માલિકને તેમની ભૂતપૂર્વ પત્નીને 640 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો

દક્ષિણ કોરિયાની એક કોર્ટે શુક્રવારે અબજોપતિ SK ગ્રુપના ચેરમેન ચે તાઈ-વોનને તેમની ભૂતપૂર્વ પત્નીને 944 બિલિયન વોન (640 મિલિયન...
World 
કોર્ટે ટેક કંપનીના માલિકને તેમની ભૂતપૂર્વ પત્નીને 640 મિલિયન ડૉલર ચૂકવવાનો આદેશ આપ્યો

‘મર્યાદામાં રહો’ ગોવિંદાનો પત્ની સુનિતા આહુજાને જવાબ, કહ્યું- ‘તારી પાસેથી અપેક્ષા નથી’

ગોવિંદા અને સુનિતા આહુજા એક સમયે બોલિવુડના સૌથી પ્રિય યુગલોમાંના એક માનવામાં આવતા હતા, પરંતુ હવે તેમની વચ્ચે તિરાડ...
Entertainment 
‘મર્યાદામાં રહો’ ગોવિંદાનો પત્ની સુનિતા આહુજાને જવાબ, કહ્યું- ‘તારી પાસેથી અપેક્ષા નથી’

આ લોકો બનાવતા કંઈ રીતે હશે? ઉદ્ઘાટનના 45 દિવસમાં જ પૂલની દિવાલ ધરાશાયી

શું માત્ર દોઢ મહિના પહેલા જ ઉદ્ઘાટન થયેલા નવા પુલ પર કોઈ સવાલ ઉઠાવી શકાય? રાજસ્થાનના બારાં જિલ્લામાં આવું...
National 
આ લોકો બનાવતા કંઈ રીતે હશે? ઉદ્ઘાટનના 45 દિવસમાં જ પૂલની દિવાલ ધરાશાયી

રાહુલ ગાંધી અને ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં કેમ ન ગયા, કારણ આવ્યું સામે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ લાલ કિલ્લા પર 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જોકે, કોંગ્રેસ અધ્યક્ષ...
National 
રાહુલ ગાંધી અને ખડગે સતત બીજા વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં કેમ ન ગયા, કારણ આવ્યું સામે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.